SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઈહ સભવા' એ પદનો) અર્થ આ પ્રમાણે મન - વચન - કાયાના યોગ જો કે રોધેલા છે, તો પણ ભવોપગ્રાહીકર્મો કંઈક શેષ રહેવાથી અદ્યાપિ પર્યન્ત (હજી સુધી) પણ જે અયોગિ ભગવંતો આ સંસારમાં રહ્યા છે, તે સમવ ગયો કહેવાય. અને સર્વ ભવપ્રપંચથી (સંસારથી) મુક્ત થયેલા એવા જે શ્રી સિદ્ધ પરમાત્માઓ તે સમવ કયો કહેવાય. એ પૂર્વોક્ત સ્વરૂપ કહેવા વડે (એટલે અયોગીના ૨ ભેદ દર્શાવવાથી) તાત્પર્ય એ આવ્યું કે સભવ અયોગી અને અભવ અયોગી એ બંનેમાં યોગનો અભાવ તુલ્ય હોવાથી અયોગી શબ્દનો વ્યપદેશ સિદ્ધ પરમાત્માઓને પણ અવિરોધપણે સંભવે છે જ. માટે અયોગી જીવ સમાસમાં તે સિદ્ધ પરમાત્માઓનો પણ સંગ્રહ થાય છે જ. એ પ્રમાણે ૧૦ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૦ નવતર : હવે એ ઉપર કહેલા ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ ગતિ આદિ માર્ગણા સ્થાનોમાં વિચારવાના છે, તેથી પ્રથમ તિહારનું નિરૂપણ કરવા માટે આ ૧૧મી ગાથા કહેવાય છે (આગળ ૧૨-૧૩મી ઇત્યાદિ ગાથાઓ પણ ગતિ માર્ગણાની કહેવાશે.) : निरयगई तिरि मणुया, देवगई चेव होइ सिद्धगई। नेरइया उण नेया, सत्तविहा पुढविभेएण ॥११॥ ગાથાર્થ : નરકગતિ – તિર્યંચગતિ - મનુષ્યગતિ – દેવગતિ અને સિદ્ધગતિએ ૫ પ્રકારની ગતિ માર્ગણા છે, તેમાં વળી પૃથ્વીના સાત ભેદ વડે નારક જીવો ૭ પ્રકારના જાણવા. /૧ - વ્યારબ્ધાર્થ: પોતાના કરેલા કર્મરૂપી રન્જ (દોર) વડે આકર્ષાયેલા જંતુઓ વડે – જીવો વડે જે મુખ્યતે = પ્રાપ્ત કરાય તે તિ; અને તે નરકગતિ ઈત્યાદિ ભેદ વડે ૪ પ્રકારની છે, ત્યાં ગયા એટલે ઈષ્ટફળ આપનારું દેવ - ભાગ્ય – કર્મ તે નિ એટલે નીકળી ગયું છે જેમાંથી (અર્થાત્ સુખ રહિત) તે નિરવ એટલે સીમંતક ઇત્યાદિ નામવાળા નરકાવાસ; તે જ ગમ્યમાન - પ્રાપ્યમાણ (પ્રાપ્ત થતા) હોવાથી તે નરકાવાસાઓ જ નિરાંતિ કહેવાય. અહીં આદિમાં અને અંતમાં ગતિ શબ્દ ગ્રહણ કરેલ હોવાથી મધ્યમાં પણ ગતિશબ્દ ગ્રહણ કરેલો છે એમ (અધ્યાહારથી) જાણવું. તેથી તિર્યંચોની એટલે એકેન્દ્રિયાદિ જીવોની ગતિ તે તિર્યવાતિ. મનુષ્યોની ગતિ તે મનુષ્યાતિ. દેવોની ગતિ તે ટેવાતિ. અને પાંચમી સિદ્ધપતિ તે કર્મજન્ય અને શાસ્ત્રાપરિભાષાવાળી નથી, પરંતુ કેવળ ખ્યતે રૂતિ અતિ: એ વ્યુત્પત્તિના સમાનપણા મારાથી જ અહીં (ગતિના વ્યપદેશપ) ગ્રહણ કરી છે ૧. સંપૂર્ણ ભવના અંત સુધી સત્તામાં તથા ઉદયમાં વર્તનારાં નામ - ગોત્ર - વેદનીય - આયુષ્ય એ જ કર્મ. ૨. ઘણાં ગ્રંથોમાં ૧૪ માર્ગણાઓના પ્રતિભેદ. ૪ ગતિ ૫ જાતિ ઇત્યાદિ કહ્યા છે, તે સર્વ સંસારી જીવોના સંગ્રહ માટે છે; અને અહીં ૫ ગતિ ઇત્યાદિ અધિક પ્રતિભેદ સમગ્ર જીવાસ્તિકાયના સંગ્રહ માટે છે. . ગાથાને વિષે પૂર્વાર્ધમાં પહેલું પદ નિરા અને અંતિમપદ સિદ્ધ૬ એ બંનેમાં (આદિમાં અને અંતમાં) ૬ શબ્દ છે, તેથી એ બે પદોની વચ્ચે આવેલાં ગડુ પરરહિત તિરિ અને મUJથા એ બે પદો પણ તિરિવાર્ છpયારૂ એમ ડુ પદવાળાં જ સમજવાં. ૪, “ગતિ' એ કર્મજન્ય ભાવ માટે શાસ્ત્રનો પારિભાષિકસંજ્ઞા શબ્દ છે, તેથી જો કે સિદ્ધગતિ એવો શબ્દ ન હોઈ શકે, તો પણ ખ્યતે રૂતિ ગતિઃ એ વ્યુત્પત્તિના આધારે સિદ્ધિ માટે સિદ્ધગતિ શબ્દ કહી શકાય છે. Jain Education International For Private Oersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy