SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ गूढसिरसंधिपव्वं, समभंगमहीरयं च छिनरुहं । साहारणं सरीरं, तविवरीयं च पत्तेयं ॥३७॥ માથાર્થ ઃ ગુપ્ત શિરા, ગુપ્ત સાંધા, ગુપ્ત પર્વ - ગાંઠા, ભાંગવાથી સરખા ભાગ થાય તે સમભંગ, હીરક-રસારહિત, તથા છેદ્યા છતાં વાવવાથી પુનઃ ઊગે તે છિન્નરુહ; એ લક્ષણોવાળી વનસ્પતિ સાધારણ શરીરવાળી જાણવી, અને એથી વિપરીત લક્ષણોવાળી વનસ્પતિ પ્રત્યેક શરીરવાળી (એટલે પ્રત્યેક વનસ્પતિ) કહેવાય. ૩થી - વ્યાધ્યાર્થ : અહીં જે વનસ્પતિમાં પત્રની-કાંડની (સ્કંધની) - નાળની તથા શાખા વગેરેની શિરા ગૂઢ એટલે ઓળખી-દેખી ન શકાય તેવી હોય, તથા સંધિઓ અને પર્વ ગૂઢ હોય, તથા જે વનસ્પતિને ભાંગતાં એટલે શાખાદિકને ભાંગતાં તેમજ પત્રાદિકને તોડતાં સમ - અદંતર - (સરખો સપાટ) નં – ભેદ થાય, તથા હીરક એટલે તંતુ-રેસા જેના મધ્યે ન હોય, તથા જે વનસ્પતિને છેદીને ગૃહાદિકમાં લાવી (ઘેર લાવી) શુષ્કતાદિ અવસ્થા પામવા છતાં પણ (સૂકવવા છતાં પણ) જળાદિક સામગ્રી પામીને ગળો ઇત્યાદિની માફક જે પુનઃ પણ ઊગી નીકળે છે તે છિન્નઇ કહેવાય. એ સર્વ લક્ષણોવાળી વનસ્પતિનું શરીર તથા પૂર્વે કહેલી સેવાલ આદિ વનસ્પતિ સિવાયની બીજી પણ વનસ્પતિઓનું અનંત જીવોવાળું શરીર તે સાધારણ શરીર જાણવું. અને તેથી વિપરીત લક્ષણવાળું હોય તે પ્રત્યેક શરીર જાણવું. તથા એ ગૂઢસિર આદિ કહેલાં લક્ષણ તે બીજાં પણ લક્ષણોનું ઉપલક્ષણ – ગ્રહણદર્શક છે, જે કારણથી બીજાં લક્ષણો આ પ્રમાણે કહ્યાં છે કે – જે વનસ્પતિને ભાંગતાં કુંભારના ચક્ર સરખો અદસ્તુર – સમાન ભાગ થાય, તથા જે વનસ્પતિની ગ્રંથિ - ગાંઠ ઉજ્જવલ ચૂર્ણઘન હોય એટલે જે વનસ્પતિની ગાંઠને ભાંગતાં ઉજ્જવલ ઘણું ચૂર્ણ ઊડતું દેખાય, તે વનસ્પતિ અનંત જીવોનું સાધારણ શરીર છે એમ જાણવું. એ વનસ્પતિનો એવો સરખો ભાગ કેવી રીતે – ક્યા પ્રકારે થાય? તે સંબંધમાં દૃષ્ટાંત કહે છે કે, પૃથ્વી સરખા ભેદ વડે જેનો સરખો ભેદ થાય તે સાધારણ શરીર જાણવું. અહીં પૃથ્વી તે કેદાર વગેરેની (એટલે ક્ષેત્રાદિકની ભૂમિ) ઉપર રહેલી સૂકી ખખોટી અથવા બારીક ખડીની બનાવેલી વર્તિકા (સળી) ગ્રહણ કરવી. જેમ તે માટીની સૂકી ખપોટી (પોપડી) ભાંગતાં તથા ખડીની સળી ભાંગતાં દાંતારહિત સરખો ભેદ થાય છે, તેમ જે વનસ્પતિ પણ ચક્રના આકાર સરખી દાંતારહિત ભાંગે તે સાધારણ વનસ્પતિ કહેવાય.” એ ૩૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. i૩૭ી. અવતરT : એ પ્રમાણે પૃથ્વીકાય વગેરે પાંચે સ્થાવરોનું નિરૂપણ કર્યું, અને હવે ત્રીવનું સ્વરૂપ કહેવાય છે : दुविहा तसा य वुत्ता, वियला सयलिंदिया मुणेयव्या । बितिचउरिदिय वियला, सेसा सयलिंदिया नेया ॥३८॥ માથાર્થ : ત્રસ જીવો બે પ્રકારના કહ્યા છે : ૧. વિકલેન્દ્રિય અને ૨. સકલેન્દ્રિય જાણવા. ત્યાં કીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય એ ૩ પ્રકારના વિકસેન્દ્રિય છે અને શેષ સર્વ જીવો For Private hersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy