SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ સમાપ્ત થયો. ૫૪ - વતર :- એ પ્રમાણે ત્રીજું પ્રસંગસહિત કાયમાર્ગણા દ્વારા સંપૂર્ણ કહીને હવે ૪થું દ્વાર યો HIT કહે છે. તે આ પ્રમાણે : सचे मोसे मीसेऽसच्चमोसे मणे य वाया य । ओरालिय वेउब्विय, आहारय मिस्स कम्मइए ॥५५॥ માથાર્થ:- સત્ય-મૃષા-મિશ્ર અને અસત્યામૃષા એ ચાર પ્રકારના મનયોગ તથા વચનયોગ (મળીને ૮ યોગ) તથા ઔદારિયોગ, વૈક્રિયયોગ, આહારયોગ, તેમજ એ ત્રણે મિશ્રયોગ (એટલે ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયમિશ્રયોગ, આહારકમિશ્રયોગો અને કાર્મહયોગ એ પ્રમાણે ૧૫ યોગ છે. //પપા વ્યથાર્થ : મનસંબંધી તથા વચનસંબંધી જે યોગ તે પ્રત્યેક સત્ય-મૃષા-મિશ્ર અને અસત્યામૃષા એમ ૪ પ્રકારનો છે, એ અક્ષરાર્થ કહ્યો. હવે એ ૮ યોગસંબંધી ભાવાર્થ કહેવાય છે, તે આ પ્રમાણે : | | યોગ એટલે શું? તેનો શબ્દાર્થ // અહીં “યોગ' એ પદનો પ્રથમ તો શબ્દાર્થ (વ્યુત્પત્તિ અર્થ) શું? તે કહેવાય છે – વોઝન = જોડવું - જોડાવું તે યોગ એટલે જીવનું વીર્ય-શક્તિ-ઉત્સાહ- પરાક્રમ - ચેષ્ટા અથવા ફુરણા. અથવા એટલે પાવન - વલ્ગન - (દોડવું - વળગવું) ઈત્યાદિ ક્રિયાઓમાં લાગૃત થાય તે જો એ કર્મણિ પ્રયોગ છે. (અર્થાતુ અહીં ‘યોગ' કર્મ તરીકે છે.) અથવા યુવતે એટલે ઘાવન - વલ્ગનાદિ ક્રિયાઓમાં જીવ જેના વડે સંબંધવાળો થાય - જોડાય તે યોગ, એ પ્રમાણે કરણરૂપ પણ યોગ છે. (અર્થાત્ યોગ એ કરણ પણ છે.) એ કરણરૂપ યોગ મન-વચન-કાયાના ભેદથી ૩ પ્રકારનો છે. તે આ પ્રમાણે - (૧) મનોયો (૨) વવનોr (૩) માયા | મનયોગ - વચનયોગ - કાયયોગનો સામાન્ય અર્થ / સંક્ષિ પંચેન્દ્રિય જીવોએ કાયયોગ વડે મન:પ્રાયોગ્ય પુગલવર્ગણાઓમાંથી ગ્રહણ કરીને મનપણે પરિણાવેલાં એટલે વસ્તુના ચિંતવનમાં પ્રવર્તાવેલાં જે પુદ્ગલદ્રવ્યો તે ન કહેવાય છે, અને સહકારી કારણભૂત એવા તે મન વડે (એટલે મનનાં પુદ્ગલો વડે) જે યોગ તે મનો કહેવાય. અથવા તો મનસંબંધી જે યોગ તે નો એવો પણ અર્થ થાય છે. તથા ૩nતે = બોલાય તે વન એટલે ભાષાપરિણામને પ્રાપ્ત થયેલાં પુદ્ગલદ્રવ્યોનો સમૂહ તે વચન. અને સહકારી કારણભૂત એવા તે વચન વડે (વચનપુદ્ગલો વડે) જે યોગ (વચનોચ્ચાર ક્રિયા) તે વચનયોગ. અથવા વચનસંબંધી જે યોગ તે વયો. તથા વીવતે = અજ્ઞાદિ વડે વૃધ્ધિ પામે તે વફા = શરીર ઔદારિકાદિ ૫ પ્રકારનું છે. તે સહકારી કારણભૂત એવા ઔદારિકાદિ કાય ૧. “પ્રસંગ સહિત” એટલે પ્રસંગે કહેલાં યોનિદ્વાર તથા કુલદાર સહિત. ૨-૩-૪. અહીં પહેલા અર્થમાં ક્રિયા પોતે યોગ છે, બીજા અર્થમાં વાવન-વલ્સનાદિ ક્રિયા, જીવ કર્તા અને યોગ કર્મ છે. અને ત્રીજા અર્થમાં ધાવનાદિ ક્રિયા, જીવ કર્તા અને યોગ એ કરણ છે. એ ભાવાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy