________________
નરકદ્ધિક (૨), તિર્યદ્ધિક (૨), એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ૪ જાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સાધારણ અને સૂક્ષ્મ. એ ૧૬ પ્રકૃતિઓ સંપૂર્ણ ક્ષય થયા બાદ પુનઃ અર્ધક્ષપિત ૮ કષાયો જે ક્ષય થવા બાકી હતા તે પણ ક્ષય પામે. ત્યારબાદ નપુસંકવેદ, ત્યારબાદ સ્ત્રીવેદ અને ત્યારબાદ હાસ્યાદિ ૬ (હાસ્ય-રતિ - અરતિ- શોક-ભય- જુગુપ્સા), ત્યારબાદ પુરૂષવેદ, ત્યારબાદ સંજ્વલન ક્રોધ, ત્યારબાદ સંજુવલન માન, ત્યારબાદ સંજ્વલન માયાનો ક્ષય કરે, એ પ્રમાણે મોહનીયકર્મની ૨૦ પ્રકૃતિનો ક્ષય (આ નવમાં ગુણસ્થાને) કરે. પુનઃ અહીં બાદ લોભનો પણ ક્ષય થાય છે. અને સૂક્ષ્મ લોભનો ક્ષય તો સૂક્ષ્મસંપરાય નામના અગ્રે કહેવાતા ૧૦મા ગુણસ્થાને જ થાય છે. દર્શનસપ્તક (અનંતાનુ0૪ તથા ૩ દર્શનમોહનીય) તો પ્રથમ જ અવિરતથી અપ્રમત્ત સુધીની અવસ્થામાં (એટલે ૪-૫-૬-૭ મા ગુણસ્થાને) ક્ષય પામ્યું છે. એ પ્રમાણે ક્ષક્રનો વ્યાપાર- કાર્ય અહીં દર્શાવ્યું, પુનઃ જે ઉપશમક જીવો છે તે તો એ ૨૦ મોહપ્રકૃતિઓને આગળ કહેવાશે તે પદ્ધતિએ ઉપશમાવે છે.
|| ૧૦. સૂક્ષ્મસં૫રીય નીવસમસ . સુહમાં ઈતિ. અહીં પણ પૂર્વોક્ત રીતે સૂક્ષ્મ એટલે સૂક્ષ્મસંપરાયી જીવો જાણવા. ત્યાં સૂક્ષ્મસંપરાય એટલે કિટ્ટિરૂપ થયેલા લોભ કષાયનો ઉદય તે જે જીવોને હોય તે જીવો સૂક્ષ્મસંપરાથી કહેવાય. એ સૂક્ષ્મસંપરાયી જીવો પણ ક્ષ અને ૩૫શમવેદ એમ બે પ્રકારના છે. તેમાં ક્ષપકો તો અનિવૃત્તિ ગુણસ્થાનમાં સૂક્ષ્મકિષ્ટિ સરખા થયેલા લોભને અહીં (સૂ) સંપ૦ ગુણસ્થાનમાં) મૂળથી (સંપૂર્ણ) ખપાવે છે, અને ઉપશમક જીવો તે જ લોભને (સૂ) કિષ્ક્રિરૂપ થયેલા લોભને) સંપૂર્ણ ઉપશમાવે છે.
/ ૧૧. ૩vશાન્તમોદ નીવસમાત ! વસંત ઇતિ. “ઉવસંત' એટલે ઉપશાંતકષાયી જીવો. અહીં કપિ ઇત્યાદિ દંડકધાતુઓ? હિંસા અર્થવાળા છે; તેથી પન્તિ અથવા Mન્ત એટલે જેને વિષે પ્રાણીઓ પરસ્પર હિંસા કરે છે, અથવા જેમાં પ્રાણિઓની પરસ્પર હિંસા થાય છે તે ૫ એટલે સંસાર. તેથી વર્ષ યન્ત એટલે પ્રાણિઓ જેના વડે કષને એટલે સંસારને પામે છે તે વિષય ક્રોધ - માન - માયા અને લોભરૂપ જાણવા. એ ક્રોધાદિ કષાયોને જે જીવોએ ઉપશાંત એટલે ઉપશમ પમાડ્યા, અર્થાત્ સત્તામાં છે પરંતુ સંક્રમકરણ-ઉદ્વર્તનાકરણ ઈત્યાદિકરણોને અયોગ્ય થાય એવા કર્યા તે જીવો ઉપશાન્તાથી કહેવાય. ત્યાં અવિરત સમ્યગુદૃષ્ટિ (નામના ૪થા) ગુણસ્થાનથી અપ્રમત્ત સુધીની અવસ્થામાં (૭માં ગુણસ્થાન સુધીમાં) દર્શનસપ્તક ઉપશાંત થાય ૧. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં જેમ પદના એક દેશથી સંપૂર્ણ પદનું ગ્રહણ કર્યું છે, તે રીતે અહીં પણ “સૂક્ષ્મ એ પદના એકદેશથી સૂક્ષ્મસંપરાય” એમ સંપૂર્ણ પદનું ગ્રહણ કરવાનું છે. તથા આગળ ૩વરત પદથી પણ ઉપશાંતકષાયી જીવો જાણવા. ૨. લોભની બાદરકિદિ તથા સૂક્ષ્મકિટ્ટિનું સ્વરૂપ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું. ૩. એકાર્યવાચક ઘાતુ તે દંડકધાતુ. ૪. બંધ-સંક્રમ-ઉદ્વર્તના - અપવર્તના - ઉદય-ઉદીરણા - નિધત્તિ - નિકાચના એ કરણો ઉપશાંત કર્મમાં પ્રવર્તતા નથી માટે.
Jain Education International
For Private Dersonal Use Only
www.jainelibrary.org