SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते vમપૂજાવિરા ચેતે ! મનં મા-જ્ઞાન, નશ્ચ-વનં, “તુ પારિ પર્વે શસક્રીયોપિ'' રૂત્તિ वचनात् , महान्तौ भागौ यस्य स तथा तमिति ज्ञानवचनातिशयाविति । इत्थं चतुरतिशयोपेतस्य समुचितेष्टदेवतारूपस्य श्रीशङ्केश्वरपार्श्वनाथस्य नमस्काररूपं मङ्गलमाचरितम् , ततश्च विनध्वंसः शिष्टाचारश्चानुपालितो भवति । एतदुपनिबन्धाच्चानुषङ्गतः श्रोतृणामपि मङ्गलसिद्धिरिति ।। १ ।। ટીકાનું મંગલાચરણ-સ્યાદ્વાદના ઉપદેશક અને ઇન્દ્રોની શ્રેણિઓથી નમસ્કાર કરાયેલા જિનને નમીને મારા રચેલા આ ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનું વિવરણ કરું છું. મૂળગ્રંથનું મંગલાચરણ ---- જૈન શાસનમાં સઘળાં શુભ કાર્યોને આરંભ ગુરુને આધીન છે. આથી આ (ગુરુત વિનિશ્ચય) પ્રકરણને આરંભ કરવામાં આવે છે. ૪. તેમાં પહેલી ગાથા આ છે – (૧) શંખેશ્વર ગામમાં બિરાજમાન નિરુપમ પ્રભાવવંત શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને પ્રણામ કરીને આત્માથી (=કેવળ મેક્ષની જ આકાંક્ષાવાળા) ના હિત માટે ગુરુતત્વવિનિશ્ચયને=જેનાથી ગુરુતત્વને(=સુગુરુ કોને કહેવાય તેને) સ્પષ્ટ નિર્ણય થઈ શકે તેવા ઉપદેશને કહીશ. ૧. વિશ્વશંભુકૃત એકાક્ષરી નામમાલા શ્લેક ૨૫ * આનાથી બે વાત સૂચિત થાય છે. (૧) ગુરુને આધીન બનવાથી જ આધ્યાત્મિક સાધનામાં સફળતા મળે છે. (૨) ગુરુ વાસ્તવિક ગુરુ હોવા જોઈએ. ગુરુને આધીન રહેવું એટલે ગુસ્ની આજ્ઞાસલાહ પ્રમાણે કરવું. ભૌતિક સાધનામાં પણ બિન અનુભવી જે બીજા અનુભવીની સલાહ પ્રમાણે કરે છે તો જ સકલ બને છે. રોગી વૈદ્યની આજ્ઞા-રસલાહ પ્રમાણે વર્તે તે જ આરોગ્ય મેળવી શકે. પોતાની મેળે દવા કરવા માંડે તો આરોગ્ય ન મેળવી શકે, એટલું જ નહિ, બટુકે પણ વધી જાય એવું પણ બને. આમ જો ભૌતિક સાધનામાં અનુભવીની આજ્ઞા માન્યા વિના સફળતા ન મળે તો આધ્યાત્મિક સાધનામાં અનુભવીની આજ્ઞા માન્યા વિના સફલતા કેવી રીતે મળે ? ગુરુ અનુભવી છે. કર્મની પરતંત્રતામાંથી મુક્ત બનવા આધ્યાત્મિક સાધના કરવાની છે. પણ ગુની પરતંત્રતા સ્વીકારનાર જ વાસ્તવિક અધ્યાત્મસાધના કરી શકે છે. આથી સ્વતંત્ર બનવા પરતંત્ર બનવું જરૂરી છે. પહેલાં ગુરુની પરતંત્રતા, પછી સ્વતંત્રતા. - જેમ સાધુએ જે કંઈ કરવાનું છે તે ગુની આજ્ઞા પ્રમાણે જ કરવાનું છે, તેમ શ્રાવકોએ પણ આધ્યાત્મિક સાધના ગુરુને આધીન બનીને જ કરવાની છે. શ્રાવકોએ કાઈ પણ આરાધના, અનુઠાનો. ધાર્મિક પ્રસંગે વગેરે પોતાની મરજી મુજબ નહિ, કિંતુ ગુરુની આજ્ઞા-સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. આથી આયાત્મિક સાધનામાં ગુરુની આધીનતા અનિવાર્ય છે. માટે જ ગુરુ કેવા હોવા જોઈએ તે જગવ: જરૂરી છે. સાચા ગુરુના બદલે નામધારી ગુરુને આધીન બને તે પણ લાલન ન થાય. રોગી વિદને આધીન બને, પણ તે વૈદ્ય વૈદ્યકશાસ્ત્રને અનુભવી ન હોય-ઊંટવૈદ્ય હોય તો શું થાય ? રોગ જવાના બદલે વધી જાય એવું પણ બને. લેભાગુ લુચા વિદ્યો સામાન્ય દવા આપીને કિંમતી દવા આપી છે એમ કહીને દર્દીને છેતરે છે. તે રીતે નામધારી ગુરુ પણ સાધકને વિવિધ રીતે છેતરે એવું બને. માટે ગુરુતત્વને બરોબર જાણવું જોઈએ. એ માટે જ આ ગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy