SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ નથી પણ એમાંની કેટલીક વિગતો પરવર્તી આલંકારિકોએ ઉધૃત કરી છે. ઉલ્કટ એમ માને છે કે ગુણ અને અલંકાર બને કાવ્યનાં શોભાધાયક તત્ત્વો છે અને એમાં કોઈ ભેદ નથી. ચ્યક ઉભટના મતને આ પ્રમાણે સમજાવે છે, “ મિસ્તુ गुणालङ्काराणां प्रायशः साम्यमेव सूचितम् । विषयमात्रेण भेदप्रतीतिपादनात् । संघटनाજર્મન વેછેઃ ' ગુણનો કાવ્ય સાથે સમવાય સંબંધ અને અલંકારનો સંયોગ સંબંધ એવું ગુણાલંકારનું વામને કરેલું વર્ગીકરણ કદાચ ઉભટને સ્વીકાર્ય જણાયું નથી અને આ પ્રકારના વર્ગીકરણને તે અજ્ઞાનજન્ય અથવા ગાડરિયાપ્રવાહરૂપ ગણાવે છે. ઉભટ વામનના મતને રદિયો આપતા જણાય છે અને “ગુણ” અને “અલંકાર' બને તત્ત્વો કાવ્ય સાથે સમવાય સંબંધથી જ રહેલાં છે એમ માને છે. મમ્મટે ઉદુભટના મતને જે રીતે ઉધૃત કર્યો છે એમાંથી આ સમજી શકાય છે. આચાર્ય હેમચંદ્ર પણ મમ્મટને પગલે પગલે ઉદુભટના મતનું સયુક્તિક ખંડન કરે છે.’ આચાર્ય હેમચંદ્ર કહે છે કે અલંકારો પ્રયોજવા કે ન પ્રયોજવા એ કવિઓની ઇચ્છા ઉપર નિર્ભર છે. ગુણોની બાબતમાં એમ નથી. કાવ્ય પંક્તિમાં ગુણનો પ્રયોગ કે પરિહાર કવિ સ્વેચ્છાએ કરી શકતો નથી. આનંદવર્ધન, અભિનવગુપ્ત કે મમ્મટમાં પણ ન મળતાં એવાં કેટલાંક ઉદાહરણોથી તે પોતાના મતને દઢાવે છે જે એના ગુણનિરૂપણની મૌલિકતા પ્રગટ કરે છે. અલબત્ત અહીં આપણે નોંધવું જોઈએ કે આ પ્રકારનું વિધાન કરવામાં આચાર્ય હેમચંદ્રની થોડી અતિશયતા છે. કારણ કે કાવ્યમાં અનાયાસે આવી ગયેલો અલંકાર પણ કાવ્યના આંતરિક સૌંદર્યનો ભાગ બની જતાં રસ નિષ્પત્તિને અસર કર્યા વિના એને દૂર કરવાનું કામ મુશ્કેલ બને જ અને આથી જ કુન્તકે ‘વકોક્તિજીવિત’માં નોંધ્યું છે કે “ સારી વ્યિતા, ન પુનઃ કાવ્યર્ચ કનારો :' (વક્ટોષિીવિત, રૂ.૭) : ગુણ વિશેના આચાર્ય હેમચંદ્રના વિગતપૂર્ણ અને વિશિષ્ટ વિચારો અથવા ગુણો અંગેની એમની વિશેષ વિભાવના કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયમાં નિરૂપાઈ છે. ગુણોની સંખ્યા અંગે એમણે ભરતમુનિ, દંડી અને વામનના મતોનું સ્પષ્ટ નીરસન કર્યું છે. આચાર્ય હેમચંદ્ર સ્પષ્ટ કહ્યું કે માધુર્યોન:પ્રસાસ્ત્રયો ગુI: ! ત્રયો ન તુ દ્રશ પરા વા કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયનાં સાત સૂત્રોમાં આચાર્ય હેમચંદ્રનો ગુણવિચાર વૃત્તિમાંના ઉદાહરણોથી સ્પષ્ટ થયો છે. જ્યારે “વિવેક' ટીકામાં દસ ગુણો પરત્વેના ભરત, દંડી અને વામનના મતોનું સયુક્તિક નીરસન કરવામાં આવ્યું છે. આ આખી ચર્ચા વિદ્રોગ્ય છે. ગુણો માત્ર ત્રણ છે એમ સ્વીકારવા માટે આચાર્ય હેમચંદ્ર ત્રણ દલીલો આગળ ધરે છે. (૧) પૂર્વાચાર્યોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy