SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ વધી જાય છે અને માને કે છોકરીને જન્મ થયે તે પછી એકદમ દુખી થાય છે, જાણે કે હિમાલયને પહાડ તૂટી પડયે, દચ્છિા વિરૂદ્ધ કાર્ય થતાં દીવેલ પીધા જેવું મોડું થઈ જાય છે. મારવાડના કોઈ દેશમાં રિવાજ છે કે છોકરાને જન્મ થાય તો થાળી વગાડે અને છેકરીને જન્મ થાય તે સુપડું વગાડે. આટલી અરતિ શા માટે થઈ? જેની ઈચ્છા ન હતી તે થયું માટે અરતિ થઈ અરે આ બધું કર્માધીન છે તેમાં આટલા રાગ-દ્વેષ શા માટે કશ્યા જોઈએ? રતિભાવ એ રાગની પૂર્વાવસ્થા છે. જેવી રીતે ગાડી આવે છે ત્યારે એંજીન પહેલાં આવે અને પછી ડબ્બા આવે છે માત્ર બંને વચ્ચે ત્રણ-ચાર કુટનું જ અંતર છે બસ તેવી જ રીતે રતિની પાછળ રાગ આવે છે અને અરતિની પાછળ દ્વેષ આવે છે. માટે જન્માદિ પ્રસંગે છોકરાકરીને નિમિત્ત બનાવીને શા માટે નિરર્થક રતિ–અરતિનું સેવન કરવું ? ૩૨ છોકરા મરી ગયા તે પણ અરતિ નથી થઈ. મહાસતી સુલસા જેવી પરમ શ્રાવિકાને કોઈ સંતાન નથી. પતિદેવ નાગસારથિ એ ઘણા પ્રયત્ન પછી દૈવી સાધનામાં સફળતા પ્રાપ્ત કરી અને દૈવી ફળ ફુલસાને ખવડાવ્યું. ગાનુયેાગ ભવિતવ્યતા વશ સુલસાએ ૩૨ બાળકોને જન્મ આપ્યો. આ ૩૨ સંતાન મગધ સમ્રાટ શ્રેણિકના અંગરક્ષક બન્યા, વીર યૌદ્ધા બન્યા. ચેડારાજાના યુદ્ધમાં બત્રીસે પુત્રે મરી ગયા. જ્યારે આ સમાચાર સુલતાને મળ્યા ત્યારે વિચારે કે એને શું થયું હશે ? આપણી કલ્પના કરતાં બીજી જ ઘટના બની. સુલસાએ અંશમાત્ર પણ કલ્પાંત કર્યું નથી. ૩૨ પુત્ર ન હતા ત્યારે પણ કોઈ અફસ, દુઃખ, ચિંતા, અરતિ ન હતી અને ૩૨ પુત્રે થઈ ગયા તે પણ કેઈ હર્ષ, આનંદ નથી. તેણે રતિ-અરતિને ભાવ જ રાખે નથી. ઠીક છે, સંસાર છે સારું-ખરાબ, સંયોગ વિયેગ બધું જ થઈ શકે છે. સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જન્મ લે છે. કર્મની વિચિત્રતાવાળો આ સંસાર છે. સંસારમાં આવું નહીં થાય તો બીજે કયાં થશે? આ દૃષ્ટિથી તેણે મનને સમજાવી લીધું. આના ઉપરથી બેધ લેજે કે અનુકુળતામાં રતિ રાખવી અને પ્રતિકુળતામાં અરતિ રાખવી. આ બંને અવસ્થા દુઃખદાયી છે. અરતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001502
Book TitlePapni Saja Bhare Part 17
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy