SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે વહુઓના પરિવારની સામે આ વાતની ૨જૂઆત કરી. હવે શું માંગીએ ? પહેલી મેટી વહુએ કપડા લતાની યાદી બનાવી લીધી. બીજી વહુએ સેના-ચાંદીના ઘરેણાની યાદી બનાવી. ત્રીજી વહુએ હીરા-મોતી ઝવેરાત વગેરેની લાંબી યાદી બનાવો. હવે જ્યારે ચેથી વહુને નંબર આવ્યો અને શેઠે પૂછયું ત્યારે વહુએ કહ્યું- હે પિતાજી ! તમે મને ના પૂછે હું જે કહીશ તે તમે માંગશે જ નહીં અને તમને ખરાબ લાગશે. શેઠના મન પર પહેલેથી જ એ છાપ હતી કે એથી વહુ વધારે હોંશિયાર છે, ચતુર છે. શેઠે તેને વધારે આગ્રહ કર્યો વહુએ કહ્યું-શેઠજી ! હું એવું માંગીશ કે લક્ષ્મી હંમેશા ઘરમાં જ રહેશે. ઘર છોડીને નહીં જઈ શકે અને જે આ ત્રણે વહુઓની યાદી અનુસાર માંગશે તો લક્ષ્મી આજે સેના–ચાંદી–હીરા-મતી આપીને ચાલી જશે પછી આવશે જ નહીં. અને માની લે કે કાલે કોઈ ચોર આપણું બધું ધન ચરી જશે શું કરીશું ? આથી તમે શું ઈચ્છે છે ? લક્ષમી હંમેશા રહે એ સારુ છે કે આપીને ચાલી જાય એ સારું છે ? શેઠે કહ્યું–લક્ષ્મી રહે એ જ સારુ છે તો શેઠજી ! તમે લક્ષ્મીને એટલું જ કહે છે–અમારા ઘરમાં દંતકલહ ન થાય એવું વરદાન આપ ! પ્રાતઃ કાળ લફમીના આવતાં જ શેઠે આ કહી દીધું. ત્યારે લક્ષમીએ કહ્યું–મારા નામ પર, ધનસંપત્તિના કારણે જે હંમેશા ઝઘડતા રહે છે તેનું કાલથી દાન કરવા લાગે, ત્યાગ કરો-તે ઘરમાં કલહ એક છે થઈ જશે અને શાંતિની સ્થાપના થઈ જશે પછી એક બાજુ દાન અને બીજી બાજુ શાંતિ થઈ જશે તે માટે જવાનું કારણ જ નહીં રહે અને તેમજ થયું. કલહનું મૂળ કારણ ધન-પૈસા છે, માલ- મિક્ત છે. આ કાર ણ જ ન રહે તે પછી કાર્ય તે કયાંથી રહે? આગ જ ન લાગે તો પછી ધૂમાડે કયાંથી આવે? પ્રાયઃ આજે સંસારમાં સેંકડો ઘરે એવા જોવા મળે છે કે જ્યાં લક્ષ્મીના નામ પર જ ઝગડા સતત ચાલતા હોય છે. કયાંક બાપ–દાદાની લક્ષ્મી પડી હોય તે તેમાં પણ ભાગીદારીના નામે કે ઉપાર્જનના નામે કે ખર્ચના નામે સંઘર્ષ ચાલુ છે. કોઈ તો વળી રક્ષણના બહાને સંઘર્ષ કરે છે ચારે બાજુ સંઘર્ષ ચાલુ છે. નાના-મોટા, છતા–અછતા નિમિત્તને પામીને જીવ સંઘર્ષ કરે છે. તેથી ૮૦% કલહનું કારણ તે ધન-સંપત્તિ પૈસા છે. કલહ . ઝઘડો એટલા લાંબા સમય સુધી ચાલે છે કે, એટલા વર્ષો સુધી . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy