SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 3 કુચ.ના અહીં ચર્ચાપ્રાપ્ત ખંડમાં તાંત્રિક-યૌગિક પરિભાષા અને ઉપદેશશૈલીનો પ્રભાવ પ્રગટપણે જોઈ શકાય છે. ગંગા (=ઇડા નાડી) અને યમુના (= પિંગલા નાડી)નું ભીતર તજીને હંસ (=આત્મા) સરસ્વતી (=સુષુમ્યા નાડી)ની ભીતર પહોંચે ત્યારે મોક્ષસુખ પામે છે. (૧૫). મનને ચંદ્ર (– ઇડા નાડી) અને સૂર્ય (= પિંગલા નાડી)માં નિવિષ્ટ કરો. (૧૮). ઇડા, પિંગલા વગેરે નાડીઓના જ્ઞાન વિના યોગસાધના નિરર્થક છે. (૧૮). ૨૩મા પદ્યમાં અદૃષ્ટ તંત્રી વડે વાગતી વીણાનો, અને વિવિધ દેહસ્થાનોમાં રણકી ઊઠતા તેના અનાહત નાદનો નિર્દેશ છે. ૨૫મા પદ્યમાં બ્રહ્મરંધ્રમાં મનનો નિરોધ કરવાનો ઉપદેશ છે. ‘ગગન’, ‘સુધારસ’(૨૪)’, ‘મનઃસ્થિરીકરણ’ (૬૭) પણ નોંધપાત્ર છે. પદ્ય ૧૮મામાં ‘દોહાકોશ'ના ૫૫મા અને ૫૭મા દોહાનો પડઘો સાંભળી શકાય. આઠમા અધ્યાયમાં જૈન આચારવિચારના સામાન્ય તત્ત્વોનું જે રીતે નિરૂપણ થયું છે તેમાં વારંવાર પપ્ર. અને ‘યોગસાર’ની શૈલી અને સૂર વરતાય છે. એ જ રીતે પ્રસિદ્ધ યોગી ગોરખનાથ (ગોરક્ષનાથ)ના ‘અમનસ્કયોગ' (=અયો.)નો પ્રભાવ પણ પ્રતીત થાય છે. જેનું મુક્તિ લક્ષ્ય છે તેને માટે કરણાભ્યાસ આસન વગેરેનો અભ્યાસ - નિરર્થક છે (૧૭). ‘યોગશાસ્ત્ર’માં પણ હેમચંદ્રાચાર્ય કહે છે કે રેચક, પૂરક, કુંભક અને કરણાભ્યાસ વિના પણ, સાચો પ્રયત્ન કરીને વિમનસ્કતા સાધવાથી પવનનો આપોઆપ નાશ થાય છે. ‘યોગશાસ્ત્ર’ના પાંચમા પ્રકાશની સ્વરચિત વૃત્તિની પ્રસ્તાવનામાં પણ પ્રાણાયામ વગેરે મોક્ષમાર્ગીને ઉપયોગી ન હોવાનું કહ્યું છે. અયો. માં પણ વાણી, મન અને કાયાનો સંક્ષોભ વર્જિત ગણ્યો છે. (૨.૫૭). પ્રયત્નલેશ પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી પરમ-તત્ત્વને પહોંચવાની સંભાવના નકારી છે. (૨.૫૮). Jain Education International મનને સ્તંભિત કરી પવનમાં નિયોજવાથી, મનપવનના નિરોધથી, સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાનો જે નિર્દેશ છે (૨૨), તેની સાથે અયો. માં પવનનો નાશ અને મનનો નાશ સાધવા જે કહ્યું છે (૨.૩૦, ૨.૩૧) તે સરખાવી શકાય. ઉન્મનીભાવ (યોશા. ૧૨.૫૪), વિમનસ્કતા (યોશા. ૧૨, ૪૫), અમનસ્કતા (યોશા. ૧૧, ૧૨) એ પરિભાષા પણ ગોરક્ષનાથના યોગની છે. કુચ.માં કાયાને ‘કુટી’ કહી છે (‘કાયકુડુલ્લી’, ૭૨). ‘પરમાત્મપ્રકાશ'માં પણ આ રૂપકનો પ્રયોગ છે. (‘જીવિ જંતિ કુડી ણ ગય', ૨:૧૨૯). સિહે. ૮.૪.૪૨૨ (૧૪)માં એ જ પરંપરાનો જે દોહા ઉદ્ધૃત છે તેમાં પણ એવો જ પ્રયોગ છે. (‘એક્ક કુડુલ્લી પંચહિં - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy