SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૯ છે. જાગૃત આત્મા માટે કોઈપણ સગો બાધક નથી અને વિવલ. કાયર આત્મા માટે કઈ પણ સંગે સાધક નથી. ઉત્તમ નિમિત્તો પણ તેના માટે નિષ્ફળ બને છે. દેવ-ગુરૂનું આલંબન આપણે જે ભાવે લઈએ તે ભાવે આપણું કલ્યાણ થાય છે. “બાવીસ વર્ષ વિગે રહેતી પવનપ્રિયા સતી અંજના રે” પુરૂષને માટે રાજપાટ, વેપાર વૈભવમાં એકલવાયું લાગતું નથી. પણ સ્ત્રીને ચાર દિવાલોની વચ્ચે આ રીતે રહેવાનું થાય તે શું થાય? પણ સમ્યકત્વને દીપક ઝળહળતે છે એવી અંજના પિતાને કમેને શાંત સ્વીકાર કરીને જીવી રહી છે, એક વખત પવનંજ્ય યુદ્ધ માટે ગયા છે અને માનસરોવરના કિનારે એકવાર સંધ્યાના સમયે પવનંજ્ય પોતાના મિત્રની સાથે બેઠો હતો ત્યાં ચક્રવાક અને ચક્રવાકીની કીડા જોઈ રહ્યો હતે. એકાએક ચકવાક ઉડી ગયું અને બિચારી કેવાકી વિરહ વેદનામાં દુઃખી થતી તરફડવા લાગી. આ દશ્ય જોઈ આશ્ચર્ય પામેલા પવન મિત્રને પૂછયું, અરે ! આ શું થયું? ત્યારે મિત્રે કહ્યું કે આ તો પતિ વિયોગના કારણે વિરહની વેદના કરતી ચક્રવાકી બિચારી મૃતપ્રાયઃ થઈ રહી છે. પ્રેમના કારણે પ્રિયતમાને વિગ એને અત્યંત સતાવે છે. મિત્રના આ શબ્દો સાંભળીને પવન એકાએક વિચારમાં ખોવાઈ ગયે એને અંજના યાદ આવી અને ભૂતકાળમાં ડોકીયું કરવા લા. અરે, આ ચકવાથી પક્ષીની જાત છે છતાં એક ક્ષણ પણ પતિના વિચાગમાં રહી શકતી નથી તે અંજના મારા વિચાગમાં ૨૨ વર્ષો સુધી કેવી રીતે રહી શકી હશે ? એને કેવું દુઃખ થયું હશે ? આ વિચારીને પવનંય આકાશગામિની વિદ્યાથી આકાશમાગેથી જ વાયુવેગથી સીધા રાત્રીના સમયે અંજનાના શયનખંડમાં પહોંચી ગયા. અત્યારે આટલા દીઘ વિયાગ પછી તમને આ એકાએક સમાગમ થયેલ હોય તે તમે શું કરો ? સીધી ફરીયાદની વર્ષા વરસાવો કે આવી રીતે વગર વાંકે કેમ છેડી દીધી? સાથે રહેવું ન હતું તો પરણ્યા શું કરવા? કેઈની જીંદગી જોડે જુગાર રમવાને તમને શું અધિકાર છે? આવી રીતે અનેક પ્રશ્નોની ઝડી તમે વરસાવી હત! પણ આ તે બુદ્ધિ જીવીતાની નીપજ છે, અંજના તે બુદ્ધિશાળી હતી. તેણે તે કર્મના ગણિત વાંચેલા હતા. તેનામાં તેને શ્રદ્ધા હતી તેથી પવનય જ્યારે આવ્યા ત્યારે અંજનાએ ઉષ્માભર્યું સ્વાગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy