SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ અનુચિત મનાય છે. Out of Date. કહીને લોકે મજાક કરે છે. પરંતુ બીજી બાજુ અન્યાય, અનીતિ-દુરાચાર, વ્યભિચાર, અનાચાર વગેરે અનેક પાપનું મહાદુઃખ-મહાગ, ભારે સજા, અશાંતિ આદિ ભગવે જ છે. ધર્મશાસ્ત્ર એ લગ્ન નહીં કરવા એવું નથી કહ્યું પરંતુ લગ્નના વિષયમાં પણ ધમેં ઉચિત વ્યવસ્થા બતાવી છે. સંતાન પ્રાપ્તિના હેતુભુત મર્યાદિત સી સંબંધ પછી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરંતુ પાશવી, અતિકામી, અવિવેકી વાસનાના કીડા તે ન બનવું જોઈએ. એવી પણ વાત નથી કે ફક્ત સ્ત્રીઓએ જ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. સ્ત્રી જ સતી બને અને એક પતિવ્રતા ધર્મ પાળતી રહે અને પુરૂષ કંઈપણ કરે? પુરૂષ કે પણ અનાચારી હોય, પરંતુ આવા પુરૂષની સામે સ્ત્રી તે સતી જ હોવી જોઈએ ના, સ્ત્રી હોય કે પુરૂષ આખરે બન્ને એક રથના બે પૈડા બનીને ઘર સંસાર રૂપી રથને ચલાવશે તે જ જીવનયાત્રા સફળ બનશે, નહીતર સંસાર બગડી જશે. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી સંસાર પણ સારો, મીઠે બનાવીને રાખો. સંસારને વિષમય, કડવો, હોળીની જેમ બળતો ન રાખો. આપનો સંસાર ભલે નાનું હોય કે મેટો હોય,પૈસા-સુખ-સંપત્તિ ઓછી હેય કે વધારે હોય, સંતાન એછા હોય કે વધારે હોય અથવા કર્મવશ ન પણ હોય, પરંતુ સંસારી જીવન પણ નિષ્પા૫ પવિત્ર હેચ, સુખી સંતોષી જીવન હોય, સુખ-શાંતિથી જીતાયેલા જીવનમાં પણ યથાશક્તિ ધર્મ ધ્યાન–આરાધના કરતા હોય, આનંદથી ભરેલું જીવન હોય તે પણ આપ ઘણા ભાગ્યશાળી માનશે. અને સંસાર જરૂર છેડ છે. આ ઉદાર ભાવ રાખતા, અંતરથી સંસાર એક કેદખાનું છે, પાપથી ભરેલું છે અને ભવાની પરંપરાને વધારવાવાળું છે. અમારું અંતિમ ધ્યેય તો મોક્ષ પ્રાપ્તિનું છે. આથી તદનુસાર, અમારે મેક્ષાનલક્ષી ધર્મ સાધના કરવી જોઈએ. એવી ભાવનાથી ચાલીએ આર્ય દેશની આર્ય સંસ્કૃતિની આર્ય પ્રજામાં અર્થ અને કામ ગૌણ હોય છે, પરંતુ ધર્મ અને મોક્ષ પુરૂષાર્થ જ પ્રધાન રહે છે. મેક્ષને કેન્દ્રમાં રાખીને પરિધિની ચારે બાજુ ધમ પુરૂષાર્થનું આયેાજન કરવાનું છે. અર્થ અને કામ પણ ધર્મની છાયાથી (યુકત) ભરેલા હાય, ગૌણ હાય તે પણ ધમમાં ઉપયેગી થાય એ રીતે સેવન કરવું જોઈએ. સંસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001492
Book TitlePapni Saja Bhare Part 07
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy