SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્ત હોઈ ગુરુ જાણ. ત્યાર બાદ વ્યવહારનું નિરૂપણ કરતાં ઉપાધ્યાયજી કહે છે કે આ જેમ જ્ઞાનના નિરૂપણમાં જ્ઞાની અને ય એ બન્નેનું નિરૂપણ આવશ્યક છે, તેમ વ્યવહારનું સ્વરૂપ બતાવવામાં વ્યવહારી (વ્યવહારકર્તા અને વ્યવહત્તવ્ય (વ્યવહારને વિષય) એ બનેનું સ્વરૂપ બતાવવું પણ જરૂરી છે, આમ કહી તેઓ અનુક્રમે વ્યવહાર, વ્યવહારી અને વ્યવહર્તવ્યનું સ્વરૂ૫ વર્ણવે છે. (ક) વ્યવહાર – વ્યવહારના અહી બે અર્થ છે. ૧ ગ્યતાનો વિચાર કરી શાસ્ત્રોક્ત રીતે તપ આદિ અનુષ્ઠાન આપી અતિચાર દૂર કરવા, અર્થાત્ પ્રાયશ્ચિત્ત આપવું એ વ્યવહાર. ૨. કોઈ પણ એક વસ્તુ પ્રાપ્ત કરવા જ્યારે બે જણમાં વિવાદ ઉભું થાય અને તેઓ ચુકાદા માટે ગુરુ પાસે આવે ત્યારે ગુરુ શાસ્ત્રીય દૃષ્ટિએ જેને જે વસ્તુ મળવી ઘટે તે વસ્તુ બીજા પાસેથી લઈ તેને આપે એ વ્યવહાર. અર્થાત્ મધ્યસ્થ તરીકે ગુરુએ શાસ્ત્રાનુસાર આપેલ ચુકાદો કે ન્યાય. (ખ) વ્યવહારી:-- જે ગુરુઓ પ્રિયધર્મ, દઢધર્મ, પાપભીરુ, સૂત્રાથદિજ્ઞાતા હોઈ નિષ્પક્ષપાતપણે વ્યવહાર કરે તે વ્યવહારી કહેવાય છે. (ગ) વ્યવહર્તવ્ય – જે દોષપાત્ર હોવાથી પ્રાયશ્ચિત્તનો અધિકારી હોય તે. વ્યવહર્તવ્ય. તેમ જ જેઓ વિવાદના ચુકાદા માટે ગુરુને પ્રમાણ તરીકે આશ્રય લે તેઓ પણ વ્યવહર્તવ્ય. આ પ્રમાણે ત્રણેનું સ્વરૂપ બતાવી ઉપાધ્યાયજીએ આગમ, શ્રત, આજ્ઞા, ધારણું અને જીત એમ વ્યવહારના પાંચ પ્રકારો વર્ણવ્યા છે. આ પ્રત્યેક પ્રકારના સંબંધમાં તેઓએ ઘણું જ શાસ્ત્રીય તત્ત્વ વ્યવસ્થિત રીતે આલેખેલું છે, જે તે વિષયના જિજ્ઞાસુએનું ખાસ ધ્યાન ખેંચે અને મનસ્તપર્ણ કરે તેવું છે. ત્યાર પછી વ્યવહારીના વર્ણનમાં ગ્રન્થનો પુષ્કળ ભાગ રોકી તેને દરેક રીતે વિચાર કર્યો છે અને છેવટે વ્યવહત્તવ્યને સંબંધમાં પણ વિસ્તૃત ચર્ચા કરી છે જે અહીં આપવી કઠણ છે. ત્રીજે ઉલ્લાસ ત્રીજા ઉલ્લાસના પ્રારંભમાં ઉપાધ્યાયજી ગુરુવિષયક ચતુર્ભાગી બતાવી કહે કે છે અમુક પ્રકારને ગુરુ ત્યાજ્ય અને અમુક પ્રકારનો ગુરુ અત્યાજ્ય છે. તે ચતુર્ભાગી જાણવા જેવી છે. ૧. વસ્ત્રપાત્રાદિ સાધન પૂરું પાડનાર અને સંયમમાં સીદાતાને સારણું ન કરનાર એ ઈહલોકહિતકારી છતાં પરલોકહિતકારી નહિ. ૨. વસ્ત્રાપાત્રાદિ સાધન પૂરું ન પાડનાર અને પ્રમાદમાં પડતાને સારણું આદિથી સાવધ કરનાર એ ઈહલેકહિતકારી નહિ છતાં પરલોકહિતકારી. ૩. ઈહલેકહિતકારી તથા પરલેકહિતકારી. ૪. ઈહલોકહિતકારી પણ નહિ અને પરલોકહિતકારી પણ નહિ. આવા ચાર પ્રકારના ગુરુઓમાંથી બીજા અને ત્રીજા પ્રકારના ગુરુઓની સંગતિ કેઈ પણ રીતે છોડવી ન ઘટે. ખાસ કરી ત્રીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy