SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ . ૪૪૬ बल समुदितोऽपि यस्मान्नर : क्षणेन विबलत्वमुपयाति. । । बलहीनोऽपि च बलवान् संस्कारवशात् पुनर्भवति ॥ तस्मादनियत भाव बलस्य सम्यगू विभाव्य बुद्धिबलात् । मृत्युबले चाऽबलतां मदं न कुर्याद् बलेनापि ॥ ગમે તેટલો બળવાન અને સશક્ત માણસ કેમ ન હોય? એ પણ એક દિવસ અશક્ત અને કમજોર બની જાય છે અને સૂકલકડી જે કમજોર પણ ખૂબ ખાઈ પી કસંરતાદિ કરીને અથવા તે વીર્યાન્તરાય કર્મને ક્ષયપક્ષમ થવાને લીધે બળવાન સશક્ત બની જાય છે. તેથી ' પોતાની બુદ્ધિને ઉપયોગ કરીને શક્તિ–બળને અસ્થિર જાણીને અને યમરાજા (મૃત્યુ) ની સામે શારીરિક શક્તિની પણ નિર્બળતાને જાણીને મળેલી શક્તિનું કદી પણ અભિમાન ન કરો. બાહુના બળવાળા 'બાહુબલીએ ભરતજી પર ઉગામેલી પિતાની મુઠ્ઠીની પ્રહાર કરવાની શક્તિને વાળી લીધી. મોટા ભાઈ ઉપર તે શક્તિને ઉપયોગ કરવાને બદલે પિતાના મસ્તક ઉપર કરીને યુદ્ધના મેદાનમાં જ કેશને લેચ કરી દીધું ને મળેલી શક્તિને સદુપયેાગ કર્યો એ જ તેમની મહાનતા. હતી. રૂપનું અભિમાન - અનેક પ્રકારના મદમાં રૂપનું અભિમાન એ પણ એક પ્રકારને મદ જ છે. ઘણું ખરું સ્ત્રીઓમાં આ રૂપને મદ વધારે પ્રમાણમાં દેખાય છે. પૂર્વ જન્મની તપ-ત્યાગમય સાધનાથી. પરોપકાર આદિન સેવનથી શુભ પુણ્ય કમ ઉપાર્જન કરવાને લીધે આજે રૂપરંગ સારા મળ્યા છે. કેટલાક છાએ પુણ્ય નથી બાંધ્યું, પાપ કર્મનું ઉપાર્જન કર્યું છે, એને અર્થ એ નથી કે આપણે આપણને મળેલા સુન્દર રૂપનું અભિમાન કરીએ બીજાની કુરૂપતા જોઈને પિતાના રૂપ સૌ દર્યનું * અભિમાન કરવું એમાં એક પ્રકારની મૂર્ખતા છે. સનત ચકવતીને પિતાના રૂપનું ખૂબ અભિમાન હતું. દેવતાઓ. પણ મારુ રૂપ જેવા આવે છે એના અભિમાનમાં ખૂબ ઠાઠમાઠથી સાજ સજીને, સેળ શૃંગાર સજીને રાજ્યસભામાં દેવતાઓની સમક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy