SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ તે કેવલીભગવંતો જ હોય છે. માટે બે શબ્દના સમાસસંયોગ વડે ગોળિòવતી કહેવાય; અર્થાત્ શૈલેશી અવસ્થામાં મન-વચન-કાયાના વ્યાપાર જેમના સંપૂર્ણ વિચ્છેદ પામ્યા છે તેવા કેવલિભગવંતો. એ ઉપર કહેલા ૧૪ પ્રકારના જીવસમાસ એટલે સમગ્ર જીવરાશિનો સંગ્રહ કરનાર જીવભેદ આ પ્રકરણમાં અનુક્રમે ગતિ આદિ માર્ગણાસ્થાનોમાં વિચારવાના છે. એ પ્રમાણે ૮-૯મી બે ગાથાનો અર્થ સમાપ્ત થયો. ॥૮॥ ગવતરણ : પ્રશ્ન:- આ પ્રકરણમાં સમગ્ર જીવાસ્તિકાયનો સંગ્રહ જેમાં થાય એવા જીવભેદરૂપ જીવસમાસ અહીં કહેવો સ્વીકારેલો છે, ત્યાં સંસારને વિષે તો મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અયોગી સુધીના જીવભેદો સિવાય બીજા જીવો સંભવતા નથી; તેથી એ ૧૪ ગુણસ્થાનક રૂપ ૧૪ જીવસમાસો વડે સર્વ સંસારી જીવોનો સંગ્રહ થયો તે તો યુક્ત છે, પરંતુ મોક્ષ પામેલા જીવો જે અનંત સિદ્ધ ૫રમાત્મા છે, તેનો સંગ્રહ તો આ ૧૪ જીવસમાસમાં થતો નથી, તો તેનો સંગ્રહ ક્યાં અને કેવી રીતે જાણવો ? ઉત્તર :- આ પ્રશ્નના ઉત્તરમાં અયોગિકેવલી ભગવંતના ૨ પ્રકાર છે તે કહેવાથી શ્રી સિદ્ધ ૫૨માત્માઓનો પણ સંગ્રહ અયોગિજીવસમાસમાં થાય છે એમ સ્પષ્ટ સમજાશે. હવે તે અયોગિભગવંતના ૨ પ્રકાર આ ૧૦મી ગાથામાં કહેવાય છે, તે આ પ્રમાણે : दुविहा होंति अजोगी, सभवा अभवा, निरुद्धजोगी य । રૂદ સમવા, ગમવા ળ, સિદ્ધા ને સમવમુક્કા ॥૧૦॥ થાર્થ : અયોગી ભગવંત સભવ (સંસારી), અને અભવ (અસંસારી) એમ બે પ્રકારના છે, તેમાં અહીં જેમણે યોગનિરોધ કર્યો છે તેવા અયોગી ભગવંતો સભવ (સંસારી) કહેવાય, અને સર્વ સંસારથી રહિત થયેલા એવા શ્રી સિદ્ધ પરમાત્માઓ તે અભવ (અસંસારી) કહેવાય. ||૧૦|ા - વ્યાવ્યાર્થ : અયોગિભગવંત ૨ પ્રકા૨ના હોય છે, તે આ પ્રમાણે : (૧) સભવ, (૨) અભવ, ત્યાં સ = સહિત ભવ = સંસાર, અર્થાત્ સંસાર સહિત વર્તે છે તે સભવ, અને તે શૈલેશી અવસ્થામાં વર્તનારા, સમુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતી ધ્યાન (નામના શુક્લધ્યાનના ૪ થા ભેદને) ધ્યાનારા, અને ૫ ડ્રસ્વ સ્વરના ઉચ્ચાર જેટલા જ (અન્તર્મુ૦) કાળ સુધી સંસારમાં રહેનારા તે सभव अयोगी. તથા સંસારના બીજરૂપ કર્મમલરૂપી કલંકના લેશમાત્રથી પણ રહિત થયેલા (અર્થાત્ સર્વથા કર્મમુક્ત થયેલા) અને તેથી જ સિદ્ધપણું પામેલા હોવાથી ગ=નથી વિદ્યમાન ભવ = સંસાર તે જેને એવા અયોગી ભગવંતો ભવ સોની એટલે સિદ્ધપરમાત્મા કહેવાય છે. ત્યાં સભવઅયોગી તથા અભવઅયોગીનો સ્વરૂપાર્થ સૂત્રકાર પોતે જ (ગાથામાં) કહે છે કે “નિરુદ્ધનોની ય દ સમવા ’ઈતિ. એમાં ય (૬)કાર ભિન્નક્રમ માટે છે, અને તે ગમવા ય એવા અર્થમાં (એટલે અભવા શબ્દ પછી) યોજેલો જ છે. શેષ પદનો (એટલે ‘નિરૂદ્ધ જોગી Jain Education International For Privateersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy