SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ આવ્યા. દેવતાઓએ સનતકુમાર ચકવતીએ મારેલી પાનની પિચકારીમાં ચાલતા કીડાઓ દેખાડયા તે રાજા આશ્ચર્યચકિત થઈ ગયે. આવું રૂપ શા કામનું ? આ શરીર તે મલમૂત્ર અને દુર્ગધથી ભરેલું છે. ફક્ત એ બધું ગોરી ચામડીથી ઢંકાયેલું છે એનું અભિમાન શું કરવું ? શાસ્ત્રોમાં સાચું જ કહ્યું છે કે कःशुक्र शोणित समुद्भवस्य सतत चयापचयिकस्य । रोग जरा प्राथयिणो मदावकाशोऽस्ति रूपस्य ।। नित्य परिशीलनीये त्वम्मांसाच्छादिते कलुष पुणे । निश्चयविनाश धर्मिणि रुपे मदकारण किं स्यात् ।। રજ વીર્યના મિશ્રણથી પેદા થયેલું આ પદુગલિક શર જે સદા વધે ઘટે છે. વૃદ્ધાવસ્થાનું જે સ્થાન છે. એમાં અભિમાનને રથાન જ કયાં છે? આપણે હંમેશા એને ખવડા વી–પીવડાવીને હષ્ટપુષ્ટ કરીએ છીએ. લેહી માં ચામડીથી ઢંકાયેલું છે. મળ-મૂત્રથી ભરેલું, ફ, ઘૂંકને વહેવડાવતું આ શરીર ઉપરથી એારી ચામડી મઢાઈ હોવાને લીધે શું અભિમાન કરવા લાયક બની જાય છે? અરે ! ક્ષણિક આયુષ્યવાળું, રોગીષ્ટ શરીર કે જે કોઈને કોઈ એક દિવસ તે જરૂર બળીને ભસ્મ થવાનું જ છે એના ઉપર અભિમાન કરવાનું? આ તે. આપની કમજોરી છે. કમજોર વધારે અભિમાન કરે છે. ગંભીર, સમજદાર, જ્ઞાની પુરૂષ તો આ કાયાને બને તેટલે કસ કાઢી લે છે. તપશ્ચર્યા કરીને આત્મકલ્યાણ સાધે છે. સુન્દરીએ પોતાના રૂપને ઝાંખુ પાડવાને માટે સાઈઠ હજાર વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી હતી. તપ મદ કઈ કઈ વાર એવું પણ બને છે કે તપસ્વીને પણ પિતાની તપશ્ચર્યાનું અભિમાન થઈ જાય છે. હા, જે લેકેનું ક્ષુદાવેદનીય કર્મ શાન્ત થઈ ગયું હોય છે તે લોકે વધારે તપશ્ચર્યા કરી શકે છે. ભૂખ, સહન કરીને વધારે તપ કરી શકે છે. પરંતુ જેનું ક્ષુધાવેદનીય કર્મ જોરદાર રીતે ઉદયમાં હોય તેઓ વધારે તપ કરી શકતા નથી. કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy