SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વડે જે યોગ તે જાયયોગ. અથવા કાયાસંબંધી જે યોગ તે હ્રાયયોગ. એ ૩ પ્રકારનો યોગ પુનઃ ૧૫ પ્રકારનો છે તે આગળ કહેવાશે. ॥ ૪ પ્રકારનો મનયોગ અહીં પ્રથમ મનોયોગ ૪ પ્રકારનો છે. તે આ પ્રમાણે - સન્ત એટલે મુનિઓ અથવા જીવાદિ પદાર્થો, તેઓનું ક્રમશઃ મુક્તિદાતાપણે, અથવા યથાર્થ વસ્તુસ્વરૂપના વિચાર વડે જે કલ્યાણકારી ચિંતવન તે ૧ સત્ય. જેમ કે - જીવ પદાર્થ વિદ્યમાન છે અને શરીરમાત્રમાં વ્યાપ્ત થયેલો છે ઈત્યાદિ રીતે યથાર્થ વસ્તુસ્વરૂપનું ચિંતવન તે સત્ય. ‘પુનઃ સત્ય અને તે મનોયોગ.’ એ સમાસથી ૧. સત્યમનોયોગ છે. (હવે આ સંબંધે જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે આ પ્રમાણે :) પ્રશ્ન :- યોગ તો પરિસ્પન્દક્રિયા (સ્ફુરણ ક્રિયા) રૂપ છે, તો તેને (યોગને) સત્ય-અસત્ય ઈત્યાદિ વ્યપદેશ કેમ ઘટે ? (અર્થાત્ ક્રિયાત્મક યોગ તે સત્ય, અસત્ય કેવી રીતે હોય ?) કારણ કે તેવા પ્રકારની પ્રતીતિ (સત્ય – અસત્યપણાની પ્રતીતિ) થતી નથી. ઉત્તર :- એ વાત સત્ય છે; તો પણ સત્ય-મનોવિજ્ઞાનનું સહકારી કારણપણું (યોગમાં) હોવાથી મનોયોગને સત્ય-અસત્ય કહી શકાય છે. કારણ કે અહીં કારણમાં કાર્યધર્મનો ઉપચાર છે. આ પ્રમાણે વચનયોગ વિગેરેમાં પણ સત્ય - અસત્યપણાનો વ્યપદેશ થઈ શકે છે એમ જાણવું. તથા સત્યથી જે વિપરીત તે અસત્ય. અર્થાત્ ‘જીવ નથી,’ અથવા ‘તે જીવ સર્વવ્યાપી છે' ઈત્યાદિ અયથાર્થ વસ્તુ વિચારણા તે અસત્ય, એ તાત્પર્ય છે. વળી ‘તે અસત્ય અને મનોયોગ' એ બેના સમાસ થી ૨. અસત્યમનોયો છે. તથા સત્ય અને અસત્ય એમ ઉભય પ્રકાર તે સત્યાસત્ય કહેવાય. ‘કૃતાકૃતાદિ’ પદની પેઠે આ કર્મધારય સમાસ છે. તે ‘સત્યાસત્ય અને મનોયોગ' એ પણ કર્મધારય સમાસ પ્રમાણે ૩. સત્યાસત્યમનોયોગ છે. અહીં સત્યાસત્યનું સ્વરૂપ આ પ્રમાણે :- ધવ - ખદિર અને પલાશ આદિ અનેક વૃક્ષોથી મિશ્ર એવા ઘણા અશોકવૃક્ષવાળા વનને અંગે ‘આ અશોકવન જ છે,’ એવા પ્રકારનો જ્યારે વિચાર કરે ત્યારે પ્રસ્તુત મનોયોગનો વિષય ગણાય; (એટલે સત્યાસત્ય મનોયોગ ગણાય) કારણ કે વનમાં ઘણાં અશોકવૃક્ષ હોવાથી તે વિકલ્પ (‘આ અશોકવન જ છે,' એવો વિચા૨) સત્ય છે, પરંતુ બીજા પણ ધવ - ખદિરાદિ અનેક વૃક્ષો હોવાથી અસત્ય છે. એ પ્રમાણે અહીં મિશ્રપણું હોવાથી એ ૩. સત્યાસત્યમનોયોગ કહેવાય છે. આ કારણથી જ આ ગ્રંથકર્તાએ સત્યાસત્યને (ગાથામાં) મિશ્ર (મીતે) યોગ કહ્યો છે. એ કહેલું અશોકવનનું દૃષ્ટાન્ત તો ઉપલક્ષણમાત્ર છે. તેથી ‘આખા નગ૨માં ઘરે ઘરે બાળકો જન્મ્યા છે, ઘેર ઘે૨ વિવાહ છે’ ઈત્યાદિ વિચાર પણ પ્રસ્તુત મનોયોગના વિષયવાળો છે (એટલે સત્યાસત્ય મનોયોગ છે) એમ જાણવું. તથા એ જ અશોકવનાદિકને વચન વડે બોલતાં આગળ કહેવાતો સત્યાસત્ય વચનયોગ થાય છે. ॥ ચોર અને હરણો સંબંધિ પ્રશ્નનો ઉત્તરા વળી ‘આ સ્થાને ક્યાંક તમે ચોર અથવા હરણને દેખ્યા છે ?’ એમ કોઈએ પૂછવાથી ‘તે ચોર અથવા હરણો આ અહીં આગળ જ ગયા છે વા ઊભાં છે', એમ કહું, તો એવા પ્રકારના Jain Education International For Private&Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy