SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૫ લેશ્યાની શરૂઆત થાય છે. ચેથાએ કહ્યું-કાંઈ જ કાપવાની જરૂર નથી. માત્ર જુમખાં જ તેડી લઈએ આ પપીત વેશ્યા છે. તે પીળા રંગની છે. પાંચમાએ કહ્યું-જુમખામાં પણ જેટલા પાકેલા-પાકેલા જાંબુ છે તેટલા જ તોડે કાચાને આપણે શું કરશું ? તે એક-બે દિવસમાં પાકી જશે. આ પદ્ધ લેસ્યા છે. અર્થાત્ સફેદાઈની તરફ આગળ વધે છે. પરંતુ હમણાં અહીં પાંચમી પદ્મ લેસ્યા સુધી આવ્યા છીએ. પદ્મને અર્થ છે કમળ તેને રંગ કમળના જેવું કંઈક હકે પીળે છે. અંતે છઠ્ઠો મિત્રે કહ્યું-તમે બધા મૂર્ખ છે. આટલી જાંબુ ખાવાની જ ઈચ્છા છે તે તે આટલા જાંબુ તે નીચે જ પડેલા છે. ખાઈ લઈએ જાંબુથી કયાં પેટ ભરાવાનું છે ? તોડવાની અને કાપવાની વાત જ શા માટે કરે છે ? શું આવશ્યકતા છે તેડવાની અને કાપવાની ? તે તે જમીન પર પડેલા જાબુએ લઈને ખાવા લાગ્યું. આ દષ્ટાંતમાં બતાવેલા છ પુરૂષની વિચારધારા પર તમે ધ્યાનને કેન્દ્રિત કર્યું હશે તો ખબર પડશે કે હેતુ બધાને એક જ છે. છતાં પણ વિચારધારા જુદી-જુદી છે. આને જ લેશ્યા કહેવાય છે. જેવી રીતે માતા ઘરમાં એક પુત્ર પર અને એક નોકર પર ક્રોધ કરે છે. વિચારો બને પર કરેલા કોધમાં કેટલો ફરક પડે ? કેટલું અંતર છે. આ જે તીવ્ર–મંદ તીવ્રતર–મંદતરની તરતમાતા છે એ જ વેશ્યા છે. પ્રત્યેક જીવ આ પ્રકારની લેફ્સાવાળા છે. કયારે કંઈલેશ્યા રહે છે? એ તેના વિચારો પર વૃત્તિ પર આધાર રાખે છે. કલેશ-કષાય-કલહમાં પણ આ લેશ્યાઓ પર આધાર રહે છે. જે વેશ્યાઓ ખરાબ હશે તો એ નિશ્ચિત સમજવું કે ઝઘડો ઉગ્ર રૂપ લેશે, લાંબે ચાલશે, અને જે લેશ્યા શુભ હશે તે કલહ શાંત થઈ જશે, ઠંડો પડશે અને થેડી જ વારમાં સમાપ્ત થઈ જશે. યુદ્ધનું વાતાવરણ છે. “જુઓ એને મારે” ને કાયદો કૃષ્ણ લેશ્યાને આંધળો કાયદો છે. એમાં કોઈ વિચાર કરવાનો જ નથી. વગર વિચાર્યું કોઈને જોતાં જ બંદૂક ચલાવવાની છે. એમાં બધાને મારવાની વિચારધારા અત્યંત ખરાબ છે. બીજી નીલ શ્યામાં પહેલાની અપેક્ષાએ વિચારીએ તો કંઈક નરમ છે બાળકને છોડી દે–ન મારો ત્રીજી કાપત લેશ્યાવાળા કહેશે–ભાઈ ! સ્ત્રીઓને પણ છેડી દો. સ્ત્રીઓ અવધ્ય હોય છે. ચોથી પીત વેશ્યાવાળા કહેશે- શરણાર્થીને ન મારે પાંચમી પદમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy