SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કેઈ ચોખ્ખા કપડા ઉપર તેલનું બિંદુ પડ્યું, ને તે ઉપર ધૂળ લાગવાથી તેટલો જ થોડો ભાગ મેલ થયા. બીજીવાર બીજા ભાગમાં ડાઘો પડયો, ત્રીજીવાર ત્રીજા ભાગમાં આ રીતે પડતા ડાઘાઓને કાઢી, કપડાને સ્વરછ કરી લેવામાં ન આવે તે ક્યારેક તે આખું કપડું તદ્દન મેલું થઈ જવાનું. તે પ્રમાણે એક એક ઉત્તરગુણના અતિચારની ઉપેક્ષા કરવામાં આવે, તે તેવા અતિચારોની વૃદ્ધિ થવાથી ક્યારેક સંપૂર્ણ ચારિત્રરૂપ નિર્મળ વસ્ત્ર મલિન થઈ જ જવાનું. શિષ્ય કાંઈ ભૂલ કરી હોય તે વખતે ગુરુએ ગ્યતા પ્રમાણે કાંઈ પણ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. છતાં મહ કે અજ્ઞાનથી ગુરુ તેમ ન કરે તો શિષ્ય અને ગુરુ બને દોષભાગી થાય છે, અને સંસારચક્રમાં પડે છે. તેથી ઉલટું જે ગુરુ શિષ્યની ભૂલ સુધારી પિતાની ફરજ અદા કરે છે. તે ગુરુ અને શિષ્ય બને સુખી થાય છે. આ વાત સમજાવવા ઉપાધ્યાયજીએ એક રમુજી દાખલાને ઉપયોગ કર્યો છે. તે આ પ્રમાણે કેઈ બાળક સ્નાન કરી ભીને શરીરે બીજા કોઈને તલના ઢગલામાં રમવા લાગે. ભીનાશને લીધે તેના શરીર ઉપર થોડાક તલ ચેટયા. તે જોઈ તેની માએ તે તલ ખંખેરી લીધા. બાળકને રમત થઈ અને લોભ વધ્યો, તેથી ફરી ફરી તે ભીને શરીરે તે તલના ઢગલામાં પડી આળોટવા લાગ્યા. માં પણ લાલચવશ થઈ. બાળકને ન રેકતાં તલ ખંખેરી તેની વૃત્તિને ઉત્તેજન આપવા લાગી. પરિણામે આગળ જતાં એ બાળક એક મોટો ચોર થયો ને પકડાયો. રાજપુરુષોએ તેની ચેરીનું મૂળ તેની બાળપણની તલની રમતમાં અને તેની માતાના ઉત્તેજનમાં જોયું અને બનેને સખ્ત શિક્ષા કરી. એ શિક્ષાનું દુઃખ તે બાળક અને માતા બને એ ભેગવ્યું. તેવી રીતે મેહ કે અજ્ઞાનને લીધે નાની શી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરાવવામાં ન આવે તે શિષ્ય ક્યારેક મોટા દોષ કરતો થઈ જાય, અને ગુરુ પણ મેહ અને અજ્ઞાનની વૃદ્ધિને લીધે દોષપાત્ર રહે જ. એટલે પરિણામે શિષ્ય અને ગુરુ બંને કર્મના કટક પરિણામ, તે બાળક અને માતાની પેઠે ભેગ. બીજા દાખલામાં એમ છે કે, બાળક ભીને શરીરે તલ લગાડી આવ્યું, અને પહેલી જ વાર તેની માતાએ જોયું કે તરત જ તેણીએ તે બાળકને ધમકાવ્યો, ફરી તેમ કરવા ના પાડી, અને તે બાળકના શરીરે લાગેલા તલ ખંખેરી પાછા ઢગલામાં નાખી આવી. આથી બાળક ચોરી કરતાં અટક્યો, અને તેથી તે પોતે અને તેની માતા અને પ્રામાણિકપણાના માનનું સુખ ભોગવતા થયા. તેવી જ રીતે ગુરુ ચારિત્રના અનુરાગ અને જ્ઞાનદૃષ્ટિથી શિષ્યને તેની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરાવે તે શિષ્યનું હિત થવા ઉપરાંત ગુરુ પણ સન્માર્ગના મધુર ફળને અનુભવે. જે કે મૂળગુણમાં આવેલે દોષ ચારિત્રને નાશક હાઈ ક્ષન્તવ્ય નથી, છતાં તેમાંએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy