SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવું. - હવે આ પક્ષને વિષે ઔદારિક શરીર વડે મિશ્ર એવા વૈક્રિયાયોગને પણ જેમ વૈક્રિયમિશ્ર કહેવાય છે, તેમ ઔદારિક પણ વૈક્રિય વડે મિશ્ર છે તો ઔદારિકમિશ્રયોગ પણ કેમ ન કહેવાય. - એમ જો કહેતા હોય તો તે અયુક્ત છે. કારણ કે વ્યપદેશ તો ખરેખર મુખ્ય શરીર વડે જ (એટલે જે શરીરની જે વખતે મુખ્યતા તે શરીર વડે જ) હોય છે. અને વૈક્રિયના ત્યાગ (સંહરણ) વખતે તો વૈક્રિયશરીરસંબંધિ જ ઘણો વ્યાપાર હોવાથી તે વૈક્રિયશરીરની જ મુખ્યતા ગણાય, અને તે કારણથી મિશ્રયોગનો વ્યપદેશ પણ વૈક્રિયશરીર વડે જ થાય, જેથી વાયુકાય ઈત્યાદિને વૈક્રિયના આરંભકાળે વૈક્રિયમિશ્રયોગ ન કહેવાય. કારણ કે એ જીવો ઔદારિક શરીરમાં રહ્યા છતાં વૈક્રિય શરીર રચે છે, તેથી પ્રારંભકાળે ઔદા૦નો વ્યાપાર ઘણો હોવાથી ઔદારિક શરીર જ પ્રધાન છે. તે કારણથી તે વખતે મિશ્રનો વ્યપદેશ દારિકશરીર વડે જ હોય છે, માટે ઔદારિકમિશ્રયોગ (વૈક્રિયના પ્રારંભમાં) કહ્યો છે. કેટલાક આચાર્યો તો વૈક્રિયના આરંભકાળમાં જ વાયુ આદિકને વૈક્રિયમિશ્ર યોગ કહે છે, કારણ કે પ્રારંભ વૈક્રિય શરીરનો હોવાથી વૈક્રિયશરીરની મુખ્યતા ગણાય, એવી અપેક્ષા વડે તે વૈક્રિયશરીર વડે જ મિશ્રયોગ (અર્થાતુ વૈક્રિયમિશ્રયોગ) માને છે, એ તાત્પર્ય છે. અસ્તુ. હવે આ વૈક્રિયમિશ્રની વિશેષ ચર્ચા વડે સર્યું. એ બાબતનો સવિસ્તર વિચાર જાણવો હોય તો તેઓએ શ્રીપ્રજ્ઞાપનાજી સૂત્રની વૃત્તિ જોવી. એ ઉક્ત સ્વરૂપવાળો વૈક્રિયમિશ્ર અને તે કાયા એ સમાસપદ વડે વૈક્રિયમિશ્રકાય કહેવાય, અને તે કાયા વડે જે યોગ-વ્યાપાર તે ૪. વૈશ્વિનિશ્રા યોગ કહેવાય. તથા પૂર્વે કહેલા સ્વરૂપવાળું જે આહારકશરીર એ જ કાયા તે આહારકકાય, અને તે વડે જે યોગ તે ૫. સાહીરઝાયો કહેવાય. - તથા જે યોગમાં આહારકશરીર ઔદારિકશરીર વડે મિશ્ર થાય છે, તે આહારકમિશ્ર, અને એ જ કાય-શરીર તે આહારકમિશ્નકાય, અને તે કાયવડે (આ૦ મિશ્રદાય વડે) જે યોગ-વ્યાપાર તે ૬. હીરમિશ્રછાયયો' કહેવાય. સિદ્ધપ્રયોજન (આહારકશરીર જે કારણથી રચ્યું હોય તે કારણ સિદ્ધ થયે - સમાપ્ત થયે તે) ચૌદ પૂર્વધર મુનિ મહાત્મા આહારકશરીર ત્યાગ કરી પુનઃ ઔદારિકશરીર ગ્રહણ કરવાને પ્રવર્તે છે, ત્યારે આહારકશરીર ઔદારિક શરીર વડે મિશ્ર ગણાય છે, કારણ કે તે વખતે આહારકશરીરનો ઘણો વ્યાપાર હોવાથી આહારકશરીરની મુખ્યતા ગણીને તે વખતે માદાર શરીર વડે જ મિશ્રનો વ્યપદેશ થાય છે, એ તાત્પર્ય છે. અહીં પણ કેટલાક આચાર્યો તો આહારકના પ્રારંભકાળમાં પણ આહારકમિશ્રપણું માને છે, કારણ કે પ્રારંભ આહારકનો હોવાથી મુખ્યતા પણ આહારકની જ ગણાય. માટે મિશ્રનો વ્યપદેશ પણ આહારકશરીરના નામથી જ ગણવો, એમ કહે છે તે જાણવું. ૧. અહીં “ઔદારિક શરીર ગ્રહણ કરવાને પ્રવર્તે છે એટલે “ઔદારિકકાયયોગ પ્રકટ કરવા સન્મુખ થાય છે” એવો અર્થ જાણવો, પરંતુ ઔદારિકશરીર સર્વથા છોડી દીધું છે તેથી તે શરીર પુનઃ પ્રહણ કરવા પ્રવર્તે છે, એમ નહિ, કારણ. કે આહારક – રચના વખતે ઔદા શરીરમાંથી સર્વ આત્મપ્રદેશો નીકળતા નથી, માટે.. Jain Education International For Privat Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy