SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ૪ પ્રકા૨ના નિક્ષેપ દર્શાવ્યા. હવે એથી ઘણા નિક્ષેપ પદાર્થો પ્રત્યે ઊતારવાના હોય છે એમ સમજાવવા – જણાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે - ત્થર્ ય પુણ્ ઇત્યાદિ. એટલે પુનઃ કોઈ વસ્તુમાં ઘણા પ્રકારના એટલે યથાસંભવ ૫-૬-૭ આદિ અનેક પ્રકારના નિક્ષેપ પણ ઊતારવા. શું કરીને ઊતારવા ? તે કહે છે (તાસયં - તવાશ્રયં તસ્ય સાશ્રયં ત્યાં) તસ્ય-નિક્ષેપ દ્રવ્યનો આશ્રય એટલે જે પદાર્થોમાં નિક્ષેપ લગાડવા છે તે પદાર્થ (નિક્ષેપ્ય પદાર્થ)નો જે આધાર ક્ષેત્ર તથા કાળ વગેરે, તેને (વળ-પ્રાપ્ય) પામીને એટલે આશ્રયિને નિક્ષેપા લગાડવા. તે આ પ્રમાણેઃ અહીં જીવસમાસ પ્રકરણના ચાલુ વિષયમાં જીવદ્રવ્ય તે ક્ષેત્રપર્યાયની પ્રધાનતા વડે ક્ષેત્રનીવ, આયુષ્ય આદિ કાળની પ્રધાનતાએ છાતનીવ, ચક્રવર્તી આદિ (પર્યાયની પ્રધાનતાએ) મૌનનીવ, ગણધરાદિ મહાત્માઓ તે સંયમનીવ, ઇત્યાદિ નિક્ષેપા પોતાની મેળે વિચારી વિચારીને યથાસંભવ કહેવા. એ ત્રીજી ગાથાનો અર્થ સમાપ્ત થયો. IIII અવતરણ : પૂર્વ ગાથામાં નિક્ષેપદ્વારે જીવસમાસ કહ્યા, અને જીવે છે, જીવશે ઇત્યાદિ પદ વડે નિરુક્તિ પણ દર્શાવી. હવે ૬ પ્રકારના અનુયોગદ્વાર દર્શાવવા માટે આ ચોથી ગાથા કહે છે ઃ - किं कस्स केण कत्थ व केवचिरं कइविहो उ भावोत्ति । અહિં અણુયો વારેહિં, સવ્વમાવાળુમંતવ્યા.॥૪॥ ગાથાર્થઃ જીવ òિ = શું વસ્તુ છે ?, જીવ સ્ટ્સ = કોનો છે ?, જીવ l = ક્યાં રહે છે? તથા જીવ જેવવિર = કેટલા કાળ સુધી રહેનારો છે ?, તથા કયા જીવને કેટલા પ્રકારના ભાવ છે ? એ ૬ અનુયોગદ્વાર વડે જીવાદિ સર્વ પદાર્થો જાણવા યોગ્ય છે. ॥૪॥ વ્યાવ્વાર્થ : ગાથામાં કહેલા િન્ક્સ આદિ ૬ અનુયોગદ્વાર વડે જીવાજીવાદિ સર્વ પદાર્થો જાણવા-કહેવા યોગ્ય છે. ત્યાં ચાલુ વિષય જીવપદાર્થનો હોવાથી અહીં પ્રથમ તે જીવપદાર્થને અંગે જ ૬ અનુયોગદ્વાર વિચારાય છે. તે આ પ્રમાણે - (૧) કયો પદાર્થ નીવ એવા નામથી ઓળખાય છે અથવા કહેવાય છે ? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં તેનો ઉત્તર એ જ છે કે – ઔદયિકાદિ ભાવયુક્ત જે સચેતન પદાર્થ તે ઝીવ કહેવાય છે. ।।તિ પ્રથમ અનુયોગદ્વારમ્।। - (૩) (૨) આ જીવપદાર્થ 5 = કોનો છે ? એ પ્રમાણે પોતાના સ્વામીપણાના સંબંધવાળો પ્રશ્ન ઉપસ્થિત થયે વિવક્ષામાત્રથી જીવ પોતે પોતાનો જ છે, પરંતુ બીજાનો નથી. અથવા જીવ કોનો સ્વામી છે ? એવો પ્રશ્ન ઉપસ્થિત કરીએ તો ઉત્તર એ છે કે - તત્ત્વવૃત્તિથી (નિશ્ચયદૃષ્ટિથી) જોતાં જીવ પોતાનો જ એટલે પોતાના વસ્તુસ્વરૂપનો (આત્મસ્વરૂપનો) સ્વામી છે. પરંતુ ધન-કંચન ઇત્યાદિ બાહ્ય પદાર્થોનો સ્વામી નથી; કારણ કે અહીં (આ લોકમાં) પણ તે ધન-કંચન આદિ પદાર્થો - (આત્માના) વ્યભિચારી છે. જીવ - જેન = કયા કયા કારણોની સામગ્રી વડે બન્યો છે ? ઉત્તર : કોઈપણ કર્તાદિ સામગ્રી વડે તે બન્યો નથી; કારણ કે જીવ દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે; અને નિત્ય For Private Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy