SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વથા ત્યાગ કરવું જોઈએ. આ કુગુરુઓના, –પાશ્વસ્થ, અવસર્જા, કુશીલ, સંસક્ત અને યથારછન્દ એ પ્રમાણે, પાંચ પ્રકારનું વિસ્તૃત વર્ણન તે વિષયના ખાસ જુદા પ્રકરણનું ભાન કરાવે છે. પાર્થસ્થાદિ પાંચ, છઠ્ઠો નિત્યવાસી એટલે ખાસ કારણ સિવાય પૌગલિક સુખોની લાલસાથી એક જ રથાનમાં નિત્ય વસનાર અને એ છથી ભિન્ન સંવિગ્ન પણ કાથિક આદિ ચાર હોય તે તેવાઓ અવંદનીય હોઈ તેમને વાંદરા અને પ્રશંસવામાં શા શા દો રહેલા છે એ બતાવવા સાથે વંદન કરાવનાર તેવા કુગુરુએ પણ કેવા દોષભાગી થાય છે તે બતાવવામાં આવ્યું છે. કાથિક, દાર્શનિક–પ્રાક્ષિક મામક અને સંપ્રસારક એ ચાર પ્રકારના ત્યાજ્ય સંવિમા ગુરુઓનાં લક્ષણે જાણવાં જેવાં છે–૧. જે સ્વાધ્યાય આદિ કર્તવ્ય યોગેને છોડી ધર્મકથા અગર દેશકાળની કથા કેવળ આજીવિકા, પૂજા પ્રતિષ્ઠા આદિ પૌદૃગલિક લાલસા ખાતર કરે તે કાથિક. ૨. જે લેકમાં, નટનાટકમાં ફરી તમાશા જોયા કરે અને કોઈ ગૃહસ્થને તેઓના વ્યવહારમાં પડી તેઓના પ્રશ્નોનું નિરાકરણ કર્યા કરે તે દાર્શનિક અથવા તે પ્રાશ્રિક. ૩ જે ઉપકરણમાં એટલો બધો આસક્ત હોય કે દરેક વખતે બીજાને એમ કહ્યા કરે કે મારું આ ઉપકરણ ન લેવું, ન વાપરવું ઈત્યાદિ અને તેની જ મમતામાં સેલે રહે તે મામક. ૪ આવાહ વિવાહ, નિષ્ક્રમણપ્રવેશ, કર્યા વિક્રય આદિ અસંયત કાર્યોમાં ગૃહસ્થોને પૂછ કે વગર પૂછયે વિધિ નિષેધ કરે અને કહે કે “અમુક ન કરવું, અમુક મારા કહ્યા પ્રમાણે કરે તેથી ફાયદો થશે ” તે સંપ્રસારક. ચોથા ઉલાસ ચતુર્થ ઉલ્લાસમાં સેવા કરવા યોગ્ય સુગુરુનું સ્વરૂપ બતાવવા ઉપાધ્યાયજીએ પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સનાતક એ પાંચ પ્રકારના ભગવતીઅંગ વર્ણિત નિર્ગથેનું વર્ણન આપ્યું છે. આ વર્ણન છત્રીસ દ્વારમાં વહેંચાયેલું હોઈ તેનાથી જ એ ઉલાસનો માટે ભાગ કાયેલો છે. એ પાંચ નિગ્રંથોના લક્ષણે તેઓના ભેદ-પ્રભેદો અને એ અવાનાર ભેદ-પ્રભેદોનાં લક્ષણે વિગેરે એટલું બધું વિસ્તાર ને સ્પષ્ટતાપૂર્વક આપેલું છે કે તે ભાગ એક ખાસ પ્રકરણ બની ગયું છે. પુલાકાદિ પાંચ પ્રકારના નિર્ચ તરતમભાવે ભાવગુરુ હેઈ સુગુરુ છે જ. પણ તે ઉપરાંત જેઓ સંવિગ્નપાક્ષિક અર્થાત્ શુદ્ધચારિત્રમાર્ગારાધક ભાવગુરુ ન હોવા છતાં શુદ્ધપ્રરૂપક હેઈ ભાવગુરુવની સન્મુખ પ્રવૃત્તિવાળા દ્રવ્યનિગ્રંથ છે તેમાં પણ ગુરુપદને લાયક છે. આ રીતે ગુરુતત્ત્વવિનિશ્ચય નામને આ ગ્રંથ ગુરુની પરીક્ષાના પ્રકરણમાં જ સાર્થકભાવે સમાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy