SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ય એમ ૨ પ્રકારે જ છે. પરંતુ ઉભયરૂપ (સત્યાસત્ય), તેમજ ઉભયના અભાવરૂપ (અસત્યામૃષા) એવા રે ભેદ છે જ નહિ, કારણ કે એ ૨ ભેદનો પણ સત્ય અને અસત્ય એ ૨ ભેદમાં જ અંતર્ભાવ ગણેલો છે એમ જાણવું. ને ૭ પ્રકારનો કાયયોગ હવે કાયયોગ ઔદારિક – વૈક્રિય-આહારક તથા એ ત્રણે સ્વસ્વમિશ્ર અને કાર્પણ એ પ્રમાણે કાયાના ૭ ભેદથી ૭ પ્રકારનો છે. ત્યાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ૩ કાયનું સ્વરૂપ તો પ્રથમ (પ૩મી ગાથામાં અને વ્યાખ્યાર્થમાં) કહેવાઈ ગયું છે. તથા મિસ ઈતિ. અહીં મિશ્ર શબ્દ ત્રણે શરીરમાં પ્રત્યેકમાં સંબંધવાળો થાય છે. અને તે કારણથી દરેક કાયયોગનો સ્વરૂપાર્થ – ભાવાર્થ આ પ્રમાણે : ઔદારિક એ જ કાય - શરીર તે ઔદારિક કાય, અને સહકારી કારણરૂપ એવા તે ઔદારિક શરીર વડે જે યોગ અથવા ઔદારિક શરીરસંબંધિ જે યોગ તે ૧. ગૌરિ હથિયો. અને એ ઔદારિક પદને મિશ્ર પદનો સંબંધ જોડતાં ૨. ગૌરિમિશ્ર કાયયો. અહીં મિશ્રતા તે કામણ શરીર વડે છે એમ જાણવું. તે આ પ્રમાણે – પૂર્વના અનંતર ભવથી પરભવમાં ઉત્પત્તિસ્થાને આવેલો જીવ પ્રથમ સમયે કાર્પણ કાયયોગ વડે જ આહાર ગ્રહણ કરે છે. ત્યારબાદ (બીજા સમયે) ઔદારિક શરીરનો પણ પ્રારંભ થવાથી કાર્પણ વડે મિશ્ર એવા તે ઔદારિક શરીર વડે અન્તમુહૂર્ત સુધી આહાર ગ્રહણ કરે છે. શ્રી નિર્યુક્તિકર્તાએ કહ્યું છે કે – અનંતર સમયે જીવ કાર્મહયોગ વડે આહાર કરે છે, ત્યારબાદ જ્યાં સુધી શરીરની નિષ્પત્તિ-સમાપ્તિ થાય ત્યાં સુધી મિશ્રયોગ વડે આહાર કરે છે.” (અહીં સમાસ આ પ્રમાણે –) ઔદારિક મિશ્ર એવી કાય તે ઔદારિકમિશ્નકાય અને તેના વડે (ઔ૦ મિ0 કાય વડે) જે યોગ તે ઔદારિકમિશ્નકાયયોગ. જો કે મિશ્રતા તો કાશ્મણ તથા ઔદારિક એ બંને શરીરને અંગે ગણવી હોય તો ગણી શકાય, તો પણ “કાર્પણમિશ્ર' એવો વ્યપદેશ થતો નથી, કારણ કે તે સમયે ઔદારિક શરીરની રચનાનો પ્રારંભ હોવાથી તથા એ જ શરીર સંબંધિ ઘણો વ્યાપાર હોવાથી ઔદારિક શરીરની મુખ્યતાએ ઔદારિક શરીરના અંગે જ મિશ્ર શબ્દની વ્યપદેશ થાય છે. અને તેથી જ એ યોગ ઔદારિકમિશ્ર કહેવાય છે, પરંતુ કાર્પણમિશ્ર નહિ. તથા પૂર્વે (૫૩મી ગાથામાં) દર્શાવેલા સ્વરૂપવાળું જે વૈક્રિય એ જ શરીર તે વૈક્રિયશરીર = વૈક્રિયકાય અને તે વડે જે યોગ તે ૩. વૈશ્વિયયયો. તથા જ્યાં કાર્પણ વડે મિશ્ર એવી વૈક્રિયકાય તે વૈક્રિયમિશ્રકાય, અને તે દેવ - નારકોને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અહીં પણ કાર્પણમિશ્રદાય ન કહેતાં વૈક્રિયમિશ્નકાય કહેવાનું કારણ પ્રથમ કહેલા ઔદારિકમિશ્રકાવત્ જાણવું. પુન: બીજી વાત એ છે કે – બાદર પર્યાપ્ત વાયુ, ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યો કે જેઓ વૈક્રિયલબ્ધિવાળા છે, તેઓ વૈક્રિયશરીર રચીને પુનઃ સંહરી ઔદારિકકાયયોગ સન્મુખ થાય ત્યારે તેઓને ઔદારિકકાય વડે મિશ્ર એવો પણ વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. તે કારણથી તે લબ્ધિવંત ગર્ભજ તિર્યંચોને તથા ગર્ભજ મનુષ્યોને પણ વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે એમ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy