SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ રોમસ - પારસ – ખસ – ખાસિક. ૧ાા દુબિલય - લકુશ - બોક્કસ - ભિલ્લ – અંબ - પુલિંદ - કુચ - ભ્રમર - રૂત - કુંચાય - ચીન - ચુંચક - માણવ - દમિલ - કુલગ્ય. Yરા કેક્રય - કિરાત - યમુખ – ખરમુખ - તુરંગમુખ – મેંઢમુખ - હયકર્ણ - ગજકર્ણ - અને એ સિવાય બીજા પણ ઘણા પ્રકારના અનાર્ય મનુષ્યો છે. Iral (આ ત્રણ ગાથાનો અર્થ છે). તથા પાપી - ચંડ- રુદ્ર - નિર્દય – અનુકંપારહિત તથા જેઓ ઘર્મ એવો અક્ષર સ્વપ્ન પણ સાંભળતા નથી તેવા પુરુષો અનાર્ય મનુષ્યો કહેવાય છે. જો અહીં કર્મભૂમિ, ભોગભૂમિજ અને અત્તરદ્વીપજ એ ત્રણ પ્રકારના મનુષ્યોના ગર્ભજ અને સમૂર્ઝન એ બે બે ભેદ સામાન્યથી સંભવે છે; કારણ કે કર્મભૂમિ આદિ ત્રણે સ્થાનોમાં પ્રત્યેકમાં ગર્ભજ અને સમ્મર્શિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે, અને આર્ય તથા મ્લેચ્છ એ બે ભેદ તો કેવળ કર્મભૂમિજ મનુષ્યોના જ જાણવા. બીજામનુષ્યો તો ભોગપુરુષપણા વડે જુદા પ્રકારના ભેટવાળા હોવાથી આર્ય તથા મ્લેચ્છ એવા બે ભેદરહિત છે. ઈત્યાદિ વિશેષ વિસ્તારથી સર્યું. આ ૧૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ||૧પણી વતર : પૂર્વ ગાથામાં મનુષ્યગતિના ભેદ કહીને હવે આ ગાથામાં દેવાતિના ભેદ કહેવાય છે તે આ પ્રમાણે : देवा य भवणवासी, वंतरिया जोइसा य वेमाणी । कप्पोवगा य नेया, गेविजाणुत्तरसुरा य ॥१६॥ થાર્થ : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક (તેમાં વૈમાનિક તે-) કલ્પપપન્ન અને (કલ્પાતીત એટલે) રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવો, આ દેવોના પ્રકાર છે. વ્યાધ્યાર્થ રીવ્યક્તિ અતિસુખપૂર્વક યથેચ્છ ક્રીડા કરે તે ટેવ. અર્થાતુ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યના સમૂહથી પ્રાપ્ત થયેલ ઉત્તમ પ્રકારના સુખવાળા જીવવિશેષ તે ટેવ કહેવાય. અને તે દેવો મૂળ ભેદથી ચાર પ્રકારના છે તે આ પ્રમાણે ભવનેષુ - એટલે રત્નમય આવાસ ઈત્યાદિ સ્થાનોમાં વસે તે મવનવાસી ટેવ. તથા વિ એટલે વિશિષ્ટ પ્રકારના, નીચે તથા ઉપર ૧૦૦-૧૦૦યોજન છોડીને પહેલાં ૧૦૦૦ યોજનવાળા રત્નપ્રભા પૃથ્વીના કન્તર : અંતરમાં - આંતરામાં - મધ્ય ભાગમાં ઉત્પન્ન થયેલા દેવો તે (વિ + અન્તરા =) વ્યક્તદેવો કહેવાય. તથા જ્યોતિઃ એટલે તેજ (દેદીપ્યમાનપણું – ભાસ્વરપણું) જે દેવોને વિદ્યમાન છે તે ખ્યોતિ દેવો કહેવાય. તથા વિમાનો વડે જે વિચરે છે (એટલે વિમાનોમાં જેઓ વિચરે છે – રહે છે, તે વૈમાનિક દેવો કહેવાય. એ જ પ્રકારના દેવો જે હમણાં કહ્યા તેમાં તુર્તમાં જ ઉપર કહેલા હોવાથી (અર્થાત્ ચાર દેવોમાં પર્યન્ત અને આ વાક્યની પહેલાં તુર્તમાં કહેલા હોવાથી) તેમજ સર્વ દેવનિકાયોમાં (ચારે નિકાયમાં) પ્રધાન હોવાથી પ્રથમ વૈમાનિક દેવોના ભેદ કહે છે, તે આ પ્રમાણે : ૧. અર્થાતું રત્નપ્રભા પૃથ્વીનો પહેલો આંતર જો કે ૧૦૦૦ યોજનનો કહ્યો પરંતુ બન્નરોની વસતિ તો ઉપર નીચે ૧૦૦ - ૧૦૦ યોજન છોડીને શેષ રહેલો ૮૦૦ યોજનમાં છે. તથા ઉપના છોડેલા ૧૦૦ યોજનમાંથી પણ ઉપર નીચે ૧૦-૧૦ યોજન છોડીને શેષ ૮૦ યોજનમાં વાણવ્યન્તરની વસતિ છે. Jain Education International For Priva 81 Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy