SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ એકાન્ત તા નથી જ, જગતના વ્યવહારા અને પ્રસ`ગેાની વિવિધતા ન કળી શકાય તેવી હાય છે. અમુક વાત એક દૃષ્ટિએ સર્વથા હેય હોય છતાં બીજી દૃષ્ટિએ અને ખીજે પ્રસંગે કચારેક ઉપાદેય પણ બને છે. મૂળગુણના અતિચાર સર્વથા હેય છતાં કથારેક પરિણામની દૃષ્ટિએ સેવવા પણ પડે છે. અને તેનું સેવન કર્યાં છતાં પણ તે દોષ સેવનાર શુદ્ધ રહે છે અને ગણાય છે. એટલું' ખરું' કે આવા અપવાદમા કાં લાગુ પડે અગર પાડવા જોઈએ એ જાણવામાં બહુ જ સાવચેતી રાખવાની હોય છે. અનેકાન્ત દૃષ્ટિની આ વસ્તુસ્થિતિ સમજાવવા ઉપાધ્યાયજીએ ‘મૂળગુણના અતિચાર કચાં દોષરૂપ નથી ગણાતા અને કથાં ગણાય છે' એ સમજાવ્યુ' છે. તેઓએ કહ્યુ છે કે પુષ્ટ આલંબન નિમિત્તે મૂળગુણમાં અતિચાર લાગ્યા છતાં સાધુ શુદ્ધ રહે છે અને આલખન પુષ્ટ ન હાય તા તેવા અતિચારથી સાધુ પતિત થઈ જાય છે. પુષ્ટ અને અપુષ્ટ માલ બનને સમજાવવા તેએએ કહ્યું છે કે જે અતિચારના સેવનનુ પરિણામ છેવટે રત્નત્રયીની રક્ષા અને વૃદ્ધિમાં જ આવતું હાય તે પુષ્ટ આલંબન સમજવું અને જો કોઈ મનકલ્પિત પ્રસ`ગનું ખડાનુ` કરી અતિચારનું સેવન કરવામાં આવે તે ત્યાં અપુષ્ટ આલંબન જાણવું. આ વસ્તુને ઉપમા દ્વારા સમજાવતાં તેએ કહે છે કે કૂવામાં પડતા કોઈ માણસ ઘાસ કે તેવી કેાઈ બીજી પેાચી વસ્તુ પકડી ખચવા ઈચ્છે તે તે કદી ન ખેંચી શકે. પણ મજબૂત દારી કે તેવી બીજી વસ્તુ પકડી રાખે તેા ખાતરીથી તે ખચે. તેમ અપુષ્ટ આલબન નિમિત્તે જે કાઈ મૂળગુણમાં અતિચાર સેવવાનું સાહસ કરે તે તે જરૂર પતિત થાય અને પુષ્ટ આલેખન નિમિત્તે અતિચાર સૈવે તે તે પતિત ન જ થાય. જેમ કેઈ પૈસાદાર અમુક પુજી રોકી વ્યાપાર કરવા માંડે ત્યારે યાજના પ્રમાણે ભવિષ્યમાં માટા લાભની આશાથી તે પેાતાની મૂળ પુજીમાંથી નાકરાનેા કે દુકાનભાડા વિગેરેના ઘણા ખર્ચ કરે છે. છતાં તેના કરેલા તે ખર્ચ હેતુઃપુરસ્કર હાવાથી ભવિષ્યમાં લાભનુ કારણુ ખને છે. તેમ કોઈ ખાસ લાભની સંભાવનાથી સેવવામાં આવેલા મૂળગુણના અતિચાર પણ દોષરૂપ ન થતાં લાભમાં જ પરિણમે છે. તેથી ઉલટુ` કેાઈ ધનિક પેાતાની મૂળ પુજીને ગમે તેવા સ્વચ્છંદી માર્ગમાં ખર્ચે તે તેને ફાયદો થવા દૂર રહ્યો, મૂળ પુંજી પણ તદ્દન નાશ પામે. તેવી રીતે કોઈ સાધુ મનકલ્પિત બહાનું કાઢી મૂળ ગુણના અતિચારા સેવે તે તેને ભવિષ્યમાં હાનિ થાય, તે ઉપરાંત પેાતાનું પ્રથમ પ્રાપ્ત કરેલ ચારિત્ર પણ નાશ પામે. આ પ્રમાણે ઉપાધ્યાયજીએ દાખલાદલીલેા સહિત વ્યવહારનિશ્ચયનું' સ્વરૂપ વવવામાં પ્રથમ ઉલ્લાસની સમાપ્તિ કરી છે, મો ઉલ્લાસ બીજા ઉલ્લાસના આરંભમાં જ ગુરુનું લક્ષણ કરતાં ઉપાધ્યાયજી કહે છે કે જે સાધુના શુદ્ધ આચારને જાણે છે, પ્રરૂપે છે અને સ્વયં તેનું પાલન કરે છે તેને જ ગુરુના ગુણુથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy