SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ६७४ શાસ્ત્રમાં અનુપાનનું મહત્વ વધારે છે. ચરક રાષીએ ચરકસંહિતાના ગ્રંથમાં જણાવ્યું છે કે, “જેઓ પથ્યપાલન કરે છે. તેમને ઔષધની જરૂર નથી (કારણ કે પથ્યપાલનથી જ રેગમુક્તિ થશે) અને જેઓ પથ્યપાલન કરતાં નથી તેઓને પણ ઔષધની જરૂર નથી (કારણ કે તેઓને કુપથ્યના કારણે તે ઔષધ ગુણકારી બની શકતું નથી.)” આયુર્વેદના આ સિદ્ધાંતને અધ્યામમાં અપનાવી શકાય તે ધરતી પર સ્વર્ગનું અવતરણ થઈ શકે! સામાયિક, જીનેંદ્ર પૂજા વિગેરે ઉ ત્તમ અનુષ્ઠાન કરતી વ્યક્તિઓએ આવા અભ્યાખ્યાન જેવા પાપને પડછાયે સેવ પણ ઉચિત નથી. અભ્યાખ્યાનના મૂળમાં અહંની વૃત્તી છે. ત્કર્ષ અને પરોપકર્ષના વિચારોથી આનું સેવન થાય છે. જે જીવમાત્ર પ્રત્યે સ્નેહ પરિણામ જાગે તે આવા પાપોથી અટકવું સુકર બને. ઈન્દ્રલોકની બદલે નિદ્રાલેક લૌકિક ગ્રંથોમાં ફેટવાદના પ્રસંગ પર અભ્યાખ્યાની સંબંધી એક પ્રસંગ બહુ જ વિચિત્ર આવે છે. વિપરીત ભાષાનું આરોપણ કંઈ રીતે કર્યું? એ બતાવ્યું છે. વાત એમ છે કે કુંભકર્ણ ઈલેકની પ્રાપ્તિને માટે તપશ્ચર્યા કરી રહ્યો હતો. તપશ્ચર્યા એટલી કઠોર કરતે હતું કે તેણે ઇલેક મળવામાં કોઈ શંકા જ ન હતી. તેને સાધનામાંથી ડગાવનાર, ચલાયમાન કરનાર કે પાડનાર કેઈન હતું. આ કઠોર તપશ્ચર્યા સાધના પછી ભગવાન શંકર પાસે વરદાન માંગવાનું હતું અને તે વરદાનમાં ઈન્દ્રલોક માંગવાનું હતું. તપશ્ચયાં એટલી કઠોર હતી કે ભગવાને ઈન્દ્રલેક આપ જ પડે. પરંતુ હવે શું કરાય? પૃથ્વી પરને માનવી જે ઈન્દ્રલેક નીચે ખેંચી જાય તો તે અનર્થ થઈ જાય? એવા સમયે સરસ્વતી દેવી આવી. તેણે વિચાર્યું કે સારે મેકે છે. જ્યારે આ કુંભકર્ણ ભગવાન શંકરની પાસે જશે અને વરદાન માંગશે ત્યારે તેની જીભ ઉપર બેસીને ઈન્દ્રલેકને નિદ્રાલેક કરાવી દઈશ અને તેમ જ કર્યું. તપશ્ચર્યાની પૂર્ણાહુતિ પછી ભગવાન શંકરની પાસે વરદાન માંગવાના સમયે મોઢામાંથી નિદ્રાલેક શબ્દ જ નીકળે અને મહાદેવે “તથાસ્તુ' કરીને આશીર્વાદ આપ્યા. હવે શું થઈ શકે? કુંભકર્ણ નિદ્રાધીન થઈ ગયા અને એવી નિદ્રામાં પડયો રહેતો હતો કે કુંભકર્ણની નિદ્રા ચારે બાજુ પ્રસિદધ થઈ ગઈ જ્યારે નિદ્રામાંથી જાગીને પુનઃ મહાદેવ પાસે ગયો અને વાત કરી હે પ્રભુ! હું તે ઈન્દ્રલોક ઈચ્છતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy