SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યની અલંકૃતતાના સંદર્ભમાં ગુણ અને અલંકારનો કાવ્ય સાથેના અનિવાર્ય અને અનિત્ય સંબંધ પ્રસ્થાપિત કરવાની આચાર્ય હેમચંદ્રની પ્રસ્તુત રીત અનન્ય . બની છે. ગુણોનો કાવ્ય સાથે સમવાય સંબંધ છે અને અલંકારોનો સંયોગ સંબંધ છે એ બાબતે હેમચંદ્રનો વિસ્તૃત ગુણવિચાર સમજતા પહેલાં વામનનો ગુણવિચાર સમજી લેવાનું જરૂરી બને છે. ગુણની સર્વપ્રથમ સ્પષ્ટ વિભાવના ઉપસાવવાનું શ્રેય વામનને ફાળે જાય છે. એમને મતે કાવ્યસૌંદર્યનાં નિષ્પાદક તત્ત્વો-કારક ધર્મો તે ગુણો છે જ્યારે અલંકારો તે નિષ્પન્ન સૌંદર્યના ‘અતિશયના કારક છે. વામન અલંકારને કાવ્યસૌંદર્યના વ્યાપક અર્થમાં નિરૂપે છે એટલે એમને મતે ગુણ પણ કાવ્યનું અલંકરણ જ છે. “ગુણ” અને “અલંકાર' બન્નેને આચાર્ય વામન શબ્દ અને અર્થના ધર્મો માને છે. આ બન્ને શબ્દાર્થધ વચ્ચેનું વિશેષ પાર્થક્ય વામનને મતે એ છે કે ગુણો શબ્દાર્થના નિત્ય ધર્મો છે, તેમના વિના કાવ્યશોભા ઉદ્ભવતી નથી" જ્યારે અલંકારો અનિત્ય ધર્મો છે જે કાવ્યશોભાની વૃદ્ધિ કરે છે. આની સામે આચાર્ય હેમચંદ્ર અલંકારોને માત્ર અંગાશ્રિત એટલે કે શબ્દાર્થોશ્રિત જ માને છે. વળી અંલકાર હંમેશાં રસને ઉપકારક હોય જ એવું નથી. તે ક્યારેક પ્રસ્તુત રસને ઉપકારક હોય. ક્યારેક ઉપકારક ન હોય તો વળી ક્યારેક રસની અનુપસ્થિતિમાં એ માત્ર વાચ્યવાચકના વૈચિત્ર્યરૂપે જ હોય." આચાર્ય વામને ગુણોને કાવ્યશોભાના નિષ્પાદક ધર્મો કહ્યા અને અલંકારોને એના અતિશયના કારણરૂપ કહ્યા. એનું ખંડન કરતાં આચાર્ય હેમચંદ્ર કહ્યું કે આચાર્ય વામને ગુણ અને અલંકાર અંગેનો આ જે વિવેક કર્યો છે તે દોષયુક્ત છે. ઉદાહરણ આપીને એમણે જણાવ્યું કે અતોસ્તમ કાવ્યમાં પ્રસાદ, શ્લેષ, સમતા, માધુર્ય, સૌકુમાર્ય કે અર્થવ્યક્તિ જેવા ગુણો હોવા છતાં ત્યાં કાવ્ય નથી, જ્યારે ૩ [વિસ્કૃત વાર્તા .. માં ઉન્ઝક્ષા અલંકાર વ. થી વિવક્ષિત ત્રણ કે ચાર ગુણથી કાવ્યનો વ્યવહાર થતો જોવા મળે છે. આમ ગુણો કાવ્યસૌંદર્યના નિષ્પાદક હેતુઓ છે અને અલંકારો માત્ર એને વધારનારા છે તો તેવું નથી. ઉપરનાં બન્ને ઉદાહરણોથી સ્પષ્ટ થયું છે કે ગુણો હોવા છતાં પદ્ય કાવ્ય ન બન્યું હોય જ્યારે માત્ર અલંકારની ઉપસ્થિતિ કે થોડા ગુણની ઉપસ્થિતિથી પણ કાવ્ય બન્યું હોય. ગુણવિચારના સંદર્ભમાં આચાર્ય હેમચંદ્ર કરેલું ઉદ્ભટના ગુણવિચારનું ખંડન પણ નોંધપાત્ર છે. ઉભટનો ગુણવિચાર એણે પોતે રચેલા, પણ હાલ ઉપલબ્ધ ગ્રંથ “કાવ્યાલંકારસાર સંગ્રહમાં પ્રાપ્ત થતો નથી પણ ઉદ્ભટે ભામહના “કાવ્યા લંકાર' ઉપર ‘ભામતવિવરણ'નામે ગ્રંથ રચ્યો હતો. આ ગ્રંથ પણ અત્યારે ઉપલબ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy