SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ષપની જગ્યાના અભાવે ખાલી કરાય નહિ તેથી અનવસ્થિત અને શલાકા એ બે પલ્ય સર્ષપોથી ભરાયેલા થયા માટે) હવે તે અનવસ્થિત અને શલાકા એ બે પલ્ય જે સર્ષપોથી ભરાયેલા થયા છે, તેમાંથી શલાકાપત્યને જ ઉપાડવો, અને તેમાંના સર્ષપો છેલ્લો અનવસ્થિત ખાલી થયા પછીના આગળના દ્વીપ-સમુદ્રોમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે નાખતા જવા અને એ બીજો શલાકા ખાલી થયે તેની સાક્ષીના એક સર્ષપરૂપ જે બીજી પ્રતિશલાકા તેને પ્રતિશલાકાપત્યમાં નાખવી. ત્યારબાદ (પ્રથમ ભરી રાખેલા) અનવસ્થિતપત્યને ઉપાડી તેમાંના સર્ષપો શલાકાપત્ય જ્યાં ખાલી થયો છે ત્યાંથી આગળના દ્વીપ-સમુદ્રોમાં તે જ અનુક્રમ પ્રમાણે નાખવા, અને તેની સાક્ષી શલાકાપલ્યમાં નાખવી. એ પ્રમાણે અનેક અનવસ્થિતપલ્યોને ઉપાડી ઉપાડી ખાલી કરવાના ક્રમ પ્રમાણે તેની સાક્ષીના સર્ષપો વડે પુનઃ પણ શલાકાપલ્ય ભરવો, અને શલાકાપત્યને ઉપાડી ઉપાડી ખાલી કરવા વડે પૂર્વોક્ત ક્રમ પ્રમાણે પ્રતિશલાકાપલ્યમાં તેટલી પ્રતિશલાકાઓ (એટલે શલાકા ખાલી થયાની સાક્ષીઓ) ત્યાં સુધી નાખવી કે જ્યાં સુધી તે પ્રતિશલાકાપલ્ય પણ શિખાસહિત સંપૂર્ણ ભરાય, અને જ્યારે એ પ્રમાણે કરતાં કરતાં પ્રતિશલાકાપલ્ય, શલાકાપલ્ય અને અનવસ્થિતપલ્ય એ ત્રણે પલ્ય શિખાસહિત પૂર્ણ ભરાઈ ગયેલા હોય (થાય), ત્યારે પ્રતિશલાકાપત્યને જ ઉપાડીને તેમાંના સાક્ષી સર્ષપો આગળ આગળના દ્વીપ-સમુદ્રોમાં પૂર્વોક્ત ક્રમે એકેક પ્રક્ષેપવા. અને એ રીતે જ્યારે પ્રતિશલાકા ખાલી થાય ત્યારે મદાશાજાપલ્યમાં (એક પ્રતિશલાકા ખાલી થયાની સાક્ષીની) એક સર્ષારૂપ મહાશલાકા નાખવી (એટલે મહાશલાકાપલ્યમાં એક સર્ષપ નાખવો). ત્યારબાદ શલાકા પલ્યને ઉપાડીને તેવી જ રીતે આગળના દ્વીપ-સમુદ્રોમાં નાખવો, અને તે ખાલી થયાની સાક્ષી પ્રતિશલાકામાં નાખવી. ત્યારબાદ અનવસ્થિતપત્યને ઉપાડી તેમાંના સર્ષપો આગળના હીપ-સમુદ્રોમાં નાખવા, અને તે ખાલી થયાની સાક્ષીરૂપ શલાકા (સાક્ષીનો સર્ષપ) શલાકાપત્યમાં નાખવો. એ પ્રમાણે અનવસ્થિતપલ્યને વારંવાર ઉપાડી ઉપાડી તેમાંના સર્ષપોને આગળ આગળના દ્વીપ-સમુદ્રોમાં નાખવાના ક્રમ પ્રમાણે એ અનવસ્થિતપત્યની સાક્ષીના સર્ષપોથી શલાકાપલ્ય ભરવો, અને શલાકાપલ્યને ઉપાડી ખાલી કરવાના ક્રમ પ્રમાણે (અનેક શલાકાપલ્યો ખાલી કરી) તેની સાક્ષીમાં સર્ષપો વડે (એટલે પ્રતિશલાકાઓ વડે) પ્રતિશલાકાપલ્ય ભરવો, અને પ્રતિશલાકાપત્યને ઉપાડી ઉપાડી તેમાંના સર્ષપો ખાલી કરવાના ક્રમ પ્રમાણે તે ખાલી થયાની સાક્ષીના સર્ષપો વડે એટલે મહાશલાકાઓ વડે મહાશલાકાપલ્ય ભરવો, અને એ પ્રમાણે જ્યારે તે ચારે પલ્ય પૂર્ણ ભરાઈ રહે ત્યારે એક અધિક ઉત્કૃષ્ટ સંધ્યાત થાય. ૧. અહીં શલાકાપત્યને જ શા માટે ઉપાડવો ? ભરી રાખેલા અનવસ્થિતને કેમ ન ઉપાડવો ? એ શંકાના સમાધાનમાં સમજવાનું કે -- જો અનવસ્થિતપલ્ય ઉપાડી ખાલી કરે તો તે ખાલી થયાની સાક્ષીનો સર્ષપ ક્યાં નાખવો ? કારણ કે તેની સાક્ષીના સર્ષપોવાળો શલાકાપલ્ય જ હોય, અને તે તો ભરેલો પડ્યો છે, માટે પ્રતિશલાકા ખાલી કર્યા બાદ અનવસ્થિત પણ જો કે પ્રથમ ભરાયેલો જ રહ્યો છે, તો પણ તેને ભરેલો રહેવા દઈ પહેલાં શલાકાપત્યને જ ઉપાડી ખાલી કરવો જોઈએ. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy