SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ અને જૈન ધર્મ યથાર્થરૂપે પાળવામાં આવે તો. અને, આપણે જોયું છે કે, આથી જ નીચ ગણાતી કામમાંથી પણ આપણે ત્યાં સંત પાક્યા છે અને તેમને પણ એટલે જ આદર મળે છે, જેટલે એક બ્રાહ્મણ સંતને. આ પ્રભાવ હિંદુધર્મને છે, જેનું મૂળ ગીતાના ઉપદેશમાં જ રહેલું છે. વેદથી માંડીને આજ સુધી જે જે દેવ ધર્મમાં સ્થાન પામ્યા તે સૌને કૃષ્ણ સાથે અભેદ હોઈ અને જે જે સંત થયા તે સ્વયં કૃષ્ણના જ અવતાર હોઈ સમાનભાવે પૂજ્ય છે. આ ભાવનાને પ્રચાર ગીતાથી થયે એટલે ઈષ્ટ દેવને લઈને ધાર્મિક મતભેદને સ્થાન રહ્યું નહિ. પણ જેની પણ પુજ-ભક્તિ થાય, જે કઈ નામે થાય કે જ્યાં પણ થાય, તે સૌ કૃષ્ણની જ ભક્તિ છે, આવા ઉદાર વલણને હિંદુધર્મ અપનાવ્યું છે. વળી, જે કાઈ કર્મ કરવામાં આવે તે પણ ઈશ્વરશક્તિના જ અંગરૂપ છે. આવી સમજ ગીતાએ આપી હાઈ બધાં જ કર્મોમાં ભક્તિરૂપે દેવીભાવ આવી જવાથી કર્મ માંથી પણ ઊંચનીચનો ભાવ લુપ્ત થયો. જે કાંઈ કરે તે ઈશ્વરભક્તિનું જ અંગ છે, આવી ઉદાત ભાવના હિંદુધર્મમાં આવી; આમ થવાથી હિંદુધર્મના વિવિધ સંપ્રદાયમાં જે વિરોધભાવના હતી તે લુપ્ત થઈ અને એક એવી ઉદાત્ત ભાવનાને પ્રચાર થયો કે સૌ કોઈ પોતપોતાની યોગ્યતા અને શક્તિ પ્રમાણે ઈશ્વરની જ ભક્તિ કરે છે, તેથી ઈશ્વરના નામભેદ કે રૂપભેદને આગળ કરી વિખવાદ કરવાને હવે કશું જ કારણ રહ્યું નહિ. આમ હિંદુધર્મનું સંગ્રાહક રૂપ નિષ્પન્ન થવામાં ગીતાને ફાળો અપૂર્વ છે. હિંદુધર્મના આટલા વિચાર પછી હવે આપણે જૈનધર્મ વિષે વિશેષ વિચાર કરીએ. જૈન ધર્મ જૈનોનું સાહિત્ય સુનિશ્ચત અર્થવાળું હોઈ તેમાં વિચારભેદને અવકાશ નથી એટલે જૈનધર્મના વિવિધ સંપ્રદાયને આધાર વિચારભેદ નહિ, પણ આચારભેદ છે. અને વિચારની એકરૂપતા, જ્યારથી પણ તેને ઈતિહાસ મળે છે ત્યારથી, જળવાઈ રહ્યાનું જાણી શકાય છે. - પ્રથમ કહ્યા પ્રમાણે, અહીં જૈનધર્મ વિષે–તેને સાહિત્ય, પ્રવર્તક મહાપુરુષ, આાર, વિચાર અને સંપ્રદાય વિશે–વિચાર કરીએ એ પહેલાં જૈનધર્મની કેટલીક બાબતે વિષે હિંદુધર્મની તુલના કરીને વિચાર કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy