SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૧ એમાં કાઢવાની શી જરૂર? મેં તેને સારી શિખામણ આપી હતી. ઉપદેશ આપતા કહ્યું હતું. એમાં શું થઈ ગયું? ભાઈ વિમાસણમાં પડી ગય.....અરેરે ...? પત્ની ને પાછી ઘરમાં રાખી અને પૂર્વવત્ પ્રેમથી રહેવા લાગ્યા. પરંતુ માયાપૂર્વક કપટવૃત્તિથી આ નાટક કરવામાં બહેને અભ્યાખ્યાનનું પાપ સેવીને ભારે ચીકણા કર્મ બાંધ્યા. કાળાન્તરે બીજી વખત પિતાનો બીજો ભાઈ પણ પિતાને કહ્યાગરે છે કે નહીં? તે જોવા માટે તેની પણ પરીક્ષા કરવાની બુદ્ધિથી તેની પાની પણ સુવા જતી હતી ત્યારે જોરથી એવી રીતે કહ્યું કે ભાભી! વધારે તે તને શું કહે ? હાથ બરાબર સાચવવા અને ચકખા રાખવા! બસ આટલામાં સમજી જાઓ. વધારે નથી કહેવું. ભાભીને કહેવાતી આ વાત ભાઈએ પણ સાંભળી અને તેને શંકા પડી કે કદાચ મારી પત્નીની ચોરી વગેરે કરવાની આદત હશે ? કયાંયથી કંઈ ચોરતી હશે? એટલે જ બહેને આવી રીતે કહ્યું હશે? આવી શંકા મનમાં થવાથી રાત્રે પત્નીને ખૂબ મારપીટ કરી, અને ઘરમાંથી કાઢી મૂકી. પની પિતાને પિયરે ગઈ. ૪-૬ દિવસ સુધી ભારે કલહ કંકાસનું વાતાવરણ રહ્યું. નિરર્થક દષારોપણના કારણે ભાભી રડી-રડીને દિવસો. પસાર કરવા લાગી. પિતાના ભાઈની પરીક્ષા કરી રહેલી બહેને જોયું કે ભાઈ પણ કહ્યાગરે તે છે. મારા પાસા સીધા પડે છે. હું ધારે એવી સ્થિતિ નિર્માણ થાય છે. ભાભીને થોડા દિવસ પછી પિયરેથી બેલાવી અને ભાઈ સામે લઈ જઈને પૂછ્યું કે ભાઈ ! શા માટે ભાભીને કાઢી મૂકી છે? કેમ બેલતા-ચાલતા નથી ? શું વાત છે...? ત્યારે ભાઈએ સામેથી કહ્યું કે તમને જ કહેતા મેં સાંભળી છે કે... હાથ ચોખા રાખવા વગેરે વાતનું કારણ વ્યક્ત કરતા ભાઈએ ખુલાસો કર્યો. ત્યારે બહેને કહ્યું કે એમાં શું થયું? એ તે ફક્ત શિખામણ આપતા કહ્યું હતું ! એને તમે સાચા અર્થમાં દેષરૂપે માની લીધું અરેરે..એમ કહીને ફરીથી માયા-કપટ કરતી વાત ફેરવવા માંડી. આ રીતે બને ભાઈએ કહ્યાગરા છે કે નહીં તેવી પરીક્ષા કરવા માટે ભાભીઓ. ઉપર દેષારોપણ કરતા શબ્દોને શિખામણનું રૂપ આપીને અભ્યાખ્યાનનું પાપ સેવ્યું અને ભારે ચીકણા કર્મો બાંધ્યા. પાપ નાનું હોય છે પણ કર્મ મેટું ભારે બંધાય છે. અભ્યાખ્યાનમાં આક્ષેપ-આરોપ કરવાનું પાપ ભલે અ૫ ૨ મિનિટનું હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy