SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તથા સાસ્વાદન ગુણસ્થાનવર્તી અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનવ નારક જીવો સાતે પૃથ્વીઓમાં કદાચિતું હોય અને કદાચિતુ ન પણ હોય. અને જો હોય તો પૂર્વે જેમ ચાર ગતિઓને આશ્રયિ સામાન્યથી એ બે ગુણસ્થાનવર્તી જીવો પ્રત્યેક ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કહ્યા છે, તે અનુસાર અહીં પણ (સાતે પૃથ્વીઓમાં સર્વ મળીને એટલે) નરકગતિ આશ્રયી કેટલાક અલ્પતર (ઘણા ઓછા એટલે ઘણા અલ્પ-ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા) જાણવા. તથા અવિરતસમ્યગૃષ્ટિનારકો સાતે પૃથ્વીઓમાં પ્રત્યેકમાં અસંખ્યાત અસંખ્યાત નારકો સદાકાળ અવિચ્છેદપણે (સર્વદા વિરહરહિતી પ્રાપ્ત થાય છે. વળી એ અસંખ્યાત તે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સામાન્યથી ચારે ગતિમાં હોય એમ પૂર્વે જ નિશ્ચય કહેવાઈ ગયો છે, માટે તે અનુસાર અહીં પણ (નરકગતિમાં પણ) કંઈક અલ્પપ્રમાણવાળા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું અસંખ્યાત જાણવું. તથા દેશવિરત વગેરે ગુણસ્થાનવાળા જીવો તો નરકગતિમાં હોય જ નહિ એમ પૂર્વે નિર્ણય કરેલો છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૧૪૯થી અવતર: હવે આ ગાથામાં ચૌદ જીવસમાસમાં રહેલા -અન્તર્ગત એવા મિથ્યાદૃષ્ટિ આદિ જીવદ્રવ્યોનું જ પ્રમાણ તિર્યંચગતિના ભેદથી કહે છે (અર્થાત્ તિર્યંચગતિમાં ગુણસ્થાનભેદે જીવદ્રવ્યોનું પ્રમાણ કહે છે): तिरिया हुंति अणंता, पयरं पंचिंदिया अवहरंति । देवावहारकाला, असंखगुणहीणकालेणं ॥१५०॥ Tથાર્થ: સામાન્યથી સર્વ મિથ્યાષ્ટિ તિર્યંચો અનન્ત છે, અને વિશેષથી વિચારતાં પંચેન્દ્રિય તિર્યંચો એક આકાશપ્રતરને [ અર્થાતુ એક પ્રતરમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા આકાશપ્રદેશોને ] દેવોના અપહારકાળથી અસંખ્યગુણહીન કાળે અપહરે છે. [ અર્થાત્ સર્વ દેવોથી અસંખ્યાતગુણ પંચેન્દ્રિય તિર્યંચો છે. ] II૧૫૦ાા ટીવાર્થ: અહીં “મિથ્યાદૃષ્ટિ' એ વિશેષણ પૂર્વ ગાથામાં કહેલા પાઠથી જ અધિકૃત છે (અનુસરે છે – ગ્રહણ કરવાનું છે). તેથી મિથ્યાષ્ટિ તિર્યંચો તે સામાન્યથી એકેન્દ્રિયાદિ સર્વે મળીને અનન્ત છે. અને વિશેષે વિચારતાં સામાન્યથી પર્યાપ્ત-અપર્યાપ્ત બન્ને મળીને સર્વે પંચેન્દ્રિય તિર્યંચો અને તે પણ મિથ્યાદૃષ્ટિઓ, સંવર્તીને ઘન કરેલા અસંખ્ય પ્રતરવાળા લોકના, સાત રાજ લાંબા-પહોળા અને એક પ્રદેશ જેટલા જાડા, તથા સર્વ મળીને અસંખ્ય આકાશપ્રદેશવાળા, ઉપરાઉપરી રહેલા ઘણા અંડકોમાંથી (માંડાઓમાંથી - મોટા પૂડલાઓમાંથી) એક મંડક (પૂડલા) સરખા, એક આકાશપ્રતરને અપહરે છે. પરન્ત કાળ વડે વિચારીએ તો તે આકાશપ્રતર કેટલા કાળે અપહરાય ? તે કહે છે – દેવોના અપહરકાળથી અસંખ્યગુણહીન કાળે (તે એક પ્રતર અપહરાય છે). અહીં તાત્પર્ય વિચારવાનું એ છે કે – એ પંચેન્દ્રિય તિર્યંચો (મિથ્યા) વિશેષણરહિત) સામાન્યથી, પૂર્વે કહેલા પ્રતરના અસંખ્યાતમા ભાગે અસંખ્ય કોડાકોડિ યોજનામાં રહેલી આકાશપ્રદેશની શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ Jain Education International For Priva. ersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy