SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ બીજા ઉપર આળ અભ્યાખ્યાન કરતે અટકી જાય છે. આસ્તિય ગુણને વિકાસ કરવાથી કમરના ફળને વિશ્વાસ બેસે છે. આર્તધ્યાન બંધ થાય છે. (૨) હવે આ એક અપયશનામ કર્મ બાંધ્યું તે તમારી પ્રથમ ભૂલ અને બીજી ભૂલ કે તે કર્મનું તમે સંકમણ ન કર્યું. કર્મ બાંધ્યા પછી પણ શુભાશુભ વિચારોથી એમાં પરિવર્તન આણી શકાય છે. દા. ત. તમે કોઈની નિંદા કરી અને નીચ નેત્ર કર્મ બાંધ્યું પછી ગુરૂ મહારાજને યેાગ થયે નિંદાના કદારૂણ વિપાકે જાણી તમને તમે કરેલી નિંદા પ્રત્યે પશ્ચાતાપ થયે તમે આલોચના કરી શુદ્ધ થયા તે સંભવ છે કે તે બાંધેલા તે નીચ ગોત્ર કર્મમાં સ્થિતિઘાત કે રસઘાત થયે હેય એટલે કે તેનું બળ ઘટી ગયું હોય અથવા તે ઉંચગેત્ર રૂપે સંકમણ પરિવર્તન પણ થયું હોય. હવે ઘરમાં કદર નથી થતી તેનું બીજું કારણ કર્મ બાંધ્યા પછી તમે તેમાં ઘટાડે સુધારો કર્યો નથી. કોઈપણ કામ બંધાય છે ત્યારે નિકાચિત બંધાતુ નથી. નિકાચીત કમેં બહુ ઓછા બંધાય છે. કમ બાંધ્યા પછી તેની નિકાચના થાય છે. એટલે કોઈ પણ શુભાશુભ ગના પ્રવર્તન પહેલાં ખૂબ અભિલાષા ઉત્સુકતા હોય, કરતી વખતે આનંદ આસ્વાદ હોય અને કર્યા પછી તેની ભરપેટ અનમેદના હોય તો આ કર્મ નિકાચીત બંધાય છે. એટલે આ વસ્તુ બતાવે છે કે કર્મ બાંધ્યા પછી પણ તેમાં ફેરફાર થઈ શકે છે. To err is human to confess is divine. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ તેને કબૂલ કરવી એ દિવ્યતા છે. હવે કર્મ બાંધ્યા પછી તમે આલેચના, નિંદા ગહ (ગુરૂ સાક્ષીએ નિવેદન) દ્વારા તેને નિષ્ફળ ન કર્યું તે તમારી બીજી ભૂલ. (૩) આ બંને ભૂલે ભૂતકાળની છે. હવે વર્તમાનકાળની ભૂલ જોઈએ. તમે કોઈને ગાળ બેલે અને તે તમને તમારો મારે તે કર્મ સુધી લાંબા થવાની જરૂર નથી. વર્તમાનકાળને તમારે અવળે પુરૂષાર્થ એ જ પરિસ્થિતિ માટે જવાબદાર છે. એટલે ઘરમાં બધું કર્યા પછી પણ જશને બદલે જૂતીયાં મળે છે તે વર્તમાનકાળને તમારે કોઈ અવળે પુરુષાર્થ તે નથી ને ? તેની તપાસ તે કરી લે. કામનું વૈતરુ તે ઘણું કરે છે, પણ જીભ કાતર જેવી તો નથી ને ? બીજાનું અપમાન તે નથી કરતાં ને? બીજા પ્રત્યે તિરસ્કારવૃત્તિની જમાવટ તો નથી કરીને ? જે આ બધું હશે તે તમારા દુષ્ટ સ્વભાવથી તમને અપજશ મળે છે તો તે સ્વભાવ સુધારી લઈએ એટલે અપયશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy