SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવગુરુ હોઈ શકે. ક્ષમા આદિ કેટલાક ઉત્તરગુણે ન હોવા છતાં પંચમહાગ્રત રૂપ મૂળગુણે અખંડ હોય તે તેનામાં ચંડરુદ્રાચાર્યની પેઠે ચારિત્ર માની શકાય અને અખંડ મૂળગુણવાળા પુરુષો આજે પણ દુર્લભ નથી જ. તેથી ગર૭પતિની દુર્લભતાની દલીલ નકામી છે. (૯) અનેક કલ્પિત સામાચારીઓ અત્યારે દેખાય છે ખરી, પણ શાસ્ત્રાચાર લુપ્ત નથી થયો. આજે પણ તે અખંડ રીતે ચાલતી પરંપરામાં, જેનારને જડી આવશે. (ચ) પ્રથમ જેવા વિશેષજ્ઞ પ્રાયશ્ચિત્ત આપનાર અને પ્રથમ જેવા જ વૃતિસંયમસંપન્ન પ્રાયશ્ચિત્ત લેનાર આજે નથી. એટલું ખરું, છતાં પ્રાયશ્ચિત્તને છેક જ અભાવ નથી. સમયાનુસાર પ્રાયશ્ચિત્ત લેનાર અને દેનાર બંને પ્રત્યક્ષ દીસે છે. સમયાનુસારી પ્રાયશ્ચિત્તવિધિ પણ દેખાય છે. તેમ જ ગેડી પણ તેની વિધિ જાણનાર ગીતાર્થ નિર્યાપક દીસે છે. એથી વ્યાવહારિક ચારિત્રને પક્ષપાત છોડે એ યોગ્ય નથી. વસ્તુવિશારદ ઉપાધ્યાયજી પોતાના વક્તવ્યને સ્પષ્ટ કરવા જગાએ જગાએ આગમપ્રસિદ્ધ દાનત (ઉપમાઓ)નો ઉપયોગ કરે છે. આ ઉપમાઓ ભાવપૂર્ણ હોઈ બૌદ્ધ પિટકમાંની મરમ ઉપમાઓની યાદ આપે છે. તેમાંની કેટલીક આપણે અહીં નમૂનારૂપે જોઈએ. મૂળગુણના અતિચારદોષથી અને ઉત્તરગુણના અતિચારદોષથી થતા ચારિત્રનાશમાં શું તફાવત છે એ બતાવવા ઉપાધ્યાયજીએ મશક, ગાડું અને મંડપના દાખલા આપ્યા છે. તેઓ કહે છે કે–એક મશક જેને પાંચ મોટાં દ્વાર હોય, તેમાંનું એક પણ દ્વાર ખુલ્લું રહે, તે તેમાં રહેલું બધું જળ એકદમ નીકળી જાય. તે બધાં દ્વાર બંધ હોય અને માત્ર કોઈ નાનું કાણું જ પડયું હોય, તો તે દ્વારા પાણી નીકળે, પણ તે ધીરે ધીરે. તેવી રીતે પાંચમાં એક પણ મૂળગુણ ખંડિત થાય તો ચારિત્રરૂપ જળ તત્કાળ ચાલ્યું જાય. પણ જો એકાદ ઉત્તરગુણમાં ખામી આવે, તે તે ખામી વધતાં વધતાં ચારિત્રનો નાશ કાળાન્તરે થાય. ગાડીને દાખલે એમ સમજવાને છે કે–ગાડીને અનેક અંગે હોય છે. તેમાં બે ચક, બે ઉઘ અને એક ધરી એ પાંચ અંગે મુખ્ય અને બાકીનાં ગૌણ છે. જે બધાં મુખ્ય અંગે અગર તેમાંનું એક ખંડિત થાય, તે તે ગાડી તરત જ એવી બની જાય, કે જેથી તે ન તો ભાર ઝીલી શકે અને ન તો રસ્તા ઉપર ચાલી શકે. તેવી રીતે જે સાધુના બધા અગર એકાદ મૂળગુણ નાશ પામે તો તે સાધુ તરકાળ સંયમનો ભાર ઉપાડવા અને આગળ પ્રગતિ કરવા અશક્ત જ થઈ જાય. તેથી ઉલટું જેમ ગાડીના ઉક્ત પાંચ સિવાયનાં બીજાં અંગો ખંડિત થયાં હોય તે અમુક વખત સુધી ગાડી કામ આપે. પરંતુ જે તે ભાંગેલ નાનાં અંગે પણ સુધારી દેવામાં ન આવે, તે છેવટે ઘસાતાં ઘસાતાં તે ગાડી કામ લાયક ન રહે. તેવી રીતે કઈ એકાદ ઉત્તરગુણ ખંડિત થયે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy