SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૧ દુખદાયી છે. એ તે બધાને સમજાય છે. પણ રતિ એ પણ કલેશ કરનારી છે એ તે જ્ઞાની જ સમજી શકે. રતિ-અરતિને પાપ શા માટે કહેવાય છે? કદાચ તમારા મનમાં પ્રશ્ન થશે કે રતિ-અરતિને પાપ શા માટે કહેવાય છે? આ તે સાંસારિક જીવને સમયાનુસાર, નિમિત્તા કે પ્રસંગવશ કે પરિસ્થિતિવશ મનમાં ઉપસ્થિત થતા વૈચારિક ભાવ છે એમાં પાપ શું ? અનુકુળ પરિસ્થિતિમાં, સંચાગમાં આનંદ થે એ તો સ્વાભાવિક ભાવ છે અને તે જ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં, સંયોગમાં અરતિ, અપ્રીતિ થવી કે દુઃખ થવું એ સ્વાભાવિક છે. એમાં પાપને પ્રશ્ન જ કયાંથી સંભવે ? તમારો પ્રશ્ન ઠીક છે - હવે તમે થોડા ધ્યાનથી વિચાર કરે. અહીં કો વિષય છે? આત્મા મૂળભૂત ચેતન તત્વ છે. અનન્તજ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણવાન ચૈતન્ય છે. પિતાનું મૂળભૂત પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કર્મના આવરણથી ઢંકાઈ ગયું છે. આચ્છાદિત થયું છે. આવી કર્મમળથી અશુદ્ધ ચેતનાને આપણે કર્મબંધનથી મુક્ત, સિદ્ધ, બદ્ધ બનાવવી છે અને એના મૂળ નિવાસસ્થાન સીદ્ધિધામ મેક્ષમાં સ્થાપન કરવી છે. એટલે કે સંસારમાં કર્મના બંધનથી રહિત કરવી છે, હવે તમે એ તે જરૂથી માને છે કે કર્મબંધનું કારણ પાપ પ્રવૃત્તિ છે. આમાં કર્મ ક્ષયના માટે પોતાના હિતમાં જે કાંઈ કરે તે ધર્મ છે. લાભદાયી છે. અને કર્મબંધ કરનારી પ્રવૃત્તિ આત્મા માટે અહિતકારક છે, નુકશાન કારક છે. અનન્ત સુખનો સ્વામી સચ્ચિદાનંદ વરૂપ તો આત્મામાં છુપાયેલું પડયું છે. હવે તેને બાહ્ય પદાર્થોમાં સુખ માનવાની જરૂરીયાત જ કયાં છે? અને બાહા જડ પદાર્થોના સંચય સંગ્રહમાં આત્માને સુખ માનવાની કયાં જરૂર છે? અને તેને પ્રાપ્ત કરવાની પણ જરૂર નથી. આત્મા પોતાનું મૂળ સ્વરૂપ ભૂલીને અથવા છેડીને કે પરપદાર્થ કે બાહ્ય વસ્તુ કે વ્યક્તિમાં શા માટે રાગી બને છે? આ પ્રવૃત્તિ શું આત્માને હિતકારી છે? ના, કયારે ય નહી. અને તેથી કમને બંધ થાય છે. આ પાપ પ્રવૃતિ છે, આવી ૧૮ પ્રકારની પાપ પ્રવૃત્તિઓ બતાવાઈ છે, એમાં ૨તિ–અરતિનું સ્થાન પંદરમું છે, પર પદાર્થ પ્રત્યેનું આકર્ષણ કે અપાકર્ષણ શું આત્મા માટે હિતકારી છે? આ પ્રવૃત્તિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001502
Book TitlePapni Saja Bhare Part 17
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy