SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયમાં જ વિચારીને વિશેષ્યપણા વડે પ્રધાન એવા કેવળ દેવ-નારક” પદ માત્રથી જ (અર્થાત્ સામાન્ય પણે દેવ – નારકોમાં), મૂળગ્રંથકર્તાએ કાયયોગનો વિચાર કહ્યો છે. એથી એકેક જીવસમાસ (મિથ્યાત્વાદિ ગુણસ્થાનકસ્વરૂપ) પણ દેવ-નારક વિગેરે રૂપ પોતાના આધારના ભેદથી અનેકપણું પામે, અને તેને વિષે કાયયોગની વિચારણા કરીએ તો વિચારની વિપુલતાથી શિષ્યને અધિક સારી વ્યુત્પત્તિ (સરળ રીતે બોધ થવા રૂપ) સિદ્ધ થાય છે. એ પ્રમાણે હવે વિશેષ ચર્ચાથી સર્યું. વળી બુદ્ધિમંતોએ આ વિશેષણોની બાબતમાં આગમથી અવિરુદ્ધ એવું બીજું સમાધાન પણ સમજાય તો કરવું. પ્રશ્ન :- દેવ તથા નારકોને વૈક્રિય, વૈક્રિયમિશ્ર તથા કાર્મણ એ ૩ કાયયોગ હોય છે તો અહીં મૂળગ્રંથકર્તાએ ગાથામાં મારા એક વૈક્રિયયોગ જ કેમ કહ્યો ? - ઉત્તર :- શરીર પર્યામિ વડે પર્યાપ્ત અવસ્થા વિચારીને જ અહીં દેવ-નારકોને કેવળ વૈક્રિયયોગ કહો છે, અને શરીર પર્યાપ્તિ વડે અપર્યાપ્ત અવસ્થામાં સંભવતો વૈક્રિયમિશ્રકાયયોગ આ ગાથાના જ ઉત્તરાર્ધમાં સવે કપત્તયા મસા એ વાક્યથી કહૃાો છે, અર્થાત્ કહેશે. અને વિગ્રહગતિ વિગેરેમાં સંભવતો કાર્પણ કાયયોગ તો આગળની ૫૮મી ગાથામાં કહેવાશે, માટે એમાં કોઈ દોષ નથી; અને એ પ્રમાણે વિચાર કરીને આગળ કહેવાતા મનુષ્યગતિ આદિ માર્ગણાઓના યોગ વિચારમાં પણ ઉત્સુકતા (ઉપર પ્રમાણે ની આશંકા) ન કરવી. નર તિરિ મોરાતિયા સવેડવી = મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરતસમ્યગુદૃષ્ટિ, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરભંપરાય, સૂક્ષ્મસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ તથા સયોગિકેવલી એ ૧૩ ગુણસ્થાનવર્તી મનુષ્યો, તથા મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગુદૃષ્ટિ અને દેશવિરત એ ૫ ગુણસ્થાનવર્તી તિર્યંચો ઔદારિક કાયયોગવાળા હોય છે, તેમજ વૈક્રિય વડે સહિત હોય તે “સર્વે ક્રિય” એટલે વૈક્રિયકાયયોગવાળા પણ છે. અહીં તાત્પર્ય આ છે કે પૂર્વોક્ત વિશેષણોવાળા મનુષ્ય તથા તિર્યંચો ઔદારિકકાયયોગી હોય છે, તથા એ જ મનુષ્ય, તિર્યંચો વૈક્રિયકાયયોગવાળા પણ હોય છે. પરન્તુ મનુષ્યો અહીં ફક્ત ગર્ભજ અને પ્રમત્ત ગુણસ્થાન સુધીના જ સમજવા. કારણ કે સમૂર્છાિમ મનુષ્યો અતિસંક્લિષ્ટ પરિણામવાળા હોવાથી તેઓને વૈક્રિયલબ્ધિનો અભાવ છે, તેમજ સર્વ પર્યાપ્તિઓ વડે અપર્યાપ્ત થકા જ તે મરણ પામે છે. જો કે એ સમૂર્છાિમ મનુષ્યોને ૧ ઔદારિકકાયયોગ તો હોય છે જ, કારણ કે તેઓ શરીર પર્યાતિ વડે પર્યાપ્ત થયા બાદ જ મરણ પામે છે. તથા અહીં અપ્રમત્તાદિ મનુષ્યો પણ (વૈક્રિય કાયયોગના સંબંધમાં) ન ગણવા, કારણ કે તેઓ અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી વૈક્રિય લબ્ધિનું ઉપજીવન (રચના) અપ્રમત્તાદિકને ન હોય, તથા અહીં (વૈક્રિયકાયયોગના સંબંધમાં) તિર્યંચો પણ ગર્ભજ જાણવા, કારણ કે સમૂર્શિમ તિર્યંચોને વૈક્રિયલબ્ધિનો અભાવ છે. (એ Jain Education International For Privatas Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy