SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા : ૫ અને અપવર્ગ (મે) સંપડાવી શ્રેયસ્કર બનવાનું છે. એમાં સમ્યકત્વનાં ભૂષણ વગેરે છે કારેનું વર્ણન છે. સમ્યફત્વનાં ભૂષામાં ચોથું ભક્તિ છે. એના બે પ્રકારે છે – જિનભક્તિ અને સાધુભક્તિ. આ જિનભકિત કે તીર્થંકરભક્તિના ઉદાહરણ તરીકે આરામશોભાની કથા વૃત્તિકારે મૂકેલી છે. આ ભવમાં આરામશોભાને મસ્તકે હંમેશાં ઉદ્યાન છવાયેલું રહે છે તે એણે પૂર્વભવમાં કરેલી જિનસેવાનું પરિણામ છે એ એનું મુખ્ય કથયિતવ્ય છે. બે ભવની કથામાંથી વર્તમાનભવની કથામાં નીચેના ઘટકે આપણે તારવી શકીએ છીએ : ૧. અપરમાને આશરે રહેતી કન્યાનું દુઃખભર્યુ જીવન૨. નાગદેવને એણે કરેલી સહાય અને એની કૃપા. ૩. માથે ઉદ્યાન છવાયેલું રહેવું. ૪. આવી કન્યા તરફ રાજાનું આકર્ષાવું અને એને રાજરાણીપદ મળવું. ૫. અપરમાને પોતાની પુત્રી હેવી, એ સામાન્ય હોવી અને ઓરમાન પુત્રી પ્રત્યે એને ઈર્ષા થવી. ૬. ઓરમાન પુત્રીને એણે મારી નાખવા કેશિશ કરવી અને એને દેવી ઉગાર થવો. ૭. ઓરમાને પુત્રીને સ્થાને પેતાની પુત્રીને બેસાડી દેવી. ૮. આ કપટને ભંડો અંતે ફૂટી જ. ૯. માતાએ પોતાના બાળકને જેવા ગુપ્ત રીતે જવું અને એમાંથી રાજાને હાથે ઝડપાઈ જવું. ૧૦. કલ્યાણ કરનારની શરત હોવી અને એ શરત ભંગ થતાં એનું મૃત્યુ થવું. પૂર્વભવની કથામાંથી આપણે નીચે પ્રમાણે ઘટકે તારવી શકીએ છીએ? ૧. આઠમી પુત્રી તરીકે જન્મેલી નિર્ભાગી કન્યા. ૨. દરિદ્ર પરદેશી સાથે એને પરણાવી દેવી. ૩. પતિએ ભાતાના લેભથી એને સૂતી તજી દેવી. ૪. નિરાધાર સ્ત્રીએ કેઈ શ્રેષ્ઠીને ત્યાં આશ્રય મેળવી પિતાના વર્તનથી આદર પ્રાપ્ત કર. ૫. પિતાને આશ્રય આપનારના સંકટમાં સહાયભૂત થવું. ૬. પિતાના તપ ને શીલપ્રભાવથી સૂકી વાડી લીલી કરાવવી. બે ભવનાં વૃત્તાંતને તાળે આ રીતે મેળવવામાં આવ્યો છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy