SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નોદ ઈતિ. અહીં પદના એક દેશભાગ વડે પણ સમગ્ર પદનું ગ્રહણ થતું હોવાથી ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનવાળા જીવો” એમ જાણવું. ત્યાં ચોઘ એ વૃક્ષવિશેષ છે. તે વૃક્ષ સરખું રિમંડ = મંડલાકારવાળું તે વાઘોઘારખંડન સંસ્થાન છે. જેમ ચોધ વૃક્ષ ઉપરના ભાગમાં મનોહર અને સંપૂર્ણ અવયવવાળું હોય છે, પરંતુ નીચેના ભાગમાં તેવું હોતું નથી, તેમ જે જીવોને નાભિથી ઉપરનો ભાગ ઘણા વિસ્તારવાળો એટલે શરીરનાં લક્ષણ તથા પ્રમાણથી યુક્ત હોય છે, અને નાભિથી નીચેનો ભાગ હીનાધિક પ્રમાણવાળો હોય છે, એવું જે સંસ્થાન તે ચોઘપરિમંડ સંસ્થાન કહેવાય. સારું = સાદિ. અહીં ગઢિ એટલે નાભિથી નીચેનો ઉત્સવ નામનો ભાગ જાણવો. તે શરીરનાં લક્ષણ તથા પ્રમાણથી યુક્ત એવા આદિ ભાગ વડે સ = સહિત વર્તે – હોય તે સારું સંસ્થાન કહેવાય. અહીં કંઈ પણ વિશેષતા ન વિચારીએ તો સંપૂર્ણ શરીર (સર્વ બાજુથી) આદિ સહિત વર્તે છે જ, જેથી ૩દ્ધિ વિશેષણની અન્યથા ઉપપત્તિ (નિરર્થકપ્રાયઃ) થઈ જાય છે. તે કારણથી અહીં “આદિ' વિશેષણ વિશિષ્ટતાવાળું જ પ્રાપ્ત થાય છે. (અર્થાતુ આદિ પદથી અંગના દરેક ભાગ છોડીને નાભિની નીચેનો જ ભાગ ગ્રહણ કરવાથી આદિ પદ અહીં વિશિષ્ટતાવાળું છે). એ સાદિ સંસ્થાનના યોગથી જીવો પણ સાદિ સંસ્થાનવાળા કહેવાય. (એ ત્રીજા સંસ્થાનનું સ્વરૂપ કહ્યું.). ગુજ્ઞ ય ઈતિ. અર્થાત્ બુબ્બ%. જે સંસ્થાનમાં હાથ, પગ, શીર્ષ અને ગ્રીવા એ ૪ અવયવો લક્ષણ તથા પ્રમાણયુક્ત હોય, અને શેષ કાયારૂપ કોષ્ટ (કોઠો) ભાગ હીનાધિક પ્રમાણવાળો હોય તે ચોથું સુનું સંસ્થાન કહેવાય. તેના યોગે જીવો પણ વધુળ કહેવાય. વામન ઈતિ. જે સંસ્થાનમાં હાથ, પગ, શીર્ષ અને ગ્રીવા એ ૪ અંગ લક્ષણ રહિત હોય અને પૃષ્ઠ (પીઠ), ઉદર ઈત્યાદિ શેષ કાયારૂપ કોષ્ટ (કોઠો) લક્ષણયુક્ત હોય તે પમ્ વામન સંથી ન કહેવાય, અને તેના યોગથી જીવો પણ વામન સંસ્થાનવાળા કહેવાય. ટૂંડા ઈતિ. જે સંસ્થાનમાં પ્રાયઃ એક પણ અવયવ સુલક્ષણ યુક્ત હોય નહિ તે સર્વ અંગે અલાક્ષણિક આકારવાળું છઠું હુંડ સંસ્થાન કહેવાય, અને તેના યોગથી જીવો પણ હુંડક સંસ્થાનવાળા કહેવાય. પ્રશ્ન :- એવા કયા જીવો છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળાં ૬ સંસ્થાનયુક્ત હોય? ઉત્તર :- પંક્વેિટિય તિરિયના ઈતિ. અનેક જીવો આશ્રયિ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યો પૂર્વે કહેલા છએ સંસ્થાનવાળા જાણવા. તથા “સુર સમ' એટલે દેવો સર્વે પણ સમચતુરગ્ન સંસ્થાનવાળા છે. અને એ કહેલા જીવોથી બાકી રહેલા જીવો - નારક, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય - તે સર્વે હુંડક સંસ્થાનવાળા જ છે. અહીં લાઘવને ખાતર સમકાળે (એકજ ગાથામાં) સંસ્થાન અને તેના સ્વામી પણ દર્શાવ્યા છે. એ પ્રમાણે પ૧ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. નેપલા વિતરVT : પૂર્વ ગાથામાં એકેન્દ્રિયોને સામાન્યથી હુંડક સંસ્થાન દર્શાવ્યું. પરંતુ તે પૃથ્વીકાયાદિકને મસૂરાદિ આકારના ભેદથી જુદું જુદું જાણવું. તે જ વાત આ ગાથામાં કહેવાય Jain Education International For Private Cersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy