SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - ૨સ પ્રવાહી હોવાથી તેની શિખા થતી નથી, તે કારણથી ધાન્યના પ્રમાણથી-માનથી ચોથા ભાગ અધિક રૂપ અન્તઃશિખા (અધઃશિખા) વડે સહિત તે રસમાન મપાય છે, અને ધાન્યમાન તો તે રસમાનની અપેક્ષાએ હીન હોય છે, માટે તે હીન ચતુર્થભાગરૂપ બહિ:શિખા વડે (અગ્ર શિખા વડે) યુક્ત હોય છે, તે કારણથી રસમાન અન્તઃશિખાવાળું અને ધાન્યમાન બહિ:શિખાવાળું હોય છે, માટે સામર્થ્યથી જ સમજાય છે કે - તે બન્ને માન તુલ્ય છે. ત્યાં સિદ્ધાન્તમાં રસમાન આ પ્રમાણે કહ્યું છે - ‘વરૂપમાળા પણસયા' ઇત્યાદિ વચન વડે ચોસઠ વિગેરેને રસમાન કહ્યું છે. તે આ પ્રમાણે - ૨૫૬ ૫ળ પ્રમાણનું ૧ માળા (મણિકો) નામનું રસમાન સર્વથી ઉત્કૃષ્ટ છે, એમ આગળ કહેવાશે. તેથી તેના ચોસઠમાં ભાગ જેટલું બનેલું હોવાથી (અર્થાત્ ૪ પળ તે ૨૫૬ પળનો ૬૪મો ભાગ હોવાથી) ચતુઃષ્ઠિકા (ચોસઠ્ઠી) નામનું જે પહેલું રસમાન કહ્યું તે યથાર્થ છે. અને તે ચોસી તે સામર્થ્યથી ચાર પળ પ્રમાણની જ હોય એમ જાણવું. તથા તે જ માણિકાના બત્રીસમા ભાગ જેટલી હોવાથી આઠ પળ પ્રમાણનું માન તે દ્વાત્રિંશિષ્ઠા બત્રીસી કહેવાય છે. તથા સોળ પળ પ્રમાણનું માન તે માણિકાના સોળમા ભાગ જેટલું હોવાથી (તે ૧૬ પળના માનને) એક પોઽશા કહે છે. તથા તે જ માણિકાના આઠમા ભાગ જેટલી હોવાથી બત્રીસ પળ પ્રમાણના માનને ૧ ગષ્ટમી (આઠભાગી) કહે છે. અને તે જ માણિકાના ચોથા ભાગ જેટલી હોવાથી ચોસઠ પળ પ્રમાણની ચતુર્ગાગા ગણાય છે. વળી તે જ માણિકાના અર્ધભાગ જેટલું હોવાથી એકસો અઠ્ઠાવીસ પળ પ્રમાણ માનને સર્ધમાણિતા કહે છે, અને બસો છપ્પન પળ પ્રમાણના માનને સંપૂર્ણ ૧ માાિ કહે છે. એ પ્રમાણે ઉપર કહેલાં સર્વ રસમાનો વડે મગધદેશમાં જ ઘી-તેલ વિગેરે મપાય છે. આ રસમાનને ગ્રંથકર્તાએ ગાથામાં નામ ગ્રહણપૂર્વક કહ્યું નથી (અર્થાત્ ગાથામાં રસમાનનાં નામ કહ્યાં નથી), કારણ કે સૂત્રરચનાનું પ્રયોજન-ફળ સંક્ષિપ્ત રુચિવાળા જીવોને ઉપકાર કરવો એ જ છે, (જેથી સંક્ષિપ્ત રચનાથી રચાયેલા સૂત્રમાં-ગાથામાં રસમાનનાં નામો કહ્યાં નથી). એ પ્રમાણે ૮૮ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૮૮૫ અવતરણ : એ પ્રમાણે ધાન્યમાન અને રસમાન એ બે ભેદ સહિત માનરૂપ દ્રવ્યપ્રમાણનું પ્રતિપાદન કર્યું (એટલે પાંચ પ્રકારના દ્રવ્યપ્રમાણ દ્વારમાં પહેલાં પ્રકારનું જે માન નામનું દ્રવ્યપ્રમાણ બે પ્રકારવાળું હતું તે કહ્યું), અને હવે ઉન્માન વિગેરે ચાર ભેદ (કે જે દ્રવ્યપ્રમાણ દ્વારમાં કહેવા બાકી છે) તે કહેવાય છે : कंसाइयमुम्माणं, अवमाणं चेव होइ दंडाई | डिमाणं धरिमेसु य, भणियं एक्काइयं गणिमं ॥ ८९ ॥ ગાથાર્થ : ઉન્માન તે કાંસુ આદિ ધાતુના વિષયવાળું છે, અવમાન તે દંડ વિગેરે સંબંધી ૧. અહીં જે આ ધાન્યમાન કહેવાય છે, તે સાક્ષાત્ મપાયેલા ધાન્યનું નહિ, પરન્તુ ધાન્ય માપવા માટે કોતરેલા કાષ્ઠના પાત્રનું સંભવે છે. માટે જ અહીં રસમાનનું અંતઃશિખાવાળું કાષ્ઠપાત્ર અને ધાન્યમાનનું શિખારહિત કાષ્ઠપાત્ર હોવાથી એ બેમાં ચતુર્થભાગ અધિક રસમાન (નું કાષ્ઠપાત્ર) હોય છે. અને ધાન્યમાન (નું પાત્ર) ચતુર્થભાગ હીન હોય છે. For Privateersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy