SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૦ યોજન પ્રમાણ છે. અથવા તો કમળની નાળ ઈત્યાદિકની અપેક્ષાએ ૧૦૦૦ યોજનથી કંઈક અધિક પણ છે. તે કારણથી આ ઔદારિક શરીર શેષ સહજ (મૂળ) શ૨ી૨ોથી ઘણા મોટા પ્રમાણવાળું જાણવું. (એ ઔદારિક શરીરનો શબ્દાર્થ કહ્યો.) તે દેવો ઉત્ત૨વૈક્રિય રચવાની ઈચ્છાવાળા થયા છતા પ્રથમ વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્દાત કરે, સમુદ્દાત કરીને સંખ્યાત યોજનનો દંડ બહાર કાઢે, બહાર કાઢીને યથાબાદર (સ્થૂલ અસાર) પુદ્ગલો દૂર કરે અને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે, અને તેમ કરીને બીજીવાર પણ વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્દાત કરે ઈત્યાદિ વિશેષ અર્થ શ્રી ભગવતીજી આદિથી જાણવો. તથા વિ વિવિધ પ્રકારની – ક્રિયા તે વિકિયા, અને તે વિક્રિયામાં થયેલું (અર્થાત્ વિક્રિયાવાળું) તે વૈદ્રિય શરીર કહેવાય. તથા વૈક્રિય શરીરની હેતુભૂત ક્રિયાઓનું વૈક્રિય સમુદ્દાત કરવાને દંડનિસર્ગ આદિ વિવિધપણું શ્રી પ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી) આદિ ગ્રંથોમાં દર્શાવ્યું છે. તે આ પ્રમાણે : " ताहे चेव णं से वेउव्वियं काउकामे वेउव्वियसमुग्धाएणं समोहण्णइ, समोहणित्ता संखेजाई जोयणाई दंडं निसिरइ, निसिरित्ता अहाबायरे पोग्गले परिसाडेइ परिसाडित्ता अहासुहुमे पोग्गले परियाइयइ [परियाइत्ता] दोच्चंपि वेउव्वियसमुग्घाएणं समोहण्णइ' इत्यादि. એવા પ્રકારની વિક્રિયા વડે બનેલું હોવાથી એ વૈક્રિય શરીર કહેવાય છે, અર્થાત્ અસ્વાભાવિક શ૨ી૨. (સમુદ્દાત વડે બનતું વૈક્રિય શરીર અસ્વાભાવિક - કૃત્રિમ શ૨ી૨ છે.) પ્રશ્ન :- ‘વિક્રિયા વડે બનેલું તે વૈક્રિય' એ વ્યુત્પત્તિ વડે તો ઉત્તર વૈક્રિય શ૨ી૨નું જ ગ્રહણ થાય, પરંતુ સ્વાભાવિક (મૂળ) વૈક્રિયનું ગ્રહણ થાય નહિ, કારણ કે સ્વાભાવિક વૈક્રિય શરીર તો સમુદ્દાત આદિ ક્રિયા વિના જ પ્રગટ થાય છે. (તો મૂળ વૈક્રિય શરીરને વિક્રિયાની વ્યુત્પત્તિ કેમ ઘટે ?) ઉત્તર :- એ વાત જો કે સત્ય છે, તો પણ ઉત્તર વૈક્રિયની સમાન જાતિવાળાં પુદ્ગલોથી (એટલે ઉત્તર વૈક્રિયનાં અથવા મૂળ વૈક્રિયનાં પણ પુદ્ગલો વૈક્રિયવર્ગણાનાં છે તે કારણથી સમાનજાતીય પુદ્ગલોથી) ઉત્તર વૈક્રિયના સરખું મૂળ વૈક્રિય શ૨ી૨ (અર્થાત્ જેવું ઉત્તર વૈક્રિય તેવું મૂળ વૈક્રિય) છે, તે કારણે ઉપચારથી તે સ્વાભાવિક શરીર પણ વૈક્રિય શરીર કહેવાય. અથવા બીજો અર્થ વિચારીએ તો ઔદારિક શરીરોની અપેક્ષાએ વિ = વિશિષ્ટ અથવા વિલક્ષણ ક્રિયા તે વિયિા. તે વિક્રિયાને વિષે થયેલું જે શરીર તે વૈક્રિય શરીર, એવી વ્યુત્પત્તિ વડે તો મૂળ શરીર પણ વૈક્રિય શરીર કહી શકાય. તથા ‘પ્રાણીની દયા માટે, શ્રી તીર્થંકર ભગવંતની સમવસરણાદિ ઋદ્ધિ દેખવા માટે, સૂક્ષ્મ અર્થનું (શાસ્ત્રના રહસ્યનું) અવગાહન ક૨વા (જાણવા) માટે, અથવા તો સંદેહ દૂર કરવા ૧. તે દેવો ઉત્તરવૈક્રિય રચવાની ઈચ્છાવાળા થયા છતા પ્રથમ વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્દાત કરે, સમુદ્દાત કરીને સંખ્યાત યોજનનો દંડ બહાર કાઢે, બહાર કાઢીને યથાબાદર (સ્કૂલ અસાર) પુદ્ગલો દૂર કરે અને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે, અને તેમ કરીને બીજીવાર પણ વૈક્રિય સમુદ્દાત વડે સમુંદ્ઘાત કરે ઈત્યાદિ વિશેષ અર્થ શ્રી ભગવતીજી આદિથી જાણવો. Jain Education International For Private & Personal Use Only ૬૦ www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy