SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તે સંયમનો ભાર ઉપાડી શકાય, આગળ પ્રગતિ પણ થાય; છતાં જે તે ખંડિત ઉત્તરગુણને પુનઃ અખંડિત કરી દેવામાં ન આવે તે અનુક્રમે બધા ઉત્તરગુણ અને મૂળગુણેને હૃાસ થતાં થતાં છેવટે તે સાધુ સંચમને ભાર ઉપાડવા અને આગળ પ્રગતિ કરવા અશક્ત થાય, એરંડાના જેવા પોચા લાકડાના માંડવા ઉપર અનુક્રમે એક એક અનાજને દાણે ફેંકવામાં આવે, તો તેથી તે મંડપ ન ભાંગે એ ખરું, પણ તે દાણાઓની સંખ્યા કમે વધતાં અમુક પ્રમાણમાં બેજ થવાથી તે મંડપ કાળાન્તરે તૂટી જ જાય. તેથી ઉલટું એકાદ જ પત્થર તે ઉપર ફેંક્યો હોય, તે તેવો મંડપ તુરત નાશ પામે. તેવી રીતે ચારિત્રના મંડપ ઉપર જ એક પણ મૂળગુના અતિચારની શિલા ફેંકવામાં આવે તો તે તરત જ ભાંગી જાય. પણ જે ઉત્તરગુણના અતિચાર૫ બે ચાર દાણા ફેંકવામાં આવે તો તે મંડપ તત્કાળ ન તૂટે એ ખરું, પણ એવા અતિચારોનું પ્રમાણ વધતાં જ કાળા-તરે જરૂર તૂટી પડે. આ ઉપમાઓ દ્વારા એમ બતાવવામાં આવ્યું છે કે મૂળગુણના અતિચારથી ચારિત્રને નાશ તુરત જ થાય છે અને ઉત્તરગુણના અતિચારથી કાળાન્તરે થાય છે. ઉત્તરગુણના પ્રતિસેવનથી અનુક્રમે દોષનો સંચય થતાં થતાં કાળાન્તરે સર્વથા ચારિત્રને નાશ થાય છે, એ વાત સમજાવવા બીજી પણ ચાર ભાવપૂર્ણ ઉપમાઓને ઉપગ કરેલ છે. તે આ પ્રમાણે-- નીકથી બગીચામાં પાણી જતું હોય ત્યારે બગીચો લીલોછમ રહે છે. અચાનક તે નીકમાં એકાદ તણખલું પડ્યું, વળી ક્યારેક તેમાં બીજા કોઈ કચરાનો ઉમેરો થયો, આ વધતા જતા કચરાને કાઢી નાખવામાં ન આવે તો ક્યારેક એવો પ્રસંગ આવે કે, કચરાને લીધે નીકમાં વહેતું પાણું અટકે અને બીજો માળ લે. પરિણામે બગીચે સુકાઈ જાય અને તેની શોભા ચાલી જાય. તેવી રીતે ઉત્તરગુણમાં લાગતા દો ન જેવા જણાયા છતાં તેનું સંશોધન પ્રથમથી જ કરવામાં ન આવે તો અનુક્રમે તે દે એવા વધી જાય છે, જેથી સંયમજળની ગતિ અટકે અને ચારિત્રને બગીચો સૂકાઈ સુંદરતાહીન થઈ જાય. ગાડું હોય કે મંડપ, તે ઉપર એક એક અનાજને દાણો મૂકવામાં આવે તો તે દાણુઓ અમુક વખત સુધી જરૂર તે ઉપર સમાતા જાય. પણ એ રીતે દાણું મૂકવાનો ક્રમ ચાલુ જ રહે, તો ક્યારેક એ પણ સમપ આવે કે જ્યારે મૂકાયેલા છેલ્લા દાણાને લીધે તે ગાડું કે માંડવે ભાંગી જાય તેવી રીતે એક એક ઉત્તરગુરુને અતિચાર સૂક્ષમ હાઈ તેનાથી ચારિત્રને નાશ તત્કાળ ન થાય. પણ જે ઉત્તરગુગના અતિચારો અનુક્રમે વધતા જ જાય, તો કયારેક તે અતિચારના ભારથી ચારિત્રરૂપ ગાડું કે મંડપ જરૂર બેસી જ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy