SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ सुभाषितसंग्रहसमुच्चय સાહિત્યના પ્રસિદ્ધ અને પ્રાચીન કવિઓ – કાલિદાસ, ભવભૂતિ વગેરેના શ્લોકો સુભાષિત તરીકે ટાંકેલા હોય છે તો બીજી બાજુ “પંચતંત્ર', 'હિતોપદેશ'. દશકુમારચરિત' વગેરે ગદ્યગ્રંથોમાં, વગેરેમાં ઉચિત જ્યાં સંદર્ભ સાથે મેળ પડે ત્યાં, આમાંથી પસંદ કરીને, ઉચિત સુભાષિતોને મૂકવામાં આવ્યાં છે. બાકીના ખાસ કરીને ૧૫મી સદી પછીના એવા સંસ્કૃત ગ્રંથો શોધું છું જેમાં સુભાષિતોનો ઉપયોગ થયો હોય. આ સુભાષિતોનો આજની શિક્ષણ પદ્ધતિમાં સંસ્કૃત ભાષા શીખવાડવા માટે સુંદર ઉપયોગ થઈ રહ્યો છે. આ શાળાઓના સંસ્કૃતના શિક્ષણના અભ્યાસક્રમમાં એકાદ પાઠ સુભાષિતોને લગતો હોય છે, એ બાબત પ્રશસ્ય છે. આ સુભાષિતો દ્વારા સંસ્કૃત ભાષા અને છંદ સહેલાઈથી શીખવી શકાય, પણ તે ઉપરાંત મહત્ત્વની બાબત એ છે કે સદાચારને લગતાં સુભાષિતો ઉપર વધારે ભાર, શાળાનાં પાઠ્યપુસ્તકોમાં મૂકાયો હોય તો, બાળકોને આડકતરી રીતે ભાષાની સાથે સદાચારના સંસ્કાર પણ મળે. આ સુભાષિતોનો પ્રભાવ આપણી પ્રાદેશિક ભાષાઓના લોકસાહિત્યના દોહા વગેરે પર પણ જણાય છે એ એક હકીકત છે. જો બીજી રીતે વિચાર કરીએ તો આ સુભાષિત સાહિત્ય, સંસ્કૃત ભાષાના લોકસાહિત્યનું અમુક અંશે પ્રતિનિધિત્વ કરે છે. એમ પણ કહી શકાય, કારણ કે લોકમાનસના બધાં પાસાંઓનું વાસ્તવિક પ્રતિબિંબ આ સુભાષિત સાહિત્યમાં જેટલું ઝીલાય છે, તેટલું સંસ્કૃતના બીજા સાહિત્ય પ્રકારમાં ભાગ્યે જ ઝીલાય છે. સુભાષિત સંગ્રહ-સમુચ્ચય સુભાષિતો પ્રત્યે સહજ રુચિ હોવાને કારણે, પ્રસ્તુત સુભાષિતસંગ્રહ માટેની ખંભાતના શાંતિનાથ ભંડારની તાડપત્રીય હસ્તપ્રત (નં. ૨૬૪(૧))ની ઝેરોક્ષ નકલ પરથી, આ પાંચે સુભાષિત સંગ્રહો બારેક વર્ષ પહેલાં તૈયાર કરવા માંડ્યા હતા. પણ તેમના પ્રકાશનની કંઈ વ્યવસ્થા ન થતાં, તે કામ, અધૂરું રહ્યું હતું. આ પાંચ સંગ્રહમાંથી બોધપ્રદીપ” નામનો બીજો નંબરનો સંગ્રહ ચૂનીલાલ વિદ્યાભવનના બુલેટીન નં. ૨૪માં ૧૯૮૦માં, છપાયો હતો અને પાંચમા નંબરનો “સૂક્તાવલી' નામનો લઘુસંગ્રહ, આચાર્ય હેમચંદ્રાચાર્ય નવમ શતાબ્દી પ્રસંગે ઈ.સ. ૧૯૯૯માં બહાર પડેલા “અનુસંધાન અંક ૨૪ માં છપાયો હતો. બાકીના ત્રણે સંગ્રહ છપાયા નથી, તેથી હવે આ ૨૬૪(૧) નંબરની હસ્તપ્રતમાં રહેલા પાંચે સંગ્રહો આ સાથે છપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy