SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ६७० કર્યું. પવનંય હજી ખચકાટ અનુભવે અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા તત્પર બને છે. પણ અંજના ના પાડે છે કે તમારે કઈ વાંક નથી આ તે કર્મની લીલા છે, કર્મ કરે તે થાય છે. મારા કર્મનું પાંદડું ખસી ગયું તે તમને અહીં આવવાનું મન થયું ! સ્વામીનાથ ! તમે તે નિમિત્ત માત્ર છે. ઉપાદાન કારણ તે મારા કર્મ જ છે. જીવ આ વાત સમજતો નથી માટે આનંધ્યાન કરે છે. આપણી ડોલ કાણું છે માટે કુવામાંથી પાણી આવતું નથી. કુવા બદલવાથી ડોલ ન ભરાય. ડોલ બદલવાથી તે ભરાઈ શકે છે. એમ જગતના નિમિત્ત બદલવાથી વાતાવરણ બદલાશે નહી. આપણા કર્મો બદલાશે ત્યારે વાતાવરણ બદલાશે-બંને વચ્ચે સમાધાન, પ્રેમનું વાતાવરણ સર્જાયું. રાત ત્યાં રહ્યા પછી સવારે યુદ્ધના મેદાનમાં પહોંચવા માટે પવનંજ્ય ત્યાંથી પાછો ફરે છે ત્યારે અંજનાએ કહ્યું કે, સ્વામીનાથ! કદાચ હું માં બનું તે? તમે અહીં આવ્યા હતા તેની સાક્ષીરૂપે મને કંઈ આપતા જાવ અને મા-બાપને મળતા જાવ. પવનંજ્યને મોડું થતું હતું તેથી વીંટી આપીને ચાલ્યા ગયા. અંજના ગર્ભવતી બની. આ જોઈને સાસૂમ સસરા તે હેબતાઈ ગયા પુત્રના વિરહમાં પુત્રવધુનું આ લક્ષણ જોઈને તેઓ દુઃખી થયા અને અંજના ઉપર કુલ્ટાને આરોપ મૂક્યો. અંજનાએ વીંટીની વાત રજૂ કરી પણ કેઈએ તે માની નહીં બીજા ઉપર આરોપ મૂકતાં જીવ વિચાર કરતો નથી. અભ્યાખ્યાનથી ઘોર કમ બાંધી લે છે. અંજનાને ઘરમાંથી કાઢી મૂકી. અસહાય દશામાં માતાપિતા પાસે ગઈ પણ સંસ્કૃતિના રક્ષકએ આવા કાર્યમાં ઉત્તેજન ન આપ્યું, તેને સ્વીકારી નહી. આજે આ પ્રસંગથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ કે આપણી કઈ પણ ચેષ્ટાથી કુવૃત્તિઓને ઉત્તેજન ન મળવું જોઈએ. જો કે અહીં તે વાત જુદી હતી. છતાં કેઈ ને ખબર નથી કે અંજના સતી છે, નિર્દોષ છે. અંજના દાસીની સાથે જંગલમાં ગઈ અને ત્યાં કાળ વીતાવ્યા. એગ્ય સમયે બાળકને જન્મ થયે. જંગલમાં જ્ઞાની ગુરૂ મળ્યા. અંજનાને પોતાના દુઃખનું કારણ પૂછયું. ગુરૂદેવે કહ્યું બહેન! તે ગયા ભવમાં તારી શકયને બહુ હેરાન કરેલી અને ભગવાનની પ્રતિમાજીને કચરામાં સંતાડી દીધેલ. ૧૨ ઘડી પછી તને ભાન આવ્યું અને પ્રતિમાજીને બહાર કાઢયા. આ બાર ઘડીના કારણે તને ૨૨ વર્ષને વિયોગ સહન કરવું પડશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001501
Book TitlePapni Saja Bhare Part 16
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy