SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારો તે પણ સત્યાસત્ય મનોયોગ છે, કારણ કે એ વિચાર સ્થૂલ વ્યવહારનયની દૃષ્ટિએ (સ્કૂલ બુદ્ધિથી) વિચારીએ તો સત્ય છે. પરંતુ નિશ્ચયનયના મતથી (સૂક્ષ્મ બુધ્ધિથી) વિચારીએ તો એ વિચા૨ પ૨ જીવને પીડાકારી અને પાપકર્મોનો બંધ કરાવનાર હોવાથી અસત્ય છે, માટે એ વિચાર સત્યાસત્ય મનોયોગ છે. પુનઃ એ જ પ્રશ્નમાં (પ્રશ્નના ઉત્ત૨માં) ‘તે ચોર અથવા તે હરિણો આ અહીં આગળ ગયા છે વા ઊભાં છે' ઈત્યાદિ વચનો બોલતાં આગળ કહેવાતો સત્યાસત્ય વચનયોગ થાય છે, કારણ સ્થૂલ બુદ્ધિથી વિચારતા એ વચન વ્યવહારથી જો કે સત્ય છે, પરંતુ નિશ્ચયથી તો એ વચન અસત્ય છે. જે કારણથી કહ્યું છે કે - ‘અલિક (મૃષા-અસત્ય) ન બોલવું. તેમજ જે વચન પર જીવને પીડાકારી હોય અને તે સત્ય હોય તો તેવું સત્ય પણ ન બોલવું. કારણ કે જે વચન પર જીવને પીડાકારી હોય તેવું સત્યવચન પણ સત્ય ન કહેવાય. ||૧||’ તથા જે વચનમાં સત્યનો ભાવ ન હોય, તે અસત્ય. તેમજ જે વચનમાં ધૃષા – અસત્યનો પણ ભાવ ન હોય તે અમૃષા. પુનઃ ‘અસત્ય અને તે અમૃષા' એ બે પદના સમાસથી ૪ તત્ત્વાįષા યોગ પૂર્વવત્ કર્મધારય સમાસ પ્રમાણે થાય છે. તેમજ કર્મધારય સમાસ પ્રમાણે અસત્યામૃષા અને તે મનયોગ એટલે ૪. સત્યાટ્ટાનનોયો. તેનું સ્વરૂપ - 1 અહીં વિ`પ્રતિપત્તિ વિવક્ષામાં જ વસ્તુસ્વરૂપસ્થાપનના અભિપ્રાયથી પ્રમાણ (અનુમાન આદિ) વડે અબાધિત (અવિરુદ્ધ), અને શ્રી સર્વજ્ઞમતના અનુસારે જે વિચાર કરાય અથવા વચન બોલાય તે સત્ય કહેવાય. જેમ કે ‘જીવ છે અને તે સત્ તથા અસત્ પણ છે,’ ઈત્યાદિ વિકલ્પ અથવા વચનોચ્ચાર તે સત્ય ગણાય, કારણ કે એ વિચારમાં અને વચનમાં શ્રીજિનેન્દ્રની આજ્ઞાનું આરાધકપણું છે. તથા જે વિપ્રતિપત્તિ વિવક્ષામાં જ વસ્તુસ્વરૂપસ્થાપનના અભિપ્રાયથી, બાધિત (પ્રતીતિબાધિત) તેમજ શ્રી સર્વજ્ઞમતથી વિપરીત એવો કોઈપણ પ્રકારનો વિચાર અથવા વચનોચ્ચાર અસત્ય ગણાય છે. જેમ કે - ‘જીવ નથી, અથવા જીવ એકાન્ત નિત્ય જ છે' ઈત્યાદિ વિકલ્પ વા વચન ઞસત્ય કહ્યું છે, કારણ કે એ વિચારથી અને વચનથી જીવને શ્રીજિનેન્દ્રાજ્ઞાનું વિરાધકપણું છે. તથા જેનું તત્ત્વ પ્રમાણ વડે બાધિત અને અબાધિત હોય એવા અશોકવનાદિક સંબંધી વિચાર તથા વચન સત્તાતત્ય છે, કારણ કે એ વિચારમાં તથા વચનમાં જીવને વિરાધકપણું અને આરાધકપણું ઉભય મિશ્રભાવે વર્તે છે. પરંતુ વિપ્રતિપત્તિ વિના જ વસ્તુસ્વરૂપસ્થાપનના અભિપ્રાયરહિત વસ્તુનું સ્વરૂપ માત્ર દર્શાવનારો અને વ્યવહાર (લોકવ્યવૈવહાર)ને અનુસરતો એવો જે કંઈ વિચાર મનમાં વિચારાય અથવા વચન વડે બોલાય, જેમ કે ‘હે દેવદત્ત ! ઘટ લાવ, મને ગાય આપ’ ઈત્યાદિ; એવા પ્રકારનું ૧. કોઈપણ વસ્તુધર્મની પ્રતીતિ – શ્રદ્ધા- નિર્ણય --પ્રથમ ન હોય, તે અહીં વિપ્રતિપત્તિ કહેવાય, તેવા જીવમાં જ વસ્તુસ્વરૂપના નિર્ણયથી સત્ય વા અસત્ય ભાવ સંભવે છે. ૨. આ વસ્તુ - પદાર્થ અમુક આવા સ્વરૂપવાળો છે, એમ પોતાની પ્રતીતિથી ચોક્કસ પણે જે વિચારવું અથવા કહેવું તે વસ્તુસ્વરૂપસ્થાપનના અભિપ્રાય કહેવાય. ૩. અહીં વચનયોગમાં વચનોચ્ચાર જે રીતે જે ભાષા પ્રમાણે લોકસમુદાયમાં બોલાતો હોય તેમજ વિશેષતઃ મનાતો હોય (એટલે વ્યવહારમાં જે પ્રસિદ્ધ અર્થવાળો હોય) તે અર્થને અનુસારે વિચારવું અથવા બોલવું. ઈતિ તાત્પર્ય. Jain Education International For Privateersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy