SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ના ડિસેંબરમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મેંતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયો. ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકેએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂકયું હતું કે સરકાર તરફથી અનેક વિદને આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મોતીલાલજીએ “સવાઈ સ્વરજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકે વચ્ચે બેનસ અંગે ઝગડે થયેલ; ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરોની વેતનધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકાએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલો. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કાઈની શેહમાં તણાયા વગર પિતાનો સ્વતંત્ર અભિપ્રાય આપેલ. પણ આ મતભેદને કારણે તેમણે કોઈના તરફ રાગ કે દ્વેષનું વલણ દાખવ્યું નહતું. સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોના પ્રતિનિધિ તરીકે (૧૯૨૮) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજુર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણુંક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઇજિપ્ત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેસ્ટાઈલ મશીનરી મેન્યુફેક્ચરર્સ સાથે (૧૯૪૬) વાટાધાટે કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારનાં પ્રતિનિધિમંડળીની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પોતાની વાત તેમને ગળે ઉતારી હતી. કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લેકહિતની પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. તેનું આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે સે એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચીને સંપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિટીનું ભવ્ય ને વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શકયું છે. તેમના પરિવાર તરફથી આસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy