SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ આચાર્ય હેમચંદ્રના ગુણવિચારની અનન્યતા પ્રા. ડૉ. શાન્તિકુમાર પંડ્યા સેંટ ઝેવિયર્સ કૉલેજ, અ'વાદ-૯ અન્ય આલંકારિકોની જેમ આચાર્ય હેમચંદ્રે પણ કાવ્યના એક અત્યંત મહત્ત્વના અંગ ગુણનો વિચાર વિસ્તાર અને વિશદતાથી કર્યોછે. કાવ્યનાં ઘણાં ઘટક તત્ત્વોની વિચારણામાં આચાર્ય હેમચંદ્ર આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટની તે તે વિષયની વિચારસરણિથી સ્પષ્ટ પ્રભાવિત છે. ગુણવિચારમાં પણ ઘણા વિચારોમાં તેઓ આ ત્રણે વિદ્વાનોથી પ્રભાવિત છે. આમ છતાં એમાં આચાર્ય હેમચંદ્રનું ઘણું મૌલિક અને અનન્ય પ્રદાન પણ છે. જેની ડૉ. રાઘવન જેવા વિદ્વાનોએ યોગ્ય નોંધ લીધી છે. આ નિબંધમાં આચાર્ય હેમચંદ્રના ગુણવિચારની કેટલીક અનન્યતાઓની નોંધ લેવાનો ઉપક્રમ છે. આચાર્ય હેમચંદ્રનો સામાન્ય ગુણવિચાર કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાં કાવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં અને વિસ્તૃત વિચાર ચોથા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાં કાવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં એમણે જ્યારે અદોષ, સગુણ અને સાલંકાર શબ્દાર્થને કાવ્ય કહ્યું ત્યારે ગુણો અંગેની એમની પ્રથમદર્શી વિભાવના સ્પષ્ટ થઈ. ગુણદોષનું સામાન્ય લક્ષણ રજૂ કરતાં એમણે કહ્યું. ‘રસસ્યો વિર્ષહેતુ મુળવોષી, મસ્ત્યા શબ્દાર્થયો: ।' ગુણો રસના જ ધર્મો છે એ વાત મમ્મટને અનુસરીને આચાર્ય હેમચંદ્રે પણ વારેવારે કરી છે. ગુણ અને દોષનો આશ્રય રસ જ છે અને રસના સંદર્ભમાં જ એનું નિર્ધારણ થવું જોઈએ એ બાબત એમણે અન્વય વ્યતિરેકથી સિદ્ધ કરી આપી છે. Jain Education International આચાર્ય હેમચંદ્રે પ્રસ્તુત કરેલા કાવ્યલક્ષણ ‘ઞોષો સમુળી સાતકુતરી ન શવ્વાર્થી ાવ્યમ્' માંના ચ શબ્દની સાર્થકતા સમજાવતાં વૃત્તિમાં એમણે કહ્યું કે ‘વારો નિરદ્વારયોરપિ શબ્દાર્થયો: વિાવ્યત્વાપનાર્થ:' પણ આ નિતફ઼્રાયોરવિ ની વિવેક ટીકામાં વધુ સમજૂતી આપતાં એટલે કે મૂળ લક્ષણમાંના 7 કારને અધિક સ્પષ્ટ કરતાં એમણે કહ્યું કે ‘અનેન વાળ્યે ગુણાનામવસંભાવમાદ । તથા દિ अनलङ्कृतमपि गुणवद्वचः स्वदते । यथोदाहरिष्यमाणं 'शून्यं वासगृहं .... इत्यादि । અનલક્ષ્કૃતપ નિપુર્ણ ન સ્વતે । યથા સ્તનપૂરપૃષ્ઠસ્થા .... વગેરે' કાવ્ય અનલંકૃત પણ હોઈ શકે એ બાબત તો આચાર્ય મમ્મટને અનુસરીને હેમચંદ્રે ભલે કરી પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy