SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૬પર છે. જેમાં અળસીયા, કીડી, માંકડ, મંકોડા, માખી, મચ્છર, દેડકાં વગેરે જેને સમાવેશ થાય છે. આ છ મન રહિત છે. ઘેડ– ગધેડા, હાથી, ઊંટ વગેરે પશુ-પક્ષી, મનુષ્ય, દેવ-નરકમાં સંજ્ઞિ પંચેન્દ્રિય જીને મન સહિત ત્રણે સાધને મળ્યા છે. તેથી જીવ મન -વચન-અને કાયાના ત્રિકોણમાં રહે છે અને એના દ્વારા વ્યવહાર કરે છે, પ્રવૃત્તિ-ક્રિયા કરે છે. જેવી રીતે મનથી વિચારવાનું કામ કરે છે. શરીર-કાયાથી ચાલવું, ઊઠવું, ફરવું, ખાવું, પીવું, આવવું, જવું, સૂવું વગેરે જુદી જુદી પ્રવૃત્તિ કરે છે અને વચન વેગથી વાણીને વ્યવહાર, બેલવાની પ્રવૃત્તિ કરે છે. જોકે બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પશુ-પક્ષીના જીવોને પણ વચનામ મળ્યો છે અને તેઓ પણ વાણી વ્યવહાર કરે છે. પરંતુ તેઓની વચન વ્યવહારની ભાષા મર્યાદિત છે. તેઓ એક-એક પ્રકારના મર્યાદિત ઉચ્ચારોથી વધારે બોલી શક્તા નથી. આથી વચન વ્યવહારની પ્રવૃત્તિ ત્યાં ઓછી છે, મર્યાદિત છે, અવ્યક્ત અસ્પષ્ટ છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે સમાજ અને પરિવારની વચ્ચે રહે છે. તેથી સામાજિક સંબંધેનું પાલન કરવું તેને માટે અનિવાર્ય છે. સમાજમાં સ્નેહી, સંબંધી, ઈષ્ટ મિત્રવર્ગ વગેરે સાથે વ્યવહાર કરવા માટે મનુષ્યની પાસે વચનગ જ પ્રબળ સાધન છે. જો કે મને યોગ તા પિતાને જ વિચારવાના કામમાં આવે છે. કાયા- કાગ શારીરિક પ્રવૃત્તિમાં કામ આવે છે. તેથી (અન્ય) પર–બીજાની સાથેના વ્યવહારમાં વચનગ જ વધારે કામ આવે છે એ સ્વાભાવિક છે. વચનામની પ્રવૃત્તિથી વાણીને વ્યવહાર થાય છે. જેમાં ભાષાને પ્રયોગ કરવામાં આવે છે. જે બીજાની સાથે કેઈ સંબંધ જ ન હોય અને કંઈ કામ જ ન હોય તે બીજી વ્યક્તિ પાસે હોવાં છતાં બોલવાની આવશ્યકતા જ હોતી નથી. પરંતુ સમાજમાં કેઈની પણ સાથે બોલ્યા વગર મનુષ્યને વ્યવહાર ચાલી જ નથી શકતા. તેથી ભાષા બેલીને વ્યવહાર કરે સમાજમાં આવશ્યક છે. મનેગના વિચારને બીજાની સામે વ્યક્ત કરવાનું માધ્યમ ભાષા છે અને ભાષાના પ્રયોગનું કાર્ય વચનગ કરે છે. બીજાની સાથે વ્યવહાર વચનોગથી જ થાય છે તેથી ભાષા બોલાવી પડે છે. ભાષા એ આપણા ભાવનું પ્રતિબિંબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy