SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ એક દાણો દ્વીપમાં અને એક દાણો સમુદ્રમાં (એટલે બીજા અનવસ્થિતનો છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્રમાં પડ્યો છે તેથી આગળના દ્વીપ વા સમુદ્રમાં અર્થાત્ જે દ્વીપ વા સમુદ્રમાં તેટલા પ્રમાણવાળો અનવસ્થિતપલ્ય કપ્યો હોય તે જ દ્વીપ વા સમુદ્રથી આગળના દ્વીપ વા સમુદ્રમાં) અનુક્રમે નાખતા જઈએ, અને તે પ્રમાણે નાખતાં નાખતાં જ્યારે એ ત્રીજો અનવસ્થિતપલ્ય ખાલી થઈ જાય ત્યારે તેની સાક્ષીરૂપે) ત્રીજો દાણો શલાકાપત્યમાં નાખવો. વળી એ ત્રીજા અનવસ્થિતપત્યના સર્ષપો જે દ્વીપ વા સમુદ્રમાં સમાપ્ત થયા છે (એટલે જ્યાં છેલ્લો દાણો નાખવામાં આવ્યો છે) તે પર્યન્તવાળો પૂર્વના દ્વીપ-સમુદ્રો સહિત (એટલે છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્રમાં પડ્યો છે તે દ્વીપ વા સમુદ્ર જેવડો મોટો છે, તેવા પ્રમાણવાળો) ઘણો મોટો (ચોથો) અનવસ્થિતપત્ય કલ્પવો, અને તેને પણ પૂર્વે કહ્યા પ્રમાણે સર્ષપો વડે ભરવો. વળી તેને પણ ઉપાડીને તેમાંના સર્ષપો પૂર્વોક્ત ક્રમ પ્રમાણે જ તેથી આગળના દ્વીપ-સમુદ્રોમાં નાખવા, અને એ ચોથો અનવસ્થિત ખાલી થયાની સાક્ષીરૂપ ચોથો સાક્ષી સર્ષપ શલાકાપત્યમાં નાખવો. એ પ્રમાણે અનુક્રમે વધતા વધતા પ્રમાણવાળા અનવસ્થિતપત્યની પ્રરૂપણા ભરવા અને ખાલી કરવાના ક્રમ પ્રમાણે ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી એકેક શલાકાના (સાક્ષી સર્ષપોના) પ્રક્ષેપ વડે શલાકાપલ્ય પણ વેદિકા ઉપર પ્રશિખા (શિખા) સહિત એવો સંપૂર્ણ ભરવો કે બીજા સાક્ષીનો દાણો ન સમાય. - ત્યારબાદ હવે (છેલ્લા અનવસ્થિતનો છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્રમાં નાખ્યો છે તે દ્વીપ વા સમુદ્ર જેવડો ઘણો મોટો અનવસ્થિતપત્ય કલ્પીને તેમાં સર્ષપો શિખાસહિત ભરવા. પરંતુ તેને ઉપાડી પૂર્વોક્ત ક્રમે ખાલી કરીએ તો તે ખાલી થયાની સાક્ષીરૂપ એક સર્ષપ જે શિલાકાપત્યમાં નાખવો જોઈએ તે શલાકાપલ્ય તો સંપૂર્ણ શિખા સુધી સાક્ષીના સર્ષપો વડે ભરાઈ ગયો છે, જેથી એક પણ સાક્ષી સર્ષપદાણો તેમાં નાખી શકાય એવો નથી, માટે હવે) તે કલ્પલા, ઘણા મોટા, સર્ષપોથી ભરેલા, છેલ્લા અનવસ્થિતને જ્યાં ભર્યો છે; ત્યાંને ત્યાં જ ભરેલો રહેવા દઈ આ ભરાઈ ગયેલા શલાકાપત્યને જ ઉપાડવો. અને તે અનવસ્થિતપલ્ય જે દ્વિીપ વા સમુદ્રમાં કચ્યો છે તે દ્વીપ વા સમુદ્રથી આગળના દ્વીપ - સમુદ્રોમાં શલાકાપત્યના સર્ષપોમાંનો એકેક દાણો નાખતા જવું, અને એ પ્રમાણે નાખતાં જ્યારે એ શલાકાપલ્ય ખાલી થાય ત્યારે (એક શલાકાપલ્ય ખાલી થયો એમ સ્પષ્ટ જાણવાને) શલાકાની સાક્ષીરૂપ ૧ દાણો ત્રીજા પ્રતિશલાકાપત્યમાં નાખવો. એ પ્રતિશલાકામાં પડેલો એક (પહેલો) દાણો તે એક સર્ષપરૂપ “પહેલી પ્રતિશલાકા’ ગણાય. (એ પ્રમાણે પ્રતિશલાકામાં એક દાણો પડ્યો, પહેલો શલાકાપલ્ય ખાલી થયો, અને છેલ્લો કલ્પેલો અનવસ્થિતપલ્ય ભરેલો જ રહ્યો છે, માટે હવે શું કરવું? તે દર્શાવાય છે). - ત્યારબાદ સર્ષપોથી પ્રથમ ભરી મૂકેલા અનવસ્થિતપલ્યને ઉપાડીને શલાકાપલ્ય જ્યાં ખાલી થયો છે ત્યાંથી આગળના દ્વીપ-સમુદ્રોમાં પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે જ સર્ષપો નાખતા જવા, અને તે ખાલી થાય ત્યારે તેનો એક સાક્ષી સર્ષપ પુનઃ શલાકાપત્યમાં નાખવો. એ પ્રમાણે પુનઃ પણ અનેક અનવસ્થિતપલ્યો કલ્પી કલ્પીને અને તેને ભરીભરી ખાલી કરવા વડે, તેની સાક્ષીના સર્ષપોથી તે શલાકાપલ્યને ભરી દેવો. (અનવસ્થિત ભરવો, પરંતુ શલાકાપત્યમાં સાક્ષી Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy