SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત છે. ઉદ્દેશા સંખ્યાત છે. અધ્યયનો સંખ્યાત છે. શ્રુતસ્કંધો સંખ્યાત છે. તેમજ આચારાંગ વગેરે અંગો પણ સંખ્યાત જ છે. પ્રશ્ન:- આ અક્ષર- પદ વગેરે સંખ્યા જેમાં હોવાનું કહો છો તે શ્રુત વળી શું છે? એટલે શ્રુત ક્યું ગણાય? (તેના જવાબમાં કહે છે) - ઉત્તર:- કાલિકશ્રુત તે આચારાંગ અને ઉત્તરાધ્યયન વગેરે, અને ઉત્કાલિકશ્રુત તે દશવૈકાલિક – આવશ્યક - જીવાભિગમ – પ્રજ્ઞાપના અને દૃષ્ટિવાદ વગેરે (એ પ્રમાણે બે પ્રકારનું શ્રત છે) કે જેમાં “અક્ષર” “પદ' વગેરે દરેક સંખ્યા છે. પરંતુ વિશેષ એ છે કે – ઉત્કાલિક શ્રુતમાં અંગ તો એક દૃષ્ટિવાદ જ છે, પરંતુ બીજું નથી. (અને કાલિકહ્યુતમાં તો આચારાંગ વગેરે ૧૧ અંગ ગણાય છે – એ તાત્પર્ય). એ પ્રમાણે આ ૧૩૫મી ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો../૧૩પા વતUT: શ્રુતસંખ્યા - ભાવપ્રમાણ કહ્યું, અને હવે ગ્રંથકાર ગણન સંખ્યા - ભાવપ્રમાણને દર્શાવતા છતા આ ગાથા કહે છે : संखेजमसंखेनं, अणंतयं चेव गणणसंखाणं । संखेनं पुण तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३६॥ માથાર્થ: સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત એ પ્રમાણે ગણન સંખ્યા ત્રણ પ્રકારની છે. તેમાં સંખ્યાત પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ પ્રમાણે ત્રણ પ્રકારનું છે. ટાર્થ: આગળ જેનું સ્વરૂપ કહેવાશે તે સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત, એ પ્રમાણે ગણનસંખ્યા ત્રણ પ્રકારની છે. તેમાં પુનઃ સંખ્યાત તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું છે. ઇતિ ગાથાર્થ:/૧૩૬/ સવતરઃ પૂર્વ ગાથામાં ગણિત સંખ્યાનો પહેલો પ્રકાર સંખ્યાત, તે ત્રણ પ્રકારનો દર્શાવીને હવે ગણિતસંખ્યા - પ્રમાણનો બીજો પ્રકાર જે અસંખ્યાત તે નવ પ્રકારનો છે, તે દર્શાવવાને આ ગાથા કહેવાય છે : तिविहमसंखेनं पुण, परित्त-जुत्तं असंखयासंखं । एक्ककं पुण तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३७॥ પથાર્થ ટીકાર્ય પ્રમાણે સુગમ છે. ટીકા: અસંખ્યાત ત્રણ પ્રકારનું છે - પરિત્ત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત, અને અસંખ્યાત અસંખ્યાત. વળી તે દરેકમાંનું એકેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનું છે. એ પ્રમાણે અસંખ્યાત નવ પ્રકારનું જાણવું. ૩/૧૩૭ી. અવતરણઃ પૂર્વ ગાથામાં અસંખ્યાતના ૯ ભેદ દર્શાવીને હવે આ ગાથામાં અનન્તના ૮ (આઠ) ભેદ છે તે દર્શાવાય છે : तिविहमणंतंपि तहा, परित्त-जुत्तं अणंतयाणंतं । एक्केपि य तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३८॥ જાથાર્થ તથા પરિત્ત અનંત, યુક્ત અનંત અને અનંતાનંત એ પ્રમાણે અનંત ત્રણ પ્રકારનું Jain Education International ૧૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy