SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૩ આક્ષેપ વગેરે કરવાથી આવા કર્મો બાંધે છે. જેના ઉદયથી અજ્ઞાની, મંદ મતિ, મુખગી, કુષ્ટરોગી વગેરે બનવું પડે છે. મેહનીય કર્મને પણ વધારે બંધ થાય છે. જેના ઉદયથી તીવ્ર કષાયની વૃત્તિવાળા, ક્રોધ–કપટી વગેરે બને છે અને અંતરાય કર્મના બંધના ઉદયથી શક્તિહીન, ઓછી શક્તિવાળા અને દાનલાભાદિના અંતરાયવાળા અને છે. આખરે થોડા સમય માટે કરેલ આક્ષેપ-આરોપોના કારણે ભયંકર કર્મો બાંધીને વર્ષો સુધી અથવા જન્મ-જન્માક્તર સુધી દુખી થવું? એ કર્મની સજા કેટલી ભારે છે? અભ્યાખ્યાનનું પરિણામ અજ્ઞાની-અવિવેકી છે જે આવા અભ્યાખ્યાન સેવનની ટેવથી લાચાર છે. “ફુરણ પામે તે અનંતોની”—તેઓ અનંત દુઃખને પામે છે. કેટલાક વાચાળ કે, વધારે પડતું બોલવાવાળા લેકેને તે અભ્યાખ્યાન સેવનનું વ્યસન જ પડી જાય છે. કંઈ લેવાનું નહીં અને આપવાનું નહીં છતાં પણ નિરર્થક પાપ કર્મ બાંધવાની આ પ્રવૃતિ છે. આ વૃત્તિથી(ટેવથી જે લોકે વધારે કલંક આપે છે તે છે તેવા કલંકને અનેક જન્મમાં પ્રાપ્ત કરે છે. “જેવું કરીએ તેવું જ ફળ મળે” એ કર્મ સત્તાને નિયમ છે અને કયારેય ભૂલવું ન જોઈએ. જે આ એક વાકય પણ ધ્યાનમાં રાખીએ તે ઘણા પાપ કરવાના છેડી દઈએ. પરંતુ જેઓને કર્મસત્તા પર વિશ્વાસ નથી તેવા લેકે ઘણા છે. જો કે જવ, ગત જન્મના પાપોના ફળને ભેગવતે દુઃખી દુઃખી થઈ રહ્યો હોવા છતાં તેને કોઈ દિવસ વિચાર જ આવતો નથી કે આ કેનું ફળ છે ? પૂર્વ કૃત કર્મનું આ પરિણામ છે એ ખ્યાલ જ આવતું નથી. જો કે કર્મને ઉદય તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે છતાં જીવ વિવેકી બનતે. નથી, પાપથી નિવર્તમાન પરિણામવાળો થતો નથી અને અભ્યાખ્યાની કેટલાય પાપનું સેવન કરી લે છે. જીવ અર્થદંડ કરતાં અનર્થદંડના પાપથી વધુ દુઃખી થાય છે, નિરર્થક પાપોનું સેવન વધારે કરે છે અને આ જીવ ભવિષ્યની ભવપરંપરામાં અનેક જન્મ સુધી દુ:ખી થાય છે. આવા સુકૃત શુભ કાર્ય, ધર્મધ્યાન, તપ, ત્યાગ વિગેરે ઔષધનું સેવન ત્યારે જ ગુણકારી બની શકે છે જયારે પશુન્ય, અભ્યાખ્યાન, પર–પરિવાદ વિગેરે અપશ્ય સ્વરૂપ પાપને ત્યાગ કરવામાં આવે. વૈદક : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy