SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જેમ શ્લેષદ્રવ્ય (સ્નિગ્ધ દ્રવ્ય) વડે મિશ્રિત થયેલા સર્વ અનેક સર્ષપોની વાળેલી વર્તિકા (બત્તી આકારની સળી) એકરૂપ દેખાય છે, તેમ પ્રત્યેક શરીરી જીવોનાં શરીરોનો સમૂહ પણ ૧ શરીર સરખો દેખાય છે ||૧|| અથવા ઘણા તલ વડે મેળવેલી (અનેક તલના દાણાથી ભેગી થયેલી) તલસાંકળી જેમ એકરૂપે દેખાય છે તેમ પ્રત્યેક શરીરી જીવોનાં પ્રત્યેક શરીરોનો સમુદાય પણ ૧ શરીરરૂપે દેખાય છે. રા તથા અનંત જીવોનું એક વ્હાય શરીર જે વનસ્પતિઓમાં છે તે વનસ્પતિઓ (અથવા તે શરીરો અથવા તે જીવો) અનંતાય કહેવાય છે. એ પ્રત્યેક વનસ્પતિઓ તથા અનંતકાય વનસ્પતિઓ મૂલબીજ આદિ ભેદથી ઉ૫૨ કહેલા ૭ ભેદવાળી સંભવે છે જ. એ પ્રમાણે ૩૪મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૩૪।। અવતર્ઃ પૂર્વ ગાથામાં પ્રત્યેક વનસ્પતિના તથા અનંતકાય વનસ્પતિના ૭-૭ ભેદ કહીને હવે આ ગાથામાં કંદ-મૂલ ઈત્યાદિની મુખ્યતાએ વનસ્પતિના સામાન્ય ભેદ કહે છે ઃ कंदा मूला छल्ली, कट्ठा पत्ता पवाल पुप्फ फला । गुच्छा गुम्मा वल्ली, तणाणि तह पव्वया चैव ||३५|| - ગાથાર્થ : કંદ – મૂળ - છાલ - કાષ્ટ – પત્ર - પ્રવાલ – પુષ્પ – ફળ – ગુચ્છા – ગુલ્મ – વલી તૃણ તથા પર્વજ એ નિશ્ચય વનસ્પતિના સામાન્ય ભેદ છે. ।।૩પા - વ્યાધ્ધાર્થ : અહીં કંદની મુખ્યતાવાળી` વનસ્પતિઓનું નામ ન્દ્ર વનસ્પતિ છે, અને તેવી વનસ્પતિઓ સૂરણ ઇત્યાદિ જાણવી. કારણ કે એ કંદ વનસ્પતિઓના (સૂરણ આદિકના) કંદમાં જ ઘણા (અનંત) જીવો હોય છે, અને તે કંદો જ લોકમાં ઘણા ઉપયોગી હોય છે તથા તે (કંદનો, કંદના જીવોનો) વિનાશ થતાં તેના સંબંધવાળી સર્વ વનસ્પતિનો પણ વિનાશ થાય છે. એ પ્રમાણે કહેલી પદ્ધતિએ બીજી વનસ્પતિઓમાં પણ જેમાં જેની મુખ્યતા સંભવે તે તેની મુખ્યતાનું - નામનું કારણ સ્વતઃ વિચારવું. ત્યારબાદ એરંડા આદિ વનસ્પતિઓમાં મૂળની મુખ્યતા હોવાથી તે મૂત્ત વનસ્પતિ જાણવી. છલ્લી એટલે ત્વચા, અને તે ત્વચાની – છાલની મુખ્યતાવાળી કદલી (કેળ) આદિ વનસ્પતિઓ ત્યા વનસ્પતિ છે. વનસ્પતિની અંદર રહેલ કાષ્ઠની મુખ્યતાએ ખદિર (ખેર) આદિ વૃક્ષો ષ્ટિ વનસ્પતિ છે. નાગવલ્લી આદિ પત્રની મુખ્યતાવાળી વનસ્પતિઓ પત્ર વનસ્પતિ છે. પ્રવાલની મુખ્યતાવાળી અશોક આદિ પ્રવાન વનસ્પતિ કહેવાય. પુષ્પની મુખ્યતાવાળી જાઈ ઇત્યાદિ પુષ્પ વનસ્પતિ કહેવાય. ફળની મુખ્યતાવાળી બદરી (બોરડી) આદિ વનસ્પતિઓ જ્ઞ વનસ્પતિ કહેવાય. એ પ્રમાણે વનસ્પતિના તે તે અંગની – અવયવોની મુખ્યતાએ વનસ્પતિઓ તે તે નામવાળી કહી છે. (હવે અંગની મુખ્યતા વિના બીજી રીતે વનસ્પતિભેદ દર્શાવે છે. તે આ પ્રમાણે -) ૧. એ કંદવનસ્પતિઓમાં મૂળ – કંદ - ત્વચા - પત્ર – પુષ્પ ઇત્યાદિ અંગ હોય છે તો પણ લોકપ્રસિદ્ધિમાં કંદ આદિ એક અવયવની મુખ્યતા ગણીને કંદવનસ્પતિ આદિ નામો ગણાય છે. For Private &rsonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy