SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પવનંજ્ય જેવો તરવરીય યુવાન મળ મુશ્કેલ છે ત્યારે બીજી બેલી કે નારે “ના, વિદ્યુતમાલી પણ કંઈ કમ ન હતે. વળી તે વૈરાગી હતું, ઉત્તમ હતું અને ચરમ શરીરી હતું. ત્યારે બીજી સખી તેની વાત કાપી નાખતાં કહે છે કે વરણાગીના સ્થાને વૈરાગીની કેટલી કિંમત? આપણે રાગી હેઈએ અને સામેનું પાત્ર વૈરાગી હોય તે રેજની મુસીબત ! આપણે પીકચર જેવા જવું હોય અને તેને પૌષધ કરે છે તે શી રીતે ફાવે? એના કરતાં તે આપણને આ જ પસંદ છે. ત્યાં વળી કેઈક સખી બોલી કે અરે ઉત્તમની સાથે વસતા આપણામાં પણ ઉત્તમતા આવી શકે છે એટલે વાતને બધી રીતે વિચારવી જોઈએ હવે આ બધી વાત બારણાની તિરાડમાં ઉભેલા પવનં સાંભળે છે અને ત્યાં જ તેને ખોટું લાગ્યું. કે અંજના કેમ મૌન છે? એણે કહેવું જોઈતું હતું કે ના, આ જ લગ્ન મને મંજૂર છે. પણ તે મૌન રહી તો ચોક્કસ એને વિદ્યુમ્ભાલી જોડે કુણી લાગણી હશે. ખેર હવે એને બતાવી દઈશ. બસ અહીં ગાંઠ બાંધી અને નકકી કર્યું કે હવે એની જોડે બેલવું જ નથી. હવે આ પ્રસંગમાં અંજનાને કઈ પણ વાંક દેખાતું નથી. લજજાથી મૌન રહેલી અંજના વિષે પવનંચે છેટું આળ ચડાવ્યું, આપ મૂકો અને અભ્યાખ્યાનથી ન અટક્તા સજા કરી. બીજે દિવસે વિધિપૂર્વક લગ્ન થઈ ગયા, પણ આ તે નામના જ લગ્ન હતા. પવનંજ્ય તે વૈરની વસૂલાત કરવાના વિચારમાં મક્કમ હતા લગ્ન પછી એક પણ વાર તે અંજનાને મળ્યો નથી, છેડી દેવાનું, તરછોડી દેવાનું કોઈ કારણ બતાવ્યું જ નથી. મળવાની વાત જ નથી. આવા સંગમાં અંજના સતીએ બાવીસ વર્ષે વિરહાગ્નિમાં વીતાવ્યા છે. આ મહાસતીને બદલે આજની મેડન શિક્ષિત યુવતી હોય તો ૨૨ દિવસ કે ૨૨ કલાક તે શ, પણ ૨૨ સેંકડનો પણ વિરહ સહન ન કરી શકી હેત ! પણ જીનાગમમાં કર્મની ફીફીના પાન જેણે ગળથૂથીથી કર્યા છે. એવી અંજનાએ સમતાથી પરિસ્થિતિને સ્વીકાર કર્યો. તે સમજે છે કે કર્મના ઉદય અને સત્તા પાસે આભા પરાધીન છે. પણ બંધ અને ઉદીરણામાં આત્મા સ્વાધીન છે. કર્મ તમને શુભાશુભ સંજોગે આપી શકે છે. બસ, એનાથી વધારે આપવાની એની તાકાત નથી. તે શુભાશુભ સંજોગોમાં સુખી કે દુઃખી બનવું, આર્તધ્યાન કરવું કે ધર્મધ્યાન કરવું એ આત્માની જાગૃતિ ઉપર આધાર રાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy